1. Home
  2. Tag "death"

અજિત પવારના નિધન પર સચિન તેંડુલકર સહિતના ખેલાડીઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: ભારતીય રમત જગતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, જેમનું આજે, 28 જાન્યુઆરી, 2026 ના રોજ બારામતી નજીક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની ચૂંટણીઓ વચ્ચે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર એક જાહેર સભામાં હાજરી આપવા માટે મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. […]

ગુજરાતના તત્કાલિન CM બળવંતરાય મહેતા અને વિજય રૂપાણીનું પણ પ્લેનક્રેશમાં થયું હતું નિધન

અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેનક્રેશથી મૃત્યુ થતા રાજકીય આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતે પણ પ્લેન ક્રેશમાં એક સીએમ અને પૂર્વ સીએમ ગુમાવ્યાં છે. સાત મહિના પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેનક્રેશમાં મૃત્યુ થયું હતું. જ્યારે 1965માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ થયું હતું. […]

પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું બીમારી બાદ નિધન

નવી દિલ્હી 06 જાન્યુઆરી 2026: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું લાંબી બીમારી બાદ નિધન થયું. તેમને પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પાર્થિવ શરીરને પુણેના એરંડવાને સ્થિત કલમાડી હાઉસમાં રાખવામાં આવશે અને અંતિમ સંસ્કાર પુણેના નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં બપોરે 3.30 વાગ્યે કરવામાં આવશે. સુરેશ કલમાડી કોણ […]

BLOના મોત મામલે ચૂંટણીપંચ જવાબદાર નહીંઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ગુજરાત સહિત 12 રાજ્યોમાં હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બીએલઓના મોતની ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. જો કે, સુપ્રીમ કોર્ટે બુથ સ્તર ઉપર કેટલાક અધિકારીઓના તણાવ અને કામને લઈને મોત અને કથિત આત્મહત્યા મામલે ચૂંટણીપંચને જવાબદાર ઠરાવવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં રાજ્ય સરકારોને સ્ટાફ સુનિશ્ચિત કરવાનો […]

બાંગ્લાદેશમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ચાલુ વર્ષે 386 વ્યક્તિના મોત

બાંગ્લાદેશમાં ડેન્ગ્યુનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે, દેશભરમાં ચેપ અને મૃત્યુમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ,  24 કલાકમાં બાંગ્લાદેશમાં આ રોગથી બે લોકોના મોત થયા છે, જેના કારણે 2025માં મચ્છરજન્ય રોગથી મૃત્યુઆંક 386 થયો છે. એમ આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS)ના જણાવ્યા અનુસાર, આ જ સમયગાળા દરમિયાન, 565 વધુ લોકોને વાયરલ તાવથી […]

સતલાસણાના BLOનું રાત્રે ફોર્મ અપલોડની કામગીરી દરમિયાન હાર્ટએટેકથી મોત

• દિવસે નેટ ન મળતા રાત્રે બે વાગ્યે ઊઠીને ઓનલાઈન ફોર્મ અપલોડ કરતા હતા • શિક્ષક એવા BLOને છાતીમાં દુઃખાવો ઉપડતા વડનગર લઈ જવાયા • શિક્ષકના મોતથી સુદાસણા ગામમાં શોકનો માહોલ સર્જાયો મહેસાણાઃ ગુજરાતમાં મતદાર સુધારણા યાદી (SIR)ની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં BLO તરીકે મોટાભાગના શિક્ષકો અને કર્મચારીઓને જોતરવામાં આવ્યા છે. કામના ભારણને […]

વડોદરામાં BLO સહાયક મહિલા કર્મચારીનું કામગીરી દરમિયાન થયુ મોત, હાર્ટ એટેકની આશંકા

કામના ભારણને લીધે છેલ્લા 4 દિવસમાં ચાર કર્મચારીના મોત, વડોદરાની પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક કામગીરી કરી રહ્યા હતા ત્યારે બન્યો બનાવ, નિર્ધારિત સમયમાં SIRની કામગીરી કરવાની હોવાથી BLOની માનસિક હાલત કથળી વડોદરાઃ ગુજરાતભરમાં હાલ મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR) ની કામગીરી ચાલી રહી છે. જેમાં મોટાભાગની કામગીરી શાળાના શિક્ષકોને સોંપવામાં આવી છે. શિક્ષકોએ બાળકોને […]

પીએમ મોદીએ શ્રીકાકુલમ ભાગદોડમાં શ્રદ્ધાળુઓના મોત પર દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ સ્થિત વેંકટેશ્વર સ્વામી મંદિર ખાતે ભાગદોડ દરમિયાન 9 શ્રદ્ધાળુઓના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી. પીએમઓ એ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ મૃતકોના પરિજનોને બબ્બે લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંદેશમાં કહ્યું, “આંધ્ર પ્રદેશના […]

માત્ર પાંચ જ દિવસમાં સિનેમાજગતનાં ત્રણ તારાઓનું નિધન 

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે આ અઠવાડિયું દુઃખ અને ગમથી ભરેલું રહ્યું છે. માત્ર પાંચ દિવસના અંતરમાં સિનેમાના ત્રણ દિગ્ગજ કલાકારો  મધુમતી, પંકજ ધીર અને અસ્રાનીએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. ફિલ્મપ્રેમીઓ અને ચાહકો માટે આ સમાચાર અતિ વ્યથિત કરનારા સાબિત થયા છે, કારણ કે આ ત્રણેયે પોતાના કામથી લાખો દર્શકોના દિલમાં અવિસ્મરણીય છાપ […]

છિંદવાડામાં કિડની ફેલ થવાથી 6 બાળકોના મોત; કફ સિરપ પીવાથી મોત!

મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ્યોરને કારણે છ બાળકોના મૃત્યુથી વ્યાપક ચિંતા ફેલાઈ છે. મૃતક બાળકોના કિડની બાયોપ્સી રિપોર્ટમાં ઝેરી પદાર્થોના કારણે કિડની ફેલ્યોર હોવાનું બહાર આવ્યું છે. પરિણામે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે બાળકોના મૃત્યુમાં કફ સિરપનો ફાળો હોઈ શકે છે. દરમિયાન, કિડની ફેલ્યોરને કારણે છ બાળકોના મૃત્યુના કિસ્સામાં, નિષ્ણાત ડૉક્ટરે જણાવ્યું કે મૃતક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code