1. Home
  2. Tag "governor"

વરુણ ધવનની ફિલ્મ બેબી જોનને લઈને રાજ્યપાલે કર્યો ચોંકાવનારો ખુલાસો

વરુણ ધવનની ફિલ્મ બેબી જોન સિનેમાઘરોમાં ચાલી રહી છે પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો નથી. ફિલ્મ ફ્લોપ ગઈ છે. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ખૂબ જ નબળું છે. આ ફિલ્મમાં વરુણ ધવન ઉપરાંત કીર્તિ સુરેશ, જેકી શ્રોફ, વામિકા ગબ્બી જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં રાજપાલ યાદવે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તાજેતરમાં […]

તમિલનાડુ વિધાનસભામાં રાષ્ટ્રગીતનું અપમાન! નારાજ રાજ્યપાલ ગૃહમાંથી નીકળી ગયા

ચેન્નાઈ: તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિએ સોમવારે બંધારણ અને રાષ્ટ્રગીતના અપમાનથી નારાજ થઈને રાજ્ય વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો હતો. રાજભવને આ માહિતી આપી હતી. રાજ્યપાલ રવિ પરંપરાગત સંબોધન કરવા ગૃહમાં આવ્યા હતા. રાજ્યપાલ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં આરોપ લગાવ્યો છે કે રવિએ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને એસેમ્બલી સ્પીકર એમ અપ્પાવુને વારંવાર રાષ્ટ્રગીત […]

આરીફ મોહમ્મદ ખાને બિહારના રાજ્યપાલ તરીકે શપથ લીધા

પટનાઃ આરિફ મોહમ્મદ ખાને ગુરુવારે બિહારના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે. વિનોદ ચંદ્રને ગુરુવારે અહીં રાજભવન ખાતે આયોજિત સમારોહમાં તેમને પદના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, રાજ્યના અનેક મંત્રીઓ અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. ખાન અગાઉ કેરળના રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેઓ […]

ધરતી પર આડેધડ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને ધરતીને બરબાદ કરી તેને પથ્થર જેવી બંજર બનાવી દીધીઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે ભાવનગરના બગદાણા ખાતે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન-બગદાણા દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂત દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આ ધરતી પર સૌના પેટ ભરવાનું કામ ખેડૂતો કરે છે, ખેડૂતો સૌથી મોટા પરોપકારી છે. તેમણે આવનારી પેઢીના ભલા માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી […]

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિની ભવ્ય જીત બાદ મહાયુતિના સભ્ય ભાજપા, શિવસેના(શિંદે) તથા એનસીપી (અજીત પવાર) દ્વારા નવી સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમના સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને […]

ધરતીને પુનઃ ફળદ્રુપ બનાવવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે : રાજ્યપાલ

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દ્વિતીય આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો. ‘પ્રાકૃતિક ખેતીમાં નવા સંશોધનો : ધરતી અને બીજની ગુણવત્તામાં વૃદ્ધિ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI અને ડ્રોનનો ઉપયોગ’ વિષય પર આધારિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ધરતી માતા આપણે જીવીએ ત્યાં સુધી આપણને પ્રાકૃતિક સંપદા આપે છે. આપણે અનાજનો એક દાણો ધરતી માતાને આપીએ […]

5000 લોકોએ 2.50 લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રે કરી અનોખી પહેલ

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતા અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેને પરિણામે કેન્સર, હ્રદયરોગ અને મધુપ્રમેહ જેવી બિમારીઓ વધી છે. આ બધામાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, તેમ જણાવતાં […]

હર ઘરમાં ખુશીઓના દીવડા દૈદિપ્યમાન રહે એવી રાજ્યપાલએ દિવાળીની પાઠવી શુભકામના

પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો જ ઉપયોગની હિમાયત, તમામ ગુજરાતીઓને નૂતનવર્ષના સાલ મુબારક પાઠવ્યા, અંધકારમાંથી અજવાળા તરફના પ્રયાણનું પર્વ એટલે દિવાળી ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ સૌ ગુજરાતી ભાઈ-બહેનોને દિવાળીની શુભકામનાઓ અને નૂતન વર્ષના ‘સાલ મુબારક’ પાઠવ્યા છે. દિપાવલી અને નૂતન વર્ષના શુભ અવસરે હાર્દિક શુભકામનાઓ પાઠવતાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, અંધકારમાંથી અજવાળા […]

પ્રાકૃતિક ખેતી સફળ ખેતી પદ્ધતિ છે, વિજ્ઞાન છે, સુખનો માર્ગ છે : રાજ્યપાલ

SPNF એસોના સંયોજકોને રાજ્યપાલે કર્યુ સંબોધન, રાજ્યપાલના હસ્તે સંયોજકોનું સન્માન કરાયું, ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી સફળ ખેતી પદ્ધતિ છે, વિજ્ઞાન છે. સુખનો માર્ગ છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે રાજ્યમાં પ્રવૃત્ત અને પ્રયત્નશીલ સ્વૈચ્છિક સંગઠન સસ્ટેનેબલ પ્રોગ્રેસિવ નેચરલ ફાર્મિંગ એસોસિએશનના રાજ્ય સંયોજકોને સંબોધતાં કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રેરિત કરવા તે પરોપકારનું કામ […]

ગુજરાતઃ PM મોદીને જન્મ દિવસ નિમિત્તે રાજ્યપાલ અને ભૂપેન્દ્ર પટેલે આપી વિશેષ ભેટ

અમદાવાદઃ ગરવી ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પો અર્પણ કરીને સમગ્ર ગુજરાતના નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શાલ ઓઢાડીને પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.  ગુજરાતના ધર્મ-કર્મ અનુરાગી નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવતાં તેમણે પ્રધાનમંત્રીના સર્વાધિક યોગક્ષેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code