1. Home
  2. Tag "CM patel"

છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું: અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 89 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન સવારે પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગ્રુહ મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું છે. આજે ગુજરાત […]

ત્રણ નગરપાલિકામાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ-પાણી પુરવઠા-ભુગર્ભ ગટર યોજનાના કામો માટે સરકારે રૂ. 114.68 કરોડ મંજૂર કર્યાં

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસતા નગરજનોની સુવિધા સુખાકારીમાં વૃદ્ધિ કરવાના અભિગમથી ત્રણ નગરપાલિકાઓને નાગરિક સુવિધાના કામો માટે 114.68 કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં જે દરખાસ્તો રજુ કરવામાં આવી હતી તેમાં વાપી, ભરૂચ અને મુંદ્રા-બારોઇ નગરપાલિકાના કામોનો સમાવેશ કરવામાં આવેલો છે. […]

ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ગુજરાતની ભૂમિકા પણ મહત્વપૂર્ણઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં 11માં એગ્રી એશિયા પ્રદર્શનને ખૂલ્લું મુકતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ખેતીમાં સમયાનુકુલ અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી પાકવૃદ્ધિ અને કિસાન સમૃદ્ધિની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ સાકાર કરવામાં ગુજરાત ખેતીને પ્રાથમિકતા આપીને અગ્રેસર રહ્યું છે. જ્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવામાં ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રીએ વધુમાં […]

વડોદરાઃ 26 નગરપાલિકા વિસ્તારોમાં પડેલા 4893 ખાડાઓને પેચવર્ક કરીને પૂરવામાં આવ્યા

અમદાવાદઃ  વર્તમાન ચોમાસાની ઋતુ દરમિયાન પડેલા ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને તત્કાલ રિપેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવેલા અભિયાન અંતર્ગત વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશનર  તાબા હેઠળની 26 નગરપાલિકાઓમાં યુદ્ધના ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવી છે. આ નગરપાલિકા વિસ્તારોમાં પડેલા નાનામોટા 4893 ખાડાઓને પેચવર્ક કરીને પૂરવામાં આવ્યા છે. નગરપાલિકા કમિશનરની કચેરીના અધિક કલેક્ટર […]

તરણેતરનો મેળો: લોકકલા, લોકસાહિત્ય, લોકજીવન, લોકસંસ્કૃતિ અને લોકગીતોનો મેળો

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ તરણેતરના મેળાને કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ મેળામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે આ ઉપરાંત ગ્રામીણ ઓલિમ્પિક રમતોનું આયોજન કરાયું છે. જેમાં ખેલાડીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપીને સન્માનિત કરાયા હતા. આ ઓલ્મિપકમાં ગ્રામ્ય વિસ્તારોમાં રમવામાં આવતી લંગડી, કબ્બડી, વોલીબોલ, લાંબી કુદ, ગોળા […]

ખેડામાં રૂ. 9114.18 લાખના કુલ 80 વિકાસ કામોનું મુખ્યમંત્રી ખાતમુર્હૂત અને લોકાર્પણ કરાશે

અમદાવાદઃ બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખેડા જિલ્લાના નડિયાદ અને ઠાસરા એમ બે સ્થળોએ મુલાકાત લઇ જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા કુલ રૂા. 9114.18 લાખના 73 કામોનું  ખાતમુર્હૂત અને 8 કામોનુ લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ નડિયાદમાં સવારે  રૂા. 1407.41 લાખના ખર્ચે બનેલ નવ નિર્મિત ખેડા જિલ્લા પંચાયત ભવન,  રૂા.3 કરોડના ખર્ચે રીસફેંસીગ ઓફ નડિયાદ બાયપાસ […]

સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસમાં 8 લાખ શ્રધ્ધાળુઓએ કર્યા દર્શન

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાદામ સોમનાથ મહાદેવ મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યાં હતા. પવિત્ર શ્રાવણ મહિનામાં આઠ લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યાં હતા. વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એટલું જ નહીં શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ના પડે તે માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. […]

મોરબીઃ પા-પા પગલી યોજના હેઠળ 761 આંગણવાડી કેન્દ્રનો સમાવેશ

અમદાવાદઃ  મોરબી જિલ્લામાં પા-પા પગલી યોજના હેઠળ કુલ 761 આંગણવાડી કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં આ યોજના અંતર્ગત આજ દિન સુધીમાં 3 થી 6 વર્ષના લાભાર્થી કુમાર 9 હજાર 781 અને કન્યા 9 હજાર 589 એમ કુલ 19 હજાર 370 બાળકોને લાભ આપવામાં આવ્યો છે. પા-પા પગલી યોજના અન્વયે મોરબી જિલ્લા કક્ષાએ આંગણવાડીના […]

કચ્છના 948 ગામ અને 10 નગરોમાં પીવાનું પાણી પૂરુ પડાશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 28 ઓગસ્ટના રોજ રૂ.1745 કરોડના ખર્ચે નિર્મિત કચ્છ ભુજ બ્રાન્ચ કેનાલ(માંડવી)નું લોકાર્પણ કરશે. કચ્છ શાખા નહેરની સાંકળ 214.45 કિ.મી. સુધી બાંધકામ પુર્ણ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ટપ્પર ડેમમાં પાણી પહોંચાડવાની શરૂઆત થઈ હતી. કચ્છ શાખા નહેરમાં સાંકળ 214.45 કી.મી. પછીના કામો જુદા-જુદા પ્રશ્નોના કારણે અટકેલા હતા. જેમાં ખાસ કરીને […]

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 100 ટકા વરસાદ વરસી ચુક્યો

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ સાથે વરસી રહેલા વરસાદને પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 100.17 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીજીયનમાં 155.36 ટકા અને સૌથી ઓછો પૂર્વ ગુજરાતમાં 82.28 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉતર ગુજરાતમાં 107.47 ટકા, સૌરાષ્ટ્રમાં 89.44 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.31 ટકા જેટલો કુલ સરેરાશ વરસાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code