1. Home
  2. Tag "employees"

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓની સળંગ નોકરી ગણવા સ્કુલ સંચાલકોની રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં  ગ્રાન્ટેડ શાળાઓમાં નોકરી કરતા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ અનેક જગ્યાએ તૂટક તૂટક નોકરી કરી છે, તો આવા કર્મચારીઓની તૂટક નોકરી સળંગ ગણવામાં આવે તેવી શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગ સમક્ષ રજુઆત કરી છે. અને આવા કર્મચારીએની સળંગ નોકરી ગણવામાં આવે તો સ્કૂલને અનુભવી શિક્ષક અને સ્ટાફ મળી રહેશે. રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ […]

દિવાળીને લીધે એસટી નિગમના કર્મચારીઓને ઓક્ટોબરનો પગાર 10 દિવસ વહેલો ચુકવાશે

અમદાવાદઃ ઓક્ટોબર મહિનામાં 22મીથી 25મી દરમિયાન દિવાળીના તહેવારો છે, એટલે કે મહિનાના અંતમાં દિવાળીના તહેવારો આવતા હોવાથી રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 20મી ઓક્ટોબરે પગાર આપવાનો નિર્ણય લેવાયા બાદ હવે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર (એસટી)ના કર્મચારીઓને પણ ઓક્ટોબરનો પગાર 10 દિવસ વહેલા ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

AMCના કર્મચારીઓને 20મી ઓક્ટોબરે પગાર અપાશે, તબીબી, ઘરભાડા ભથ્થામાં વધારો

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓ દિવાળીના પર્વને લીધે ઓકટોબર મહિનાનો પગાર 20મી ઓક્ટોબરના રોજ અપાશે. આ લાભ મ્યુનિના પેન્શનરોને પણ મળશે. દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબરના રોજ ચાલુ મહિનાના અંતમાં આવતો હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો સારીરીતે દિવાળીનું પર્વ ઉજવી શકે તે માટે ઓક્ટોબર માસનો પગાર 10 દિવસ પહેલા એટલે કે 20 ઓક્ટોબરના રોજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. […]

ગાંધીનગરમાં જુની પેન્શન યોજનાની માગ સાથે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરતાં 500ની અટકાયત

ગાંધીનગરઃ રાજ્યના કર્માચારીઓએ પોતાના પડતર પ્રશ્નો અંગે લડત આરંભી હતી. પણ સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવીને કર્મચારીઓના કેટલાક પ્રશ્નોનો ઉકેલ લાવી દેતા ઘણા કર્મચારી સંગઠનોને લડત પાછી ખેંચી લીધી હતી. પરંતુ હજુ કર્મચારીઓ જુની પેન્શન યોજના લાગુ કરવા સરકાર પરદબાણ કરી રહ્યા છે. 2005 પછી ભરતી થયેલા સરકારના કર્મચારીઓને જુની પેશન યોજનાનો લાભ મળવાનો નથી, […]

રાજ્ય સરકારે આંદોલનકારી કર્મચારીઓની વધુ પાંચ માગ સ્વીકારી, મેટરનીટી લીવ 6 મહિના અપાશે

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ટાણે જ સરકારના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે શરૂ કરેલા આંદોલનનું સમધાન શોધવા સરકાર પ્રયાસો કરી રહી છે. સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવી છે. અને મંત્રીઓ દ્વારા કર્મચારી મંડળો, યુનિયનના નેતાઓ સાથે વાટાઘાટો કરીને તેમના પ્રશ્નો ઉકેલવાની મથામણ કરવામાં આવી રહી છે. જેમાં વધુ પાંચ માગણીઓ સ્વીકારવામાં આવી છે. જોકે […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓમાં પણ પડતર પ્રશ્નો ઉકેલવા સળવળાટ જાગ્યો

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો માટે સરકારનું નાક દબાવી રહ્યા છે. હવે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કર્માચારીને પણ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા સળવળાટ જાગ્યો છે. પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા વિવિધ 18 પડતર પ્રશ્નો અને માગણીઓ સંદર્ભે આવેદન પાઠવ્યા બાદ 13 પ્રશ્નો અંગે યોગ્ય […]

AMCના કર્મચારીઓ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજથી કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા મ્યુનિ. નોકર મંડળ દ્વારા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોકે 15 દિવસ બાદ પણ કમિશનર દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નહીં આવતાં મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા અચોક્ક્સ મુદતની હડતાલ અને ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. મ્યુનિસિપલ નોકર મંડળના સભ્યોની બેઠક […]

ચૂંટણી ટાણે જ આંદોલનની મોસમ, હવે STના કર્મચારીઓએ ચક્કાજામની ચીમકી આપી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે પાટનગરમાં આંદોલનની મોસમ ખીલી ઊઠી છે. જેમાં ભારતીય કિસાન સંધ, પૂર્વ સૈનિકો, વિદ્યાસહાયકની ભરતીના ઉમેદવારો, અને રાજ્ય સરકારના કર્મચારીઓ વગેરે પોતાના પડતર પ્રશ્નો માટે આંદોલનો કરી રહ્યા છે. ત્યારે એસટી નિગમના કર્મચારીઓએ પણ લડતનું બ્યુંગલ ફુક્યું છે. એસટી કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલને લઇને લડત આંદોલન શરૂ કરવામાં આવ્યું […]

રાજ્ય સરકારે જુની પેન્શન યોજનાની મૂળ માગ ન સ્વીકારતા કર્મચારીઓમાં અસંતોષ

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન શરૂ કરતા સરકારે કર્મચારીઓના પ્રશ્ને સમાધાન માટે પાંચ મંત્રીઓની કમિટી બનાવી હતી. અને કર્મચારી મંડળો સાથે ચર્ચા બાદ સરકારે શુક્રવારે સાતમા પગાર પંચના બાકી હપતા તેમજ 1લી એપ્રિલ 2005 પહેલા ભરતી થયેલા કર્માચારીઓના GPF અને જૂની પેન્શન યોજનામાં સમાવાનો નિર્ણય કર્યો […]

ગુજરાતના કર્મચારીઓ પડતર પ્રશ્નેના ઉકેલ માટે 22મીએ દિલ્હીમાં રેલી યોજશે, આજથી લડતનો પ્રારંભ

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારના કર્મચારી મંડળોએ પડતર પર્શ્નો ઉકેલવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓએ સાતમા પગાર પંચના બાકી ભથ્થાં સહિતની 14 પડતર માગણી ઉકેલવામાં રાજ્ય સરકારની ઉદાસીનતાના વિરોધમાં 3થી 30મી સપ્ટેમ્બર સુધીના આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા છે. જે મુજબ આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code