1. Home
  2. Tag "Gujarati Akhbar"

અંબાજીમાં ભાદરવી પૂનમના દર્શને જતા પદયાત્રીઓ માટેના સેવાકેમ્પની નોંધણી ફરજિયાત

અંબાજી મંદિરની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી, અંબાજી ખાતે 1લી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે, ઓનલાઇન નોંધાયેલા સેવા કેમ્પોની ચકાસણી કરી પ્રાંત અધિકારી દ્વારા મંજૂરી અપાશે, અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો 7 દિવસનો મહામેળો યોજાય છે. ભાદરવી પૂનમના દિને અંબાજી માતાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. અને લાખોની સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે ઉમટી પડતા હોય છે. […]

સુરેન્દ્રનગર જિલ્લો કપાસના વાવેતરમાં મોખરે, 3.66 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર

કપાસમાં ચુસિયા, મગફળીમાં સુકારાના રોગનો ઉપદ્રવ, જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 5,07,250 કુલ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયુ, નર્મદાના નીરથી સંચાઈનો લાભ મળતા કપાસના વાવેતરમાં વધારો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં સિંચાઈ માટે નર્મદા યોજનાનો લાભ મળ્યા બાદ કપાસના વાવેતરમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 5,07,250 કુલ હેકટરમાં ખરીફ વાવેતર થયુ છે. જેમાં ખેડૂતોએ સૌથી વધુ 3,66,919 […]

ગાંધીનગરમાં ગેરકાયદેસર ખનીજ ખનન સામે તંત્રની કડક કાર્યવાહી, 8 ડમ્પર પકડાયા

ડમ્પરના માલિકો પાસેથી 10 લાખથી વધુનો દંડ વસુલાયો, ખનિજચોરી સામે સતત ચેકિંગની કાર્યવાહી કરવા કલેકટરનો આદેશ, ઓવરલોડ ડમ્પરો સામે પણ કાર્યવાહી કરાશે ગાંધીનગરઃ જિલ્લામાં ખનીજ માફિયાઓને કોઈનો ડર ન હોય તેમ ખનીજચોરીના બનાવો વધતા જાય છે. ત્યારે જિલ્લા કલેકટરની સુચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમે બિનઅધિકૃત ખનીજ ખનન અને વહન સામે વિશેષ અભ્યાન […]

રાજકોટમાં હેલ્મેટ સામે પોલીસ ઝૂંબેશ શરૂ કરે તે પહેલા કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ

કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા નાગરિકોની સહી ઝૂંબેશ, શહેરમાં રોડ-રસ્તાની બદતર હાલત સુધારો ત્યારબાદ હેલ્મેટ ફરજિયાત બનાવો, 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતનો પરિપત્ર રદ કરવાની માગણી રાજકોટઃ ગુજરાતભરમાં દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટનો કાયદો અમલમાં છે. ત્યારે રાજકોટના પોલીસ કમિશનર દ્વારા પરિપત્ર જારી કરીને શહેરમાં 8મી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતનો કાયદો લાગુ પાડવામાં આવશે. એવી જાહેરાત કરાતા શહેર કોંગ્રેસ […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરના ઠેર ઠેર ખાડાઓથી વાહનચાલકો પરેશાન

હાઈવેના 11 બ્રિજ પર પણ ખાડા પડ્યા, પોર બ્રિજ પર ગાડીનું અડધું ટાયર ઘૂસી જાય એટલા ખાડા, હાઈવે પર ટોલ ટેક્સની અઢળક આવક છતાંયે ખાડાઓ પુરાતા નથી વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાઓને લીધે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. જેમાં વડોદરાથી ભરૂચ સુધી તો ઉબડ-ખાબડ હાઈવેથી ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. અંકલેશ્વર […]

વડોદરામાં વરસાદી સીઝનમાં રોગચાળો અટકાવવા ચાર ઝોનમાં સફાઈ ઝૂંબેશ

ચારેય ઝોનમાં સફાઈ, પેચવર્ક, ડ્રેનેજ લાઈન સફાઈ સહિત વિવિધ કામગીરી, જાહેર માર્ગ પર કચરો ફેલાવતા પેનલ્ટી વસૂલ કરાઈ, મચ્છરોની ઉત્પત્તી સામે દવાનો છંટકાવ કરાયો વડોદરાઃ શહેરમાં વરસાદી સીઝનને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ચાર ઝોનમાં સફાઈ ઝૂંબેશ શરૂ કરવામાં આની છે. તેમજ મચ્છરોની ઉત્પતી અટકાવવા માટે દવાનો છંટકાવ પણ […]

ગુજરાતમાં ઈમરજન્સી સેવા 108 માટે જૂન – 2025 સુધીમાં 1.79 કરોડથી વધુ કોલ નોંધાયા

108 ઈમરજન્સી દ્વારા 58.38 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત સેવા અપાઈ, 77 લાખથી વધુ માર્ગ અકસ્માતમાં ઈમરજન્સી સેવા પૂરી પડાઈ, 108 ઈમરજન્સી દ્વારા બે બોટ એમ્બ્યુલન્સ સેવા પણ કાર્યરત અમદાવાદઃ ગુજરાતમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી ‘108 ઇમરજન્સી સેવા’ની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ […]

ઇઝરાયેલ સાથેના સંઘર્ષ દરમિયાન બંધ કરાયેલુ હવાઇ ક્ષેત્ર ઈરાને ફરી શરૂ કર્યુ

ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર ફરી શરૂ કરી દીધું છે. ઈઝરાયલ સાથેના સંઘર્ષ દરમિયાન ઈરાને પોતાના હવાઈ ક્ષેત્ર પર આ પ્રતિબંધો લાદ્યા હતા. ઈરાનના નાગરિક ઉડ્ડયન સંગઠન અનુસાર, તેહરાનના મેહરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટ કામગીરી શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે ઈરાને તેહરાન અને અન્ય વિસ્તારો પર ઈઝરાયલી હવાઈ હુમલા બાદ 13 જૂને પોતાનું હવાઈ ક્ષેત્ર […]

ગુજરાત પોલીસના 118 કર્મચારીઓને મુખ્યમંત્રીના હસ્તે મેડલ અર્પણ કરાયા

ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણનો સમારોહ યોજાયો, શાંતિ-સુરક્ષાને લીધે ગુજરાત દેશનાવિકાસનું રોલ મોડલ બની શક્યું છે: મુખ્યમંત્રી, પોલીસમાં ટેક્નોસેવી યુવાઓની ભરતીથી પોલીસના સંખ્યાબળ સાથે શક્તિબળ પણ વધ્યું, ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી ઉત્કૃષ્ઠ ફરજો બજાવવા માટે રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક મેળવનારા ગુજરાત પોલીસના 118 અધિકારીઓ-કર્મચારીઓને આ ચંદ્રક એનાયત કર્યા હતા. ગુજરાત પોલીસ […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને રાજ્યના સર્વાંગી વિકાસની ચર્ચા કરી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દિલ્હી ખાતે યોજાયેલી આ બેઠકમાં ગુજરાતના સર્વાંગીણ વિકાસના વિવિધ આયામો અંગે તેમની સાથે ચર્ચા કરી.રાજ્યમાં ઉદ્યોગ તેમજ સામાજિક ક્ષેત્રના વિકાસ માટે તેઓના બહુમૂલ્ય સૂચનો મેળવ્યા. પ્રધાનમંત્રીએ પ્રત્યેક કલ્યાણકારી યોજનામાં સામાન્ય માનવીના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે.“સેચ્યુરેશન” ના અભિગમ સાથે છેવાડાના પ્રત્યેક લાભાર્થી સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code