પુલવામા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા મોહિઉદ્દીનને આતંકવાદી જાહેર કરાયો
નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન પુલવામા આતંકી હુમલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદના મોહિઉદ્દીન ઔરંગઝેબને નરેન્દ્ર મોદી સરકારે UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં જણાવાયું છે કે, પુલવામા આતંકી હુમલામાં સામેલ મોહિઉદ્દીન […]