1. Home
  2. Tag "flight"

રાજકોટ ઉદેપુરની ફ્લાઈટ 15મી ડિસેમ્બરથી બંધ કરાતા પ્રવાસીઓમાં નારાજગી

રાજકોટઃ શહેરની ભાગોળે હીરાસર નજીક નવું ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયા બાદ અનેક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી હતી. જેમાં  ચેમ્બર ઓફ કોમર્સ સહિતના સંગઠનો દ્વારા થયેલી રજૂઆતોને પગલે રાજકોટથી ઉદયપુરની સીધી ફ્લાઈટ ગત ઓગસ્ટ માસમાં શરૂ થઈ હતી. જોકે, ફ્લાઈટ શરૂ થયાના ચાર મહિનામાં ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિન્ટર શેડ્યુલમાં એટલે […]

અમદાવાદથી દુબઈ જઈ ફ્લાઈટનું એક મુસાફરની તબીયત લથડતા કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

નવી દિલ્હીઃ અમદાવાદથી દુબઈ જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનને મેડિકલ ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચીના મોહમ્મદ અલી ઝીણા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. કરાચી એરપોર્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, ફ્લાઈટએ રાત્રે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ દરમિયાન 27 વર્ષના એક વ્યક્તિને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ના પ્રવક્તાએ જણાવ્યું હતું […]

23 નવેમ્બરના રોજ લગભગ 4 લાખ 63 હજાર 417 મુસાફરો ફ્લાઇટમાં થયા સવાર,ભારતીય સ્થાનિક ઉડ્ડયનમાં બન્યો નવો રેકોર્ડ

ડોમેસ્ટિક એર પેસેન્જર્સની સંખ્યા નવા રેકોર્ડને સ્પર્શી ભારતના ઘરેલુ વિમાનમાં જબરદસ્ત ફેરફાર જોવા મળ્યો ગુરુવારે 4,63,417 પેસેન્જર્સ ફ્લાઈટમાં સવાર થયા દિલ્હી: ભારતનો ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક શનિવારે નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ગુરુવારે લગભગ 4,63,417 લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. નવેમ્બરમાં ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક ઓછામાં ઓછા ચાર વખત નવા ઉચ્ચ રેકોર્ડ પર પહોંચ્યો […]

ટેકનિકલ ખામી બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટને રશિયામાં લેન્ડ કરાઈ:અમેરિકા રાખી રહ્યું છે ચાંપતી નજર

દિલ્હી : એર ઈન્ડિયા રશિયા માટે ફેરી ફ્લાઈટ મોકલી રહી છે, ઈમરજન્સી લેન્ડિંગ બાદ તે ફસાયેલા મુસાફરોને અમેરિકા લઈ જશે. એન્જિનની ખામી બાદ ફ્લાઇટ 216 મુસાફરો અને 16 ક્રૂ સાથે સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. અગાઉ, યુ.એસ.એ કહ્યું હતું કે સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ થયા બાદ તે પરિસ્થિતિ પર નજીકથી […]

કર્ણાટકના કાલબુર્ગી એરપોર્ટ ઉપર હવે ફ્લાઈટ નાઈટ લેન્ડિંગ કરી શકશે

  નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કર્ણાટકના કાલબુર્ગી એરપોર્ટ પર નાઇટ લેન્ડિંગ સુવિધાને મંજૂરી આપી છે. 22 નવેમ્બર 2019ના રોજ કર્ણાટકના તત્કાલિન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા દ્વારા કલાબુર્ગી એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પાસે રનવે 09-27 (3175 m x 45 m) અને પાર્કિંગ 03 એરક્રાફ્ટ (1 A-320, 02 ATR 72/Q-400) માટે યોગ્ય […]

ચંદ્રયાન-3ને લઈને ઈસરોએ આપ્યું મોટું અપડેટ,જાણો અંતરિક્ષમાં ક્યારે ભરશે ઉડાન?

દિલ્હી : ચંદ્રયાન-3ના લોન્ચિંગને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેને જુલાઈમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સાથે જોડાયેલા એક અધિકારીએ શનિવારે તેની માહિતી આપી. તેમણે કહ્યું કે જુલાઈમાં ચંદ્રયાન-3 લોન્ચ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ પછી આદિત્ય-એલ1 લોન્ચ થશે. આદિત્ય-એલ1 એ સૂર્યનો અભ્યાસ કરવા માટેનું […]

કોઈમ્બતુર એરપોર્ટ ઉપર UAEથી આવેલા મુસાફર પાસેથી 3.8 કરોડનું સોનુ પકડાયું

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે શારજાહથી કોઈમ્બતુર આવી રહેલી ફ્લાઈટમાંથી કરોડોની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા 11 મુસાફરોને કોઈમ્બતુર એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા અને તેમાંથી એક પાસેથી 6.62 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રૂ. 3.8 કરોડની કિંમતનું 6.62 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કોઈમ્બતુર ડિરેક્ટોરેટ […]

અમદાવાદ- ભૂજની ફ્લાઈટના પ્રવાસીઓને 6 કલાક બેસાડી રાખયા બાદ કહ્યું કે, ફ્લાઈટ રદ કરી છે

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક એરપોર્ટ પરથી સ્ટાર એરની ફલાઇટમાં ભુજ જતા 50 પેસેન્જરોએ એરપોર્ટ પર છ કલાક રાહ જોયા બાદ ફલાઇટ રદ કરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બેલગામથી અમદાવાદ આવતી ફલાઇટમાં ટેકઓફ પહેલા કેપ્ટનને એન્જિનમાં યાંત્રિક ખામી હોવાનું જણાયું હતું. આમ ફલાઇટને ટેકનિશિયનો દ્વારા ચેક કરવામાં આવતા પહેલા થોડીવારમાં રિપેર થઇ ગયા […]

ઈન્ડિગો 2 માર્ચથી ઈટાનગરથી દિલ્હીની સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવા તૈયારઃ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી

ઇટાનગર:ઈટાનગરથી દિલ્હીની સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. ઈન્ડિગો 2 માર્ચથી આ ફ્લાઈટ સેવા શરૂ કરશે.આ અંગે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ માહિતી આપી હતી. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ રવિવારે જણાવ્યું હતું કે,ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો 2 માર્ચથી ઇટાનગરના ડોની પોલો એરપોર્ટથી દિલ્હી માટે તેની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવા માટે તૈયાર છે.ખાંડુએ […]

અમદાવાદના એરપોર્ટ પર ફ્લાઈટમાં યાંત્રિક ક્ષતિ સર્જાતા મુસાફરોને બે કલાક બેસી રહેવું પડ્યું

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર રવિવારે રાતના સમયે મુંબઈ જતી ફ્લાઈટમાં યાંત્રિક ખામી સર્જાતા ફ્લાઈટને રન-વે પરથી રિટર્ન કરવી પડી હતી. તેમજ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલા 156 પ્રવાસીઓને બે કલાક બેસી રહેવું પડ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી મુંબઈની એર ઇન્ડિયાની ફલાઈટના એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાતા રન-વે પરથી રિટર્ન કરવી પડી હતી, જેના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code