1. Home
  2. Tag "Graduation Ceremony"

નવી શિક્ષણ નીતિથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છેઃ મુખ્યમંત્રી

વડોદરાઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિના અમલીકરણથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છે. આ નવી શિક્ષણ નીતિમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાના પણ દર્શન થાય છે. તેમણે ઉમેર્યું  કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે. દેશમાં હવે ઉચ્ચ શિક્ષણમાં પણ માતૃભાષામાં અભ્યાસ કરાવવામાં […]

યુવાનોએ નિષ્ફળતાનો ભય રાખ્યા વિના સફળ થવા માટે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએઃ ઉપરાષ્ટ્રપતિ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના 72 મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના 51622 વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના અધ્યક્ષપદે આયોજિત આ દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવ્રતજી, CM ભૂપેન્દ્ર પટેલ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી અને મહાનુભાવોએ ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં નવનિર્મિત અટલ – […]

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના 19માં પદવીદાન સમારોહમાં 628 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત

જુનાગઢઃ ગુજરાતના રાજયપાલ અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને, આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ 628 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલના હસ્તે 64 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ/ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને એક રોકડ પુરસ્કાર એનાયત ક૨વામાં આવ્યા હતા. કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત […]

નવી દિલ્હીઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિસનો 9મો પદવીદાન સમારંભ યોજાયો

નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિસ (આઇએલબીએસ)નાં નવમા પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આઈએલબીએસએ વિશ્વ કક્ષાની કાર્યક્ષમતા અને અખંડિતતાના બળ પર માત્ર 13 વર્ષના ગાળામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તેમને એ જાણીને આનંદ થયો કે આઈએલબીએસ ખાતે 1000 થી વધુ યકૃત પ્રત્યારોપણ અને […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ રાજ્યપાલની ઉપસ્થિતિમાં 21મી ડિસેમ્બરે યોજાશે,

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી 21મી ડિસેમ્બરના રોજ યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 14 ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી કમિટી ન રચાતા પદવીદાન સમારોહ જૂના સેનેટ સભ્યોની હાજરીમાં જ પદવીદાન સમારોહ યોજવો પડશે સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ પાડવામાં […]

નિરમા યુનિવર્સિટીને પદવીદાન સમારોહ શનિવારે યોજાશે, 55 વિદ્યાર્થીઓને અપાશે મેડલ

અમદાવાદઃ નિરમા યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ કાલે 4 નવેમ્બરને શનિવારના રોજ યોજાશે. આ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ટેક મહિન્દ્રાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સી પી ગુરનાની ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નિરમા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. કરસન પટેલ અને અન્ય બોર્ડના સભ્યો આ કાર્યક્રમમાં હાજરી આપશે. નિરમા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના 44 પીએચડી, 790 અનુસ્નાતક […]

ગુજરાત નેશનલ લો યુનિ.ના 12માં પદવીદાન સમારોહમાં 245 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત

ગાંધીનગરઃ શહેરના રાયસણ સ્થિત ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટી ખાતે 12 પદવીદાન સમારોહ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ એમ આર શાહના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કુલ 245 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. જે પૈકી 20 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહે જણાવ્યું હતું કે, યુવાનો દેશનું ભવિષ્ય […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શુક્રવારે પદવીદાન સમારોહ, 126 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આગામી તારીખ 20 જાન્યુઆરીને શુક્રવારના રોજ  યોજાનારા 57મા પદવીદાન સમારોહ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ નવનિયુક્ત શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસુરીયા ઉપસ્થિતમાં પદવીદાન યોજાશે.  પદવીદાન સમારોહમાં  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 126 વિદ્યાર્થીઓને 145 ગોલ્ડ મેડલ એનાયત કરાશે. અને કુલ 43,062 વિદ્યાર્થીઓને પદવી એનાયત […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 20મી જાન્યુઆરીએ પદવીદાન સમારોહ યોજાશે, 126 વિદ્યાર્થીઓને મેડલ અપાશે

રાજકોટઃ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી તા. 20મી જાન્યુઆરી-2023ના રોજ યોજાશે. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે 43,062 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરાશે. જુદી જુદી વિદ્યાશાખામાં સૌથી વધુ ગુણ મેળવનારા 126 વિદ્યાર્થીને રાજ્યપાલના હસ્તે 147 ગોલ્ડ મેડલ અપાશે જેમાં સૌથી વધુ મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 20મી જાન્યુઆરીએ યોજાનારા પદવીદાન સમારોહની તૈયારીઓ શરૂ […]

ઇન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાશે

અમદાવાદઃ દેશની ભાવિ પેઢીઓ માટેના ઉત્કૃષ્ટ શિક્ષકોના નિર્માણ માટે કટિબદ્ધ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ઇન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (આઈ.આઈ.ટી.ઈ.)નો પાંચમો અને બાળસંભાળ, શિશુશિક્ષણ અને શાળાશિક્ષણ ક્ષેત્રે  કાર્યરત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ત્રીજો  પદવીદાન  સમારોહ 29 ઓક્ટોબર ,શનિવાર લાભપાંચમના શુભ દિને  આઈ.આઈ.ટી.ઈ. ગાંધીનગરના પ્રાંગણમાં યોજાશે. ગુજરાતના રાજ્યપાલ અને ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code