1. Home
  2. Tag "girnar"

ગિરનારની લીલી પરિક્રમામાં ત્રણ દિવસમાં 13 લાખથી વધુ યાત્રિકો નોંધાયા, ગત વર્ષનો રેકોર્ડ તૂટ્યો

જુનાગઢઃ ગરવો ગઢ ગિરનાર, સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર. આદિ અનાદી કાળથી ચાલી આવતી પરંપરા એટલે ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમા, દર વર્ષે કારતક સુદ અગિયારસથી યોજાતી લીલી પરિક્રમામાં આ વખતે રેકોર્ડ બ્રેક પદયાત્રિકો નોંધાયા છે.  પવિત્ર લીલી પરિક્રમાને ત્રણ દિવસ પૂર્ણ થયા છે. ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક ભાવિકોની સંખ્યા નોંધાઈ હતી. […]

ગિરનારની લીલી પરિક્રમામાં ગંદકી નહીં કરવા શ્રદ્ધાળુઓને સાધુ-સંતોએ કરી અપીલ

જૂનાગઢઃ ગોરખનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુએ ગરવા ગિરનારની પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો છે કે, ગિરનાર લીલી પરિક્રમાના મહાત્મય પ્રમાણે સમયસર એટલે કારતક સુદ – 11થી પરીક્રમા શરૂ કરી પુણ્યનું ભાથું બાંધીએ. સાથો સાથ આ સિદ્ધક્ષેત્ર ગિરનારમાં પરિક્રમા દરમિયાન કોઈપણ પ્રકારે ગંદકી ન ફેલાય તે માટે વિશેષ કાળજી રાખીએ. શ્રી શેરનાથ બાપુએ જણાવ્યું […]

15મી સદીમાં નિર્માણ પામેલા આ મંદિરનો જાણો ઈતિહાસ

ભારત એક ધાર્મિક દેશ છે, અહિયાં સનાતન ધર્મને લગતી અનેક વાતો અનેક જગ્યા પર જોવા મળે છે. આવામાં જો વાત કરવામાં આવે ગુજરાતમાં આવેલા ગિરનારની તો ત્યાં આજથી લગભગ 500 વર્ષ પહેલા એક મંદિર બનાવવામાં આવ્યું હતુ, અને તેનો ઇતિહાસ કઈક આવો છે. જાણકારી અનુસાર, જૂનાગઢની ગિરનાર ટેકરી પર આવેલ દેવી અંબિકાને સમર્પિત મંદિર છે. […]

ગિરનારના પ્રવાસન સ્થળ અને તિર્થસ્થાનના વિકાસ માટે 144 કરોડના ખર્ચને મંજુરી

ગાંધીનગર:  સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન ગણાતા ગરવા ગઢ ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે. એટલું જ નહીં, યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ-વે […]

ગિરનાર પર વાતાવરણમાં પલટો, ભારે પવન અને વરસાદી માહોલ સર્જાતા રોપ-વે બંધ રખાયો

જુનાગઢઃ સોરઠ પંથકમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે બંધ રાખવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ વે બંધ કરવામાં આવ્યો છે. માં અંબાના દર્શને આવતા પ્રવાસીઓ ગિરનારની સીડીઓ ચડવા મજબૂર થઇ રહ્યા છે. જેના કારણે પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી શકે છે. ગિરનારમાં ઉનાળાના વેકેશનને […]

જૂનાગઢઃ 4 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે

અમદાવાદઃ જૂનાગઢમાં દેવ ઉઠી એકાદશીથી ગિરનારની લીલી પરિક્રમાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન નડે તે માટે આરોગ્ય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આગામી તારીખ 4 નવેમ્બરથી શરૂ થનારી લીલી પરિક્રમા દર વર્ષે દેવ ઉઠી એકાદશીથી શરૂ થઈ કાર્તિકી પૂર્ણિમા સુધી એટલેકે પાંચ દિવસ સુધી યોજાય […]

ગરવા ગિરનારના જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી, ઠેર ઠેર ઝરણાથી અનોખો નજારો સર્જાયો

જુનાગઢઃ સોરઠ પંથકમાં આ વખતે ચોમાસાના પ્રારંભથી જ સારોએવો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે વનરાજી ખીલી ઊઠી છે. અને ગરવા ગિરનારે તો જાણે લીલી ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખળખળ વહેતા ઝરણાંઓ ઉછળકૂદ કરી રહ્યાં છે. જમજીરનાં ધોધને લીધે અનોખો નજારો જોવા મળી રહ્યો છે. ગીર જંગલ અને ગીર સોમનાથ જિલ્લામાં […]

જૂનાગઢના ગિરનાર ખાતે રાષ્ટ્રીય કક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 11 રાજ્યનાં 449 સ્પર્ધકો જોડાયાં

જુનાગઢઃ ગિરનાર પર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. કઠિન ગણાતી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો  વહેલી સવારે મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં દેશના જુદા જુદા 11 રાજ્યોમાંથી 449 સ્પર્ધકોએ ભાગ લઈ દોડ લગાવી હતી.વિજેતા બનેલા સ્પર્ધકોને બીરદાવવામાં આવ્યા હતા. રાજ્યના રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા […]

ગિરનારની પરિક્રમામાં લોકો નહીં જઈ શકે, માત્ર 400 સાધુ-સંતોને જ મંજુરી

જુનાગઢઃ ગરવા ગિરનારની લીલી પરિક્રમાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે., ત્યારે માત્ર 400 સાધુ સંતોને જ મંજુરી આપવામાં આવશે. પણ લોકોને પરિક્રમા માટે મંજુરી આપવામાં નહીં આવે, એવો જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે દિવાળીબાદ જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિધ્યમાં યોજાતી લીલી પરિક્રમા સતત બીજા વર્ષે ફક્ત સાધુ-સંતો માટે જ પ્રતિકાત્‍મક રીતે […]

ગિરનારની લીલી પરિક્રમાને મંજુરી, પણ માત્ર 400 લોકો જ પરિક્રમા કરી શકશે

જૂનાગઢઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે નિયંત્રણો પણ ઉઠાવી લીધા છે. ત્યારે આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમાને મંજુરી આપવામાં આવી છે. બે વર્ષ સુધી બંધ રહેલી ગિરનારની લીલી પરિક્રમાને આખરે લીલી ઝંડી મળી ગઈ છે. કલેક્ટરે યોજેલી બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, આ લીલી પરિક્રમામાં ભાગ લેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code