1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં જુની પેન્શન યોજનાની માગ સાથે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરતાં 500ની અટકાયત
ગાંધીનગરમાં જુની પેન્શન યોજનાની માગ સાથે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરતાં 500ની અટકાયત

ગાંધીનગરમાં જુની પેન્શન યોજનાની માગ સાથે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરતાં 500ની અટકાયત

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના કર્માચારીઓએ પોતાના પડતર પ્રશ્નો અંગે લડત આરંભી હતી. પણ સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવીને કર્મચારીઓના કેટલાક પ્રશ્નોનો ઉકેલ લાવી દેતા ઘણા કર્મચારી સંગઠનોને લડત પાછી ખેંચી લીધી હતી. પરંતુ હજુ કર્મચારીઓ જુની પેન્શન યોજના લાગુ કરવા સરકાર પરદબાણ કરી રહ્યા છે. 2005 પછી ભરતી થયેલા સરકારના કર્મચારીઓને જુની પેશન યોજનાનો લાભ મળવાનો નથી, એટલે કર્મચારી સંગઠનોમાં પણ ભાગલા પડ્યા છે. પાડનગર ગાંધીનગરમાં રવિવારે જુની પેન્શન યોજના મુદ્દે કર્મચારીઓ તેંજ પગાર વધારા સહિતની માંગણીઓ લઈને નિવાસી આશ્રમ શાળાના કર્મચારીઓએ પણ સત્યાગ્રહ છાવણીએ વિના મંજૂરીએ ધરણા પ્રદર્શન કર્યુ હતું. જેથી પોલીસે 500 જેટલા કર્મચારીઓની અટકાયત કરી હતી

સૂત્રોના જણાવ્યા મુજબ રાજયના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જુની પેન્શન યોજનાની માંગણી સાથે સરકાર સામે લડત ચલાવી રહ્યાં છે. ત્યારે ગુજરાત રાજ્યના કર્મચારી દ્વારા સરકાર વિરુદ્ધ આંદોલન પણ છેડ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસે કોઈ પણ પ્રકારનો વિરોધ ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારની પાંચ મંત્રીઓની આંદોલન કમિટી દ્વારા કર્મચારી મહામંડળના આગેવાનો સાથે બેઠક કરી હતી અને કર્મચારીઓની માંગ સ્વીકારવામાં આવી હતી. જોકે, જુની પેન્શન યોજનાની માંગ પડતર રહેતા કર્મચારીઓએ રવિવારે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં યોજ્યા હતા. ઉપરાંત નિવાસી આશ્રમશાળાના કર્મચારીઓએ પણ વગર મંજુરીએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કર્યા હતા. આ કર્મચારીઓ સાતમા પગાર પંચનો લાભ આપવા, શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણમાં 4200નો ગ્રેડ પે આપવા, આશ્રમશાળાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકોની સળંગ નોકરી ગણવા, અલગ ગૃહપત્તિ, પુરા પગારે ભરતી થયેલા કર્મચારીઓના ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવા, બદલીનો લાભ આપવા સહિત વિવિધ 13 માંગણીઓ પડતર છે. છેલ્લા બે વર્ષથી આ પ્રશ્નની કોઇ નિવેડો નહીં આવતા રવિવારે નિવાસી આશ્રમશાળાના કર્મચારીઓએ પણ પાટનગરમાં ધરણા યોજ્યા હતા.
​​​​​​​ સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગરમાં ધરણા, રેલી સહિતના કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છત્તા આંદોલનકારીઓ પોતાના પડતર પ્રશ્નના ઉકેલ માટે  છુટા-છવાયા આંદોલન ચલાવી રહ્યા છે. રવિવારે જુની પેન્શન યોજના અમલમાં મુકવાની માંગ સાથે કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે ધામા નાખ્યા હતા. આ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નહતી. જેના પગલે પોલીસે 500 જેટલા કર્મચારીઓની અટકાયત કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code