1. Home
  2. Tag "Demand"

ગુજરાતના તમામ બ્રિજની ચકાસણી કરી ફિટનેસ સર્ટીફીકેટ ઓનલાઈન મુકવા કોંગ્રેસની માગ

અમદાવાદઃ ગુજરાત  પેપરો ફૂટવા,  બ્રિજ તુટવા, ડ્રગ્સ ઉતરવા માટે કૂખ્યાત બન્યું છે. માર્ગ અને મકાન વિભાગ જે  મુખ્યમંત્રીના હસ્તક છે એની સીધી દેખરેખ અને જવાબદારી મુખ્યમંત્રીની છે. ત્યારે ગુજરાતના તમામ બ્રિજની ચકાસણી કરાવીને તેના ફિટનેસ સર્ટી, ઓનલાઈન મુકવાની કોંગ્રેસ માગણી કરે છે. તેમ  ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું […]

ઇસબગુલના પ્રોસેસિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે, અમેરિકામાં ભારતીય ઈસબગુલની ભારે માગ

સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ’ તરીકે ઓળખાતો ઇસબગુલ ભારતમાં ખેતી હેઠળના તમામ ઔષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. સમગ્ર વિશ્વમાં ભારત એ ઇસબગુલ જેવા ઔષધીય પાકનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ઇસબગુલ પાકના પ્રોસેસિંગમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરાના સ્થાન પર છે. ભારતના કુલ ઇસબગુલના ઉત્પાદનનું 90% પ્રોસેસિંગ ગુજરાતમાં કરવામાં આવે છે. તેના પ્રોસેસિંગના […]

સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર,અને રતનપરને જોડીને મ્યુનિ.કોર્પોરેશન બનાવવા માગ

સુરેન્દ્રનગરઃ જિલ્લાનું મુખ્ય મથક ગણાતા સુરેન્દ્રનગરમાં છેલ્લા એક દાયકામાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. હાલ સુરેન્દ્રનગર અને વઢવાણની સંયુક્ત નગરપાલિકા છે. હવે જો જોરાવરનગર અને રતનપરને પણ સુરેન્દ્રનગર શહેરમાં મર્જ કરી દેવામાં આવે તો શહેરને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળી શકે તેમ છે. આથી  વઢવાણ, જોરાવરનગર, રતનપર જોડિયા શહેરોને જોડીને મ્યુનિ.કોર્પોરેશન બનાવવાની માગ પ્રબળ બની […]

ગુજરાતની તમામ શાળાઓમાં બીજા અને ચોથા શનિવારે રજા રાખવા શાળા સંચાલક મંડળની માગણી

અમદાવાદઃ રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ શાળાઓમાં પણ મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા રાખવા શાળા સંચાલક મંડળે સરકારને વિનંતી કરી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને બીજા અને ચોથા શનિવારે જાહેર રજા હોય છે. તેથી બાળકોને પણ બીજા અને ચોથા શનિવારની જાહેર રજાનો લાભ આપવો જોઈએ. રાજ્ય અને કેન્દ્રમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે […]

અમદાવાદ-ધોલેરા સેમી હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટની મંજુરી આપવા કેન્દ્ર સમક્ષ રાજ્ય સરકારની માંગણી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ દર્શાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયાના સપનાને ધોલેરા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી સાકાર કરે છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, સેક્ટર સ્પેસિફિક ઇકો સિસ્ટમના વિકાસ માટે જરૂરી સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ધોલેરા SIR સુસજ્જ છે. નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્સ કમિટીની દ્વિતીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી […]

સોનાની કિંમતના વધારા વચ્ચે માગમાં 17 ટકાનો ઘટાડો, રિસાયકલ સોનાની માગ વધી

નવી દિલ્હીઃ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સોનાની માંગ 17 ટકા ઘટીને 112.5 ટન થઈ હતી, કારણ કે ભાવની અસ્થિરતાને કારણે વપરાશ અને ઊંચા ભાવને અસર થઈ હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે 135.5 ટન હતું. કાઉન્સિલે કહ્યું કે આ વર્ષ દરમિયાન માંગમાં ઘટાડો થવાની સંભાવના છે. બીજી તરફ રિસાયકલ સોનાની માંગ […]

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને જ જ્ઞાનસેતુની મંજુરી આપવા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની માગ

ગાંધીનગરઃ  ગુજરાતમાં જ્ઞાનશક્તિ ડે સ્કૂલોની મંજૂરી માટે શાળા સંચાલકો દ્વારા મથામણ ચાલી રહી છે. હાલ સરકારે જ્ઞાનશક્તિ ડે સ્કૂલોની મંજૂરી માટેની અરજીના સમયમાં વધારો કર્યો છે. ત્યારે રાજ્યમાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓને પણ જ્ઞાનશક્તિ ડે સ્કૂલોની મંજૂરી આપવાની માગ ઊઠી છે. ગ્રાન્ટેડ શાળાઓને ટકાવી રાખવા તથા ગ્રાન્ટેડ શાળાઓને સુસજ્જ બનાવવા માટે કેટલાક પ્રશ્નો બાબતે ગુજરાત […]

જ્ઞાનસેતુ ડે શાળાઓમાં ગ્રાન્ટેડ શાળાઓને તબદીલ કરો, શાળા સંચાલકોએ કરી માગ

ગાંધીનગરઃ ગુજરાતમાં જ્ઞાનસેતુ ડે સ્કુલ, જ્ઞાનસેતુ નિવાસી શાળાઓને મંજુરી અપાતા તેની સીધી અસર રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને થશે. રાજ્યભરમાં જ્ઞાનસેતુ ડે સ્કુલ, જ્ઞાનસેતુ નિવાસી શાળા, જ્ઞાનશક્તિ સ્કુલ, રક્ષાશક્તિ સ્કુલો શરૂ થવાથી દર વર્ષે અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાથી આવરી લેવામાં આવશે. આથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાંથી ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકા […]

ભાવનગરના સમુદ્રમાં આવેલા પિરમબેટને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવવામાં સરકારને રસ નથી

ભાવનગરઃ જિલ્લાની સબળ નેતાગીરીના અભાવે ભાવનગર શહેર અને જિલ્લાનો સર્વાંગી વિકાસ થયો નથી. ઔદ્યાગિક વિકાસમાં પણ ભાવનગર જિલ્લો પછાત ગણાય છે. અને રોજગારીની પુરતી તકો ઉપલબ્ધ નથી. જિલ્લામાં અનેક સ્થળો એવા છે. કે એનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવે તો નવી રોજગારી પણ ઊભી થઈ શકે તેમ છે. જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલા દરિયામાં આશરે […]

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌનું નામ બદલીને લક્ષ્મણપુરી કરવાની માંગણી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારમાં ગુલામી પ્રતિકોને દુર કરવામાં આવી રહ્યાં છે. સીએમ યોગીના શાસનમાં અનેક પ્રદેશોના નામ બદલ્યાં છે. અલ્હાબાદ અને ફૈઝાબાદ સહિતના શહેરોના નામ બદલીને પ્રયાગરાજ અને અયોધ્યા નામ કરવામાં આવ્યાં છે. હવે લખનૌના નામને બદલા માટે ભાજપના સાંસદે માંગણી કરી છે. તેમણે કહ્યું હતું કે, 18મી સદીમાં નવાબે લક્ષ્મણપુરીનું નામ બદલીને લખનૌ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code