1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના માર્ગો બન્યા રક્તરંજીત, દાહોદ અને સુરેન્દ્રનગરમાં એકસ્માતમાં 10ના મોત
ગુજરાતના માર્ગો બન્યા રક્તરંજીત, દાહોદ અને સુરેન્દ્રનગરમાં એકસ્માતમાં 10ના મોત

ગુજરાતના માર્ગો બન્યા રક્તરંજીત, દાહોદ અને સુરેન્દ્રનગરમાં એકસ્માતમાં 10ના મોત

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અસ્માતના બનાવોમાં વદારો થયો છે. દરમિયાન સુરેન્દ્રનગર અને દાહોદમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 જેટલા વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. અકસ્માતના આ બનાવોમાં ત્રણેક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના ઝમર નજીકથી એક જ પરિવારના પાંચ સભ્યો મોટરકારમાં પસાર થઈ રહ્યો હતો. આ પરિવાર માતાજીની માનતા પુરી કરવા માટે દર્શન જઈ રહ્યો હતો. દરમિયાન સામેથી આવતી ટ્રક સાથે કાર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતને પગલે કારમાં સવાર પરિવારની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માતમાં સ્થળ પર જ 3 વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં એક વ્યક્તિનું મોત થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત દાહોદમાં પણ ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઈવે પરથી એક રીક્ષા પસાર થઈ રહી હતી. આ રિક્ષા પાટીયાઝોલ તળાવ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી આવતી ટ્રક સાથે રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે રિક્ષામાં સવાર પ્રવાસીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં છ વ્યક્તિઓના સ્થળ પર જ કરુણ મોત થયાં હતા. બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ બનાવની જાણ થતા ગરબાડા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code