1. Home
  2. Tag "farmers"

ગુજરાતમાં પોણા નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયાં: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે શ્રી મોટકા કડવા પાટીદાર હનુમાનજી મંદિરના દશાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહી ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં રામાયણ અને મહાભારત બે મહત્વપૂર્ણ ઇતિહાસ છે. ભગવાન શ્રી રામચંદ્રજીના જીવન અને શાસન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે […]

બનાસકાંઠામાં ખેડુતોએ જ સરકારી તંત્રની આશા રાખ્યા વિના જાતે જ કેનાલમાં સફાઈ આદરી

પાલનપુરઃ બનાસકાંઠામાં રવિ સીઝનની વાવણીનું કાર્ય શરૂ થઈ ગયું છે. દરમિયાન સિંચાઈ માટેની કેનાલોમાં વૃક્ષોના ડાળી-ડાંખળાં, અને કચરો ભરાયેલો છે. જો કેનાલોમાં પાણી છોડવામાં આવે તો કચરાને કારણે પાણી ખેતરો સુધી પહોંચી શકે તેમ નથી. આ અંગે ખેડુતોએ અવાર-નવાર સિંચાઈ વિભાગને રજુઆતો કરવા છતાંયે કેનાલો સાફ કરવામાં ન આવતા આખરે ખેડુતોએ સ્વયંભૂ શ્રમયજ્ઞ આદરીને કેનાલોની […]

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની જમીનમાં એક જ વર્ષમાં સેન્દ્રીય કાર્બનના પ્રમાણમાં 0.067 ટકાનો વધારો

અમદાવાદઃ વડોદરા જિલ્લામાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોની જમીનની ફળદ્રુપતામાં વધારો થયો હોવાનું સોઇલ ટેસ્ટમાં ફલિત થવા પામ્યું છે. પ્રાકૃતિક ખેતી કરતા પહેલા અને બાદમાં લેવામાં આવેલા માટીના નમૂનાનો સોઇલ હેલ્થ ટેસ્ટ કરવામાં આવતા આ જમીનોમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધ્યું હોવાનું પૂરવાર થયું છે. રાસાણિક ખાતરોના દુષ્પરિણામો પહેલાની જમીન કેવી હતી ? તેની સાદી સમજ જોઇએ તો […]

દિવાળી પહેલા ખેડૂતોને સરકારની ભેટ,કેબિનેટે ખાતર સબસિડીને આપી મંજૂરી

દિલ્હી: દિવાળી પહેલા સરકારે ખેડૂતોને ભેટ આપવાની જાહેરાત કરી છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે ફાયદાકારક નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીએ ખાતર સબસિડીને મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોષક તત્વો આધારિત ખાતર સબસિડી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ મંજૂરી આ રવિ સિઝન માટે આપવામાં આવી છે. […]

તાપીમાં 18 વર્ષથી બંધ પડેલી સુગર ફેક્ટરી ફરી કાર્યરત કરાઈ : ખેડૂતોને મળશે ફાયદો

અમદાવાદઃ તાપી જિલ્લાના ખુશાલપુરા ખાતે છેલ્લા 18 વર્ષથી બંધ હાલતમાં પડેલી સુરગ ફેક્ટરીને ફરીથી શરુ કરવામાં આવી છે. આ ફેક્ટરી પુનઃ કાર્યરત થતા ખેડૂતોને મોટો ફાયદો થશે. તાપીના પ્રભારી અને વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના […]

દેશમાં વર્ષ 2027 સુધીમાં બે કરોડથી વધારે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા હશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ લિમિટેડ (NCEL) નો લોગો, વેબસાઇટ અને બ્રોશર લોન્ચ કર્યું હતું. તેમજ કેન્દ્રીય મંત્રીએ NCELના સભ્યોને સભ્યપદ પ્રમાણપત્રોનું પણ વિતરણ કર્યું હતું. આ પ્રસંગ્રે કેન્દ્રીય સહકાર મંત્રીએ જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓને નિકાસની તકો ઉપલબ્ધ કરાવવા માટે રાષ્ટ્રીય સહકારી નિકાસ લિમિટેડ (NCEL) […]

ખેડુતો ખરીફ પાકના ટેકાના ભાવે વેચાણ માટેની નોંધણી હવે 31 મી ઑક્ટોબર સુધી કરી શકશે

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ખેડૂતોને નોંધણી કરાવવા ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. 25-09-2023 થી તા. 16-10- 2023 સુધી ખુલ્લું […]

ટામેટાના ભાવમાં થયેલા ઘટાડાના પગલે ખેડૂતોની મુશ્કેલી વધી, સરકાર પાસે મદદની આશા

નવી દિલ્હીઃ દેશમાં ટામેટાના ભાવ સામાન્ય થતા મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, હવે ટામેટાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એટલું જ નહીં ખેડૂતોને ટામેટાના પાકનું વેચાણ કરતા ખેતીના પુરતા પૈસા પણ નીકળતા નહીં હોવાનું જાણવા મળે છે. જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે, તેમજ જ્યારે ટામેટાના ભાવ વધ્યા ત્યારે જનતાને રાહત માટે […]

ખેડુતોને શાકભાજીના પડતર ભાવ પણ મળતા નથી, વચેટિયા ધૂમ કમાય છે, ગ્રાહકો લૂંટાય છે

રાજકોટ: સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં શાકભાજીનું વાવેતર સારા પ્રમાણમાં કરાયું છે. ખેડુતો શાકભાજી વેચવા માટે માર્કેટ યાર્ડમાં આવે છે. તો પુરતા ભાવ મળતા જ નથી. ખેડુતોને લીલા શાકભાજી માર્કેટિંગ યાર્ડ સુધી લાવવાનો ટ્રાન્સપોર્ટિંગનો ખર્ચ પણ નિકળતો નથી.બીજીબાજુ ગ્રાહકોને પણ સસ્તુ શાકભાજી મળતુ નથી, એટલે વચેટિયાઓ ધૂમ કમાય છે. ખેડુતો જથ્થાબંધ વેપારીઓને ગાંસડીના ભાવે શાકભાજી […]

મનસુખ માંડવિયાએ 3000થી વધુ ખેડૂતો સાથે વર્ચ્યુઅલ રીતે સંવાદ કર્યો

દિલ્હી : “દેશમાં 1.6 લાખથી વધારે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (પીએમકેએસકે) કાર્યરત છે, જેમાં દરેક બ્લોકમાં એકથી વધારે કેન્દ્રો છે. પીએમકેએસકેની પાછળનો ઉદ્દેશ આ પ્રકારનાં 2 લાખથી વધારે કેન્દ્રોનું ‘વન-સ્ટોપ શોપ’ નેટવર્ક ઊભું કરવાનો છે, જેથી ખેડૂતોને ખેતી અને કૃષિ પદ્ધતિઓ વિશેનાં તેમનાં જ્ઞાનમાં વધારો કરવા માટે ગુણવત્તાયુક્ત સુનિશ્ચિત ઉત્પાદનો મળી શકે.” ડો.મનસુખ માંડવિયાએ દેશભરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code