1. Home
  2. Tag "COngress"

અમેઠી લોકસભા બેઠક: ગાંધી ફેમિલીનો ગઢ 2019માં થયો હતો ધ્વસ્ત, સંજય ગાંધીથી લઈને રાહુલ ગાંધીને મળી ચુકી છે અહીંથી જીત

ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક રાજ્યના પાટનગર લખનૌથી 130 કિલોમીટર અને દિલ્હીથી 685 કિલોમીટર દૂર છે. આ બેઠક 1967માં અસ્તિત્વમાં આવી. તેના પછી આ બેઠક કોંગ્રેસના વર્ચસ્વ હેઠળ રહી છે. યુપીમાં ઘણીવાર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની સરકારો બની, પણ તેમને આ બેઠક પર અત્યાર સુધીમાં એકપણ વાર જીત મળી નથી. ભાજપને મુશ્કેલીથી 2 વખત […]

સુલ્તાનપુર લોકસભા બેઠક : કોંગ્રેસને 8 અને ભાજપને 5 વાર મળી ચુકી છે જીત, વરુણ-મેનકા પણ બન્યા છે સાંસદ

યુપીની સુલ્તાનપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસને સૌથી વધુ સાત વખત જીત મળી છે. જ્યારે ભાજપના ઉમેદવારને 5 વખત જીત પ્રાપ્ત થઈ છે. લોકસભાની આ બેઠક પરથી મેનકા ગાંધી અને વરુણ ગાંધી પણ જીત્યા છે. પરંતુ સતત પાંચ વખત જીતનો રેકોર્ડ કોંગ્રેસના નામે છે. કઈ પાર્ટીના ક્યાં ઉમેદવાર- સુલ્તાનપુર બેઠક પથી મેનકા ગાંધી સાંસદ છે. જો […]

વારાણસી લોકસભા બેઠક: બીએસપી-એસપીને ક્યારેય મળી નથી જીત, પીએમ મોદીના આવવાથી બની છે હૉટ સીટ

લોકસભા ચૂંટણી 2024ની સૌથી હોટ સીટ વારાણસી છે. આ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર અત્યાર સુધીમાં 17 ચૂંટણીઓ યોજાઈ છે. પરંતુ અત્યાર સુધી એકવાર પણ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને જીત મળી નથી. આ બેઠક પર સૌથી વધારે જીત ભાજપ અને કોંગ્રેસને મળી છે. વારાણસી […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈન્કાર

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ચૂંટણીનો ધમધમાટ તેજ થયો છે. દરમિયાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. જ્યારે બાકી બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન તાજેતરમાં કોંગ્રેસ દ્વારા અમદાવાદ પૂર્વ બેઠકથી સિનિયર નેતા રોહન ગુપ્તાના નામની જાહેરાત કરી છે. જો કે, હવે રોહન […]

2013 પછી કોંગ્રેસ 52 ચૂંટણી હારી, 12 પૂર્વ સીએમ સહીત 47 મોટા નેતાઓએ પાર્ટી છોડી

ભોપાલ: મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાને ભોપાલમાં કોંગ્રેસને નિશાને લીધી. એક પ્રેસ કોન્ફરન્સમાં શિવરાજસિંહ ચૌહાને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નેતૃત્વ પર નિશાન સાધ્યુ. વિદિશા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર શિવરાજે રાહુલ ગાંધીના નેતૃત્વ દરમિયાન કોંગ્રેસ છોડનારા પૂર્વ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓની યાદી જાહેર કરી છે તેની સાથે 2013થી જ અત્યાર સુધીમાં કોંગ્રેસે […]

આ તે કેવી દાદાગીરી? : આજાન વખતે હનુમાનચાલીસા વગાડનારા દુકાનદારને નિર્દયતાપૂર્વક મરાયો માર, બેંગલુરુમાં બબાલ

બેંગલુરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુના નગરથપેટેમાં રવિવારે સાંજે કેટલાક લોકોએ એકજૂટ થઈને એક દુકાનદારને માર માર્યો છે. પીડિતે પોલીસ ફરિયાદ કરી છે કે તે દુકાનમાં ભક્તિગીત વગાડી રહ્યો હતો, ત્યારે તેની દુકાન પર છ લોકો આવ્યા અને તેમણે તેને બંધ કરવા માટે દમદાટી મારી હતી. તેના પછી આ તમામ લોકોએ તેની સાથે મારામારી શરૂ કરી હતી. […]

1951-52થી 2019: સ્વંતંત્રતા બાદથી અત્યાર સુધીમાં કેટલીવાર યોજાઈ લોકસભા ચૂંટણી, શું રહ્યા પરિણામ?

નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચ શનિવારે આગામી લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા કરી રહ્યું છે. 1952માં લોકસભાની પહેલી ચૂંટણી થઈ અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ 17 વખત સંસદના નીચલા ગૃહની ચૂંટણી યોજાઈ ચુકી છે. હવે 18મી લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ રહ્યો છે.   1951-52ની પહેલી લોકસભા ચૂંટણી- અંગ્રેજોથી દેશની આઝાદી બાદ પહેલીવાર લોકસભા માટે 1951-52માં ચૂંટણી […]

અસદુદ્દીન ઓવૈસીએ લાલુ-તેજસ્વીનું ટેન્શન વધાર્યું, AIMIMનું બિહારની 11 બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન

પટના: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ બિહારની 11 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. તેનાથી લાલુપ્રસાદ અને તેજસ્વી યાદવની પાર્ટી આરજેડી સહીત આખા મહાગઠબંધનની ચિંતા વધવાની છે. ઓવૈસીની પાર્ટી બિહારની 40 લોકસભા બેઠકોમાંથી કિશનગંજ, અરરરિયા, કટિહાર, પૂર્ણિયા સહીતની 11 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારશે. રાજ્યના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો ધરાવતા મતક્ષેત્રોમાં એવૈસી ગત કેટલાક […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના 7 ઉમેદવારોનાં નામ જાહેર,બે MLA પણ ટિકિટ મળી

અમદાવાદઃ  કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતના 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે.  કોંગ્રેસે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્વિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલનને ટિકિટ આપવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા 43 ઉમેદવારોની […]

ગુજરાતઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. જો કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર-પ્રસાર કરશે. તેમણે કહ્યું કે, પાર્ટી હાઈકમાન્ડનો જે પણ નિર્ણય હશે તે સ્વિકારવામાં આવશે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code