1. Home
  2. Tag "gujarat"

ગુજરાતના માર્ગો બન્યા રક્તરંજીત, દાહોદ અને સુરેન્દ્રનગરમાં એકસ્માતમાં 10ના મોત

અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અસ્માતના બનાવોમાં વદારો થયો છે. દરમિયાન સુરેન્દ્રનગર અને દાહોદમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 જેટલા વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. અકસ્માતના આ બનાવોમાં ત્રણેક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના ઝમર નજીકથી એક જ પરિવારના પાંચ સભ્યો મોટરકારમાં પસાર થઈ રહ્યો હતો. આ પરિવાર માતાજીની માનતા પુરી કરવા માટે દર્શન […]

ગુજરાતમાં સ્ટેટ જીએસટી વિભાગના 52 સ્થળોએ દરોડા, રૂપિયા 8 કરોડથી વધુ કરચોરી પકડાઈ

અમદાવાદઃ ગુજરાત દેશનું ઓદ્યાગિક સ્ટેટ બની રહ્યું છે. તેના લીધે જીએસટીની આવકમાં ગુજરાત મોખરે છે. કેટલાક વેપારીઓ દ્વારા જીએસટીની કરચોરી કરાતી હોય છે. ત્યારે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યમાં 52 સ્થળોએ દરોડા પાડીને 8 કરોડથી વધુની કરચોરી પકડી પાડી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ GST વિભાગ દ્વારા માર્કેટમાં વિવિધ સેક્ટરમાં ચાલતી પ્રવર્તમાન વ્યાપાર કામગીરીનો અભ્યાસ […]

સ્વચ્છતા હી સેવા’ અભિયાન, ગુજરાતભરમાં બે મહિના સુધી સફાઈ અભિયાન વ્યાપક બનાવાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 15 સપ્ટેમ્બરથી 2ઓક્ટોબર સુધી યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં હાથ ધરાયેલી વિવિધ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ આ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન રાજ્યમાં આગામી બે મહિના સુધી વધુ વ્યાપક બનાવીને સમગ્ર રાજ્યમાં જનસહયોગથી સ્વચ્છતા સફાઈ અભિયાન આગળ ધપાવવા આ […]

ગુજરાતમાં 157 નગરપાલિકાઓને રોડ રીસરફેસિંગના કામો માટે રૂપિયા 100 કરોડ ફાળવાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની જનસુવિધા સુખાકારી વૃદ્ધિની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ ચોમાસામાં વરસાદને કારણે નગરોના માર્ગો – રસ્તાઓને થયેલા નુકસાનની મરામત માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ 100 કરોડ રૂપિયા 157 નગર પાલિકાઓને ફાળવવાની મંજૂરી આપી છે. 100 કરોડ રૂપિયાની આ રકમમાંથી […]

ધોરણ-1માં 6 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને પ્રવેશના નિયમથી 33 ટકા શાળાઓમાં એકપણનો પ્રવેશ નહીં

રાજકોટ: ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-1માં 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. 6 વર્ષથી ઓછી વયના બાળકોને બાળવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આથી આ વર્ષે ધારણ-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ગુજરાતમાં 33 ટકા સરકારી શાળાઓમાં ધોરણ-1માં એકપણ વિદ્યાર્થીનો પ્રવેશ થયો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના તમામ […]

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 24.87 લાખ ટન થવાનો અંદાજ, દેવભૂમિ દ્વારકા જિલ્લો પ્રથમ રહેશે

રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષે  સારા વરસાદ અને સિચાઈની કોઈ અગવડ ન પડતા મગફળીનું બમ્પર ઉત્પાદન થવાની શક્યતા છે. જો કે ઝાલાવડ પંથક સહિત કેટલાક વિસ્તારોમાં મગફળીના પાકમાં સુકારા નામના રોગચાળાને કારણે ઉત્પાદનમાં થોડી અસર પણ થઈ છે. આમ છતાં ગુજરાતમાં 24.87 લાખ ટન મગફળીનો પાક થવાની ધારણા છે. આ વખતે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં […]

નવરાત્રિ મહોસત્વઃ રાજકોટમાં રામ રાસ સ્ટેપ જમાવશે આગવુ આકર્ષણ

અમદાવાદઃ નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, બીજી તરફ યુવાનોમાં નવરાત્રિને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે, યુવાનો હાલ ગરબાની પ્રેક્ટીસ કરી રહ્યાં છે. દરમિયાન રાજકોટમાં આ વખતે ગરબાના અનોખા સ્ટેપ જોવા મળશે. રાજકોટમાં ચાલુ વર્ષે યુવાનો દ્વારા રામ રાસ સ્ટેપથી ધૂમ મચાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં દર વર્ષે […]

ભારતની કુલ સિરામિક નિકાસમાં ગુજરાતનો હિસ્સો 80 ટકા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ માટે સજ્જ થઈ રહ્યું છે. 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે રાજ્યમાં 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. આ […]

ગુજરાતમાં 27મી ઓક્ટોબરથી 9મી સપ્ટેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે

ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  તા.27 ઑક્ટોબર, 2023ના રોજ મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ કરવામાં આવશે. આ મતદારયાદી કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ બૂથ લેવલ અધિકારી પાસે જોવા મળી શકશે. આ ઉપરાંત મુસદ્દા મતદાર યાદીની સૉફ્ટ કૉપી મુખ્ય નિર્વાચન અધિકારીની […]

ગુજરાતમાં લગ્ન નોંધણીમાં ગોલમાલનો આક્ષેપ, પોલીસ વેરિફિકેશનો નિયમ બનાવોઃ SPG

અમદાવાદઃ ગુજરાતમાં લગ્ન નોંધણીમાં કેટલાક સ્થળો પર ગોલમાલ થતી હોવાનો પાટિદારોના સરદાર પટેલ ગૃપ (SPG)એ આક્ષેપ કર્યો છે. SPGના લાલજી પટેલે આક્ષેપ કર્યો હતો. કે, રાજ્યના 5 વિસ્તારોમાં 4130 લગ્નો ખોટી રીતે થયા છે. આણંદ, બનાસકાંઠા, અમરેલી અને ખેડા જિલ્લામાં આવી ખોટી રીતે લગ્ન કરનારાની સંખ્યા વધારે છે. કેટલાક કિસ્સામાં લગ્ન વિધિ ન થઈ હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code