1. Home
  2. ગુજરાતી
  3. ખેડૂતોની દિલ્હી તરફની કુચને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, અનેક સ્થળો ઉપર ટ્રાફિક જામ
ખેડૂતોની દિલ્હી તરફની કુચને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, અનેક સ્થળો ઉપર ટ્રાફિક જામ

ખેડૂતોની દિલ્હી તરફની કુચને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, અનેક સ્થળો ઉપર ટ્રાફિક જામ

0
Social Share

નવી દિલ્હીઃ પંજાબના ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે. સોમવારે ચંદીગઢમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકનું કોઈ પરિણામ આવ્યું ન હતું. જે બાદ ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. મંગળવારે ખેડૂતોના ટ્રેક્ટર અંબાલાની શંભુ બોર્ડર પર પહોંચવા લાગ્યા હતા. જોકે પોલીસે અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ભારે સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે રસ્તામાં ખીલા લગાવ્યા છે. હાઈવે પર દીવાલ બનાવવામાં આવી છે અને તેની સાથે વિશાળ પથ્થરો પણ મૂકવામાં આવ્યા છે. જેથી ખેડૂતો દેશની રાજધાની દિલ્હી સુધી પહોંચી શકતા નથી. બીજી તરફ તેની અસર સામાન્ય જનતા પર પણ પડી રહી છે. ખેડૂતો દિલ્હી પહોંચે તે પહેલા જ શંભુ, ટિકરી અને સિંઘુ બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર ટ્રાફિક જામ શરૂ થઈ ગયો હતો.

દિલ્હી-મેરઠ હાઈવે પર એક કિલોમીટર લાંબો જામ જામ્યો હતો. આવી જ  રીતે બેરિકેડિંગને કારણે NH 9 પર ભારે ટ્રાફિકના દ્રશ્યો સામે આવ્યા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી-નોઈડાની ચિલ્લા બોર્ડર પર, દિલ્હીની કાલંદીકુંજ બોર્ડર પર પણ ભારે ટ્રાફિક જામ થયો હતો. બીજી તરફ ખેડૂતોની ‘દિલ્લી ચલો’ કૂચ વચ્ચે દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર ટ્રાફિકને અસર થઈ રહી છે. ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સવારે સિરહોલ બોર્ડર પર નાકાબંધી કરી દીધી હતી. દરમિયાન, ખેડૂતોના આંદોલનને કારણે કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનનો ગેટ નંબર 2 સાંજ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. આંદોલનના એલાનને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ઘણી જગ્યાએ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. સમગ્ર દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

ગાઝિયાબાદથી દિલ્હી તરફ જતા રસ્તા પર યુપી ગેટ પર સંપૂર્ણ બેરિકેડિંગ લગાવવામાં આવ્યું છે, સામાન્ય લોકોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. લોકોએ મયુર વિહાર થઈને ગાઝિયાબાદ તરફ લગભગ ત્રણ કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડે છે. ફ્લાયઓવરની ઉપરનો રસ્તો હજુ બંધ કરાયો નથી, ઉપરનો રસ્તો પણ પરિસ્થિતિના આધારે બંધ થઈ શકે છે.

દિલ્હી ઈસ્ટર્ન રેન્જના એડિશનલ સીપી સાગર સિંહ કલસીના જણાવ્યા અનુસાર, અમે ખેડૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલી ‘દિલ્હી ચલો’ માર્ચને લઈને ખૂબ જ કડક વ્યવસ્થા કરી છે. અમારો ઉદ્દેશ્ય ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે રોકવાનો છે અને તેના કારણે સામાન્ય લોકોને કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે. અમે આ સ્થિતિને શાંતિપૂર્ણ રીતે નિપટવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. પાક માટે એમએસપીની ખાતરી આપતા કાયદાની માગણી સાથે દિલ્હીમાં ખેડૂતોની વિરોધ કૂચને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસ કર્મચારીઓ અને બેરિકેડ ITO ઇન્ટરસેક્શન પર તૈનાત કરવામાં આવ્યા હતા, CRPFની કલમ 144 લાગુ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code