1. Home
  2. Tag "chotila"

ચોટિલામાં ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી પુનમે દર્શન માટે ભાવિકો મોટા સંખ્યામાં ઉમટી પડ્યાં

સુરેન્દ્રનગરઃ આજે ચૈત્રી પુનમના દિને માતાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. ત્યારે સુપ્રસિદ્ધ ચોટિલાના ચામુંડા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ચૈત્રી પૂનમ વર્ષમાં આવતી સૌથી મોટી પૂનમ હોવાથી તેનું મહત્વ અનેરૂ હોય છે. ચૈત્રી પૂનમમાં હજારો માઈભક્તો પગપાળા ચાલીને માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત ચોટીલા ડુંગર ટ્રસ્ટ તેમજ અનેક […]

ચોટિલા નજીક ડમ્પર અને કાર વચ્ચેના અકસ્માતમાં બેના મોત, બન્ને તરફ ચાર કિમી. સુધી ટ્રાફિક જામ

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક વણકી બોળકી પાસે હાઇ–વે પર કાર પર ડમ્પર પલટી ખાઇ જતાં  બેના મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં ચોટીલા અને સાયલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતને કારણે હાઈવેની બન્ને બાજુએ ચાર કિ.મી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ […]

ચોટિલા પાસે ખાનગી લકઝરી બસમાં મધરાતે આગ લાગતા વૃદ્ધાનું મોત, મુસાફરોમાં નાસભાગ મચી ગઈ

અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટિલા નજીક ગતરાત્રિએ ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. સુરત તરફ જઈ રહેલી બસમાં આગ લાગવાના કારણે બસમાં ઊંઘી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી હતી. બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતા મોત થયું હતુ. જ્યારે અન્ય મુસાફરો પણ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ […]

ચોટિલા નજીક નેશનલ હાઈવે પર ટ્રક પાછળ જીપ ઘૂંસી જતા 2ના મોત, 6 ને ઈજા

સુરેન્દ્રનગર: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈ-વે પર ચોટિલા નજીક આજે સવારે બંધ ટ્રક પાછળ જીપ ઘૂંસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જીપમાં સવાર બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે  6 વ્યક્તિઓ ઈજાઓ થઈ હતી  પોલીસની પ્રાથમિક તપાસમાં જીપમાં સવાર પ્રવાસીઓ અમદાવાદથી દ્વારકા જતા હતા, ત્યારે ચોટિલા નજીક અકસેમાતનો બોગ બન્યા હતા. આ અકસ્માતની વિગતો એવી […]

ચોટીલામાં ભારે વરસાદ વચ્ચે વીજ કંપનીની ટીસીમાં ખામી સર્જાતા 82 ગામમાં અંધારપટ

અમદાવાદઃ રાજ્યભરમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થયું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન વીજ કંપનીના 10થી વધુ ટીસી બળી જતાં શહેરની સાથે તાલુકાનાં 82 જેટલાં ગામડાંમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી. જેથી અંધારપટ છવાયો હતો. વીજ કંપની દ્વારા […]

કોરોનાને ધ્યાનમાં રાખીને ચોટીલા મંદિર પ્રશાસનનો નિર્ણય, ચામુંડા માતાના મંદિરમાં 17થી 23 જાન્યુઆરી સુધી આરતી દર્શન બંધ

ભગવાન-ભક્ત વચ્ચે ફરી આરતીમાં અંતર 17થી 23 જાન્યુઆરી સુધી આરતી દર્શન બંધ ભીડ ન થાય તે માટે લેવાયો નિર્ણય ચોટીલા: રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો થતા ભગવાન અને ભક્તો વચ્ચે ફરી અંતર વધ્યું છે.. કારણ કે, કોરોનાનું સંક્રમણ વધવાને કારણે શહેર અને જિલ્લાના મોટા મંદિરોમાં નિયમો ફરી કડક કરી દેવાયા છે.ચોટીલા મંદિરમાં […]

ચોટીલા હાઇવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત, ટેન્કરચાલકનું ઘટના સ્થળે જ મોત

ચોટીલા હાઈવે પર જોરદાર અકસ્માત ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત ટેન્કરચાલકનું ઘટના સ્થળે જ મોત રાજકોટ: ચોટીલાથી બે કિલોમીટર આગળ અમદાવાદ તરફ ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેન્કરમાં વિકરાળ આગ ભભુકી ઉઠી હતી અને ટેન્કર ચાલકનું આગમાં સળગી જતાં કરુણ મૃત્યુ થયું હતું.. ઘણા સમયથી નેશનલ હાઇવે 6 લાઇનનું ગોકળગતિએ કામ શરૂ છે […]

ચોટીલાના ડોળીયા પાસે કાર નાળામાં ખાબક્તા સુરેન્દ્રનગરના અધિકારી સહિત બેનાં મોત

સુરેન્દ્રનગરઃ રાજકોટથી સુરેન્દ્રનગર આવી રહેલા નગર નિયોજક કચેરીના અધિક્ષકની કારને અકસ્માત નડતા અધિક્ષક સહિક બેના મોત નિપજતા સુરેન્દ્રનગરના બહુમાળી ભવનના કર્મચારીઓમાં શોકનો માહોલ છવાયો હતો.ચોટીલાથી ડોળીયા તરફ હડાળા ઢેઢૂકી વચ્ચે શ્વાન આડુ ઉતરતા શ્ચાનનો જીવ બચાવવા જતા અકસ્માતે કાર 12 થી 15 ફુટ ઉંડા નાળામાં ખાબકતા અધિક્ષક સહિત બે વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા […]

ચોટીલા નજીક હાઈ-વે પર તેલ ભરેલું ટેન્કર પલટી ખાતા લોકો તેલ લેવા ઉમટી પડ્યાં

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચોટીલા હાઇવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતાં તેલની નદીઓ વહેતી થઈ હતી. જે અંગેની જાણ થતાં લોકો ડોલ, ડબલા સહિતના વાસણો લઈને તેલ ભરવા માટે ઉમટી પડ્યા હતા. લોકો હાઇવે પર ઢોળાયેલું તેલ ભરવા પડાપડી કરતા નજરે પડ્યાં હતા. બીજી બાજુ પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ […]

ચોટિલામાં સુપ્રસિદ્ધ ચામુંડા માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 20 મે સુધી બંધ રહેશે

સુરેન્દ્રનગરઃ કોરોનાના કેસ વધતા રાજ્યમાં અનેક ધાર્મિક સ્થળો ભાવિક-ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે. મંદિરના ટ્રસ્ટો દ્વારા ભક્તોના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ એવા ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ટ્રસ્ટ દ્વારા આગામી 20 મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવા આવ્યો છે. સુપ્રસિદ્ધ  તિર્થ ધામ એવા સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે પર આવેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code