1. Home
  2. Tag "Gujarati news"

અમરેલીમાં સિંહ પાછળ પડતા બે બળદો ગાડા સાથે ઊંડા કૂવામાં ખાબક્યા, એકનું મોત

અમરેલી, 17 ફેબ્રુઆરી 2026:  જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ગમેત્યારે સિંહનો ભેટો થઈ જાય છે. જિલ્લાના ખાંભા તાલુકાના ઉમરિયા ગામમાં સિંહ પાછળ પડતા બે બળદો ગાડા સાથે કૂવામાં ખાબક્યા હોવાનો બનાવ બન્યો છે. આ દુર્ઘટનામાં પાંચ કલાકના રેસ્ક્યૂ બાદ એક બળદને બચાવી લેવાયો છે, જ્યારે બીજાનું મોત નિપજ્યું છે. આ બનાવની વિગત એવી […]

કચ્છમાં અકસ્માતનાં ત્રણ બનાવમાં 3નાં મોત, નલીયા હાઈવે પર ટ્રેલર અને બસ ટકરાયા

ભૂજ, 17 ફેબ્રુઆરી 2026:  કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જુદા જુદા ત્રણ અકસ્માતોના બનાવોમાં ત્રણના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માતના બનાવમાં નલિયાથી કોઠારા જતા હાઈવે પર ભાનાડા એરફોર્સ નજીક બંધ પડેલા ટ્રેઇલરની પાછળ ખાનગી બસ ભટકાતા અકરી ગામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં ભીરંડીયારા ગામે બાઈક અને બોલેરો વચ્ચે અકસ્માત […]

ઉત્તર ગુજરાતમાં ઉનાળું વાવેતરનો પ્રારંભ, પખવાડિયામાં 1300 હેકટરમાં વાવેતર

ગાંધીનગર, 17 ફેબ્રુઆરી 2026:  રવિ સીઝન હવે પુરી થવાની તૈયારીમાં છે. જે ખેડૂતોએ વહેલા વાવેતર કર્યું હતું. તેમણે રવિ પાક લઈને હવે ઉનાળુ વાવણીનો પ્રારંભ કરી દીધો છે. જેમાં પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા પખવાડિયામાં 1300 હેકટરમાં વાવેતર થયું છે. જ્યારે મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હજુ સુધી ઉનાળુ વાવેતર સિઝનની શરૂઆત થઈ નથી. ઉનાળુ […]

પાલનપુર યાર્ડમાં રાજગરાની ધૂમ આવક,પ્રતિ 20 કિલોના 1700નો ભાવ મળ્યો

પાલનપુર, 17 ફેબ્રુઆરી 2026:  બનાસકાંઠાના પાલનપુર માર્કેટ યાર્ડમાં હાલ રાજગરાના પાકની ધૂમ આવક થઈ રહી છે. ખેડૂતોને રાજગરાના 20 કિલોના રૂ.1700 સુધીના ભાવ મળી રહ્યા છે. તેથી ખેડૂતોમાં ખૂશી જોવા મળી રહી છે.  પાલનપુર માર્કેટયાર્ડ રાજગરાના વેપારનું મુખ્ય કેન્દ્ર બની ઉભરી આવ્યું છે.રાજ્યભરમાં થતી કુલ રાજગરાની આવકમાંથી અંદાજે 50 ટકા જેટલો હિસ્સો અહીંથી ખરીદી-વેચાણ થાય […]

પાલનપુરમાં નગરપાલિકાએ બાકી પ્રોપર્ટી ટેક્સધારકોની 9 દુકાનો કરી સીલ

પાલનપુર, 17 ફેબ્રુઆરી 2026:  શહેરની નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસુલાત માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં કોમર્શિયલ મિલકતોનો વેરો બાકી હોય તેની સામે સિલિંગ કરીને વેરાની વસુલાત કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા શહેરના સીટીલાઈટ રોડ પર આવેલી 9 દુકાનોને સીલ કરી દીધી છે. આ કાર્યવાહી બાકી વેરાની વસૂલાત માટે કરવામાં આવી હતી. આ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી બિલ ન ભરતા 1204 ધારકોના વીજળી કનેક્શનો કપાયા

સુરેન્દ્રનગર, 17 ફેબ્રુઆરી 2026:  ઝાલાવાડ પંથકમાં ચાર મહિનાથી વધુ સમયથી વીજળી બિલ બાકી હોય એવો ગ્રાહકોના વીજ કનેકશનો કાપવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં બે કરતા વધુ વીજબીલ બાકી હોય એવા 1204 ગ્રાહકોના વીજ જોડાણો કાપી દેતાં બાકીદારોમાં દોડધામ મચી હતી. કુલ રૂ. 2.67 કરોડની બાકી રકમ સામે વીજ કનેક્શનો કાપવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર […]

દાંતા તાલુકામાં ગ્રેનાઈટની-2 અને બિલ્ડિંગ સ્ટોનની 74 મળી 76 લીઝ કાર્યરત, 31 લીધ બંધ

ગાંધીનગર, 17 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભામાં આજે દાંતા તાલુકાના ભેમાલ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ક્વોરી(બ્લેક ટ્રેપ) સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,આ વિસ્તારોમાં એક પણ ક્વોરી(બ્લેક ટ્રેપ)ઓ આવેલી નથી. તેમણે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ભેમાલ  અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બિલ્ડિંગ સ્ટોન ખનીજની લીઝો છે, કવોરી (બ્લેકટ્રેપ) ખનીજની […]

ઐતિહાસિક વારસો ધરાવતું વડનગર બન્યું સંતુલિત વિકાસનું આદર્શ મૉડલ

ગાંધીનગર, 17 ફેબ્રુઆરી 2026:  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર, રાજ્યમાં ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે માળખાગત વિકાસનું સંતુલિત મૉડલ ઊભું કરી રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે ઐતિહાસિક શહેર વડનગર. લગભગ 2,500 વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતું વડનગર પુરાતત્વ, સંસ્કૃતિ અને ઇતિહાસનું જીવંત દ્રષ્ટાંત બન્યું છે. પુરાતત્વ અનુભવાત્મક સંગ્રહાલયનું નિર્માણ […]

રાજકોટમાં થારચાલક નબીરાએ નશો કરેલી હાલતમાં એકટિવાને ટક્કર મારતા દંપત્તી પટકાયું

રાજકોટ, 17 ફેબ્રુઆરી 2026:  શહેરમાં પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોવાને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે, શહેરના 150 ફુટ રિંગ રોડ પર ઉમિયા ચોક નજીક કારચાલક નબીરાએ નશો કરેલી હાલતમાં બેફામ સ્પીડે થાર ચલાવી એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું હતું.અકસ્માત સર્જયા બાદ ત્યાં ઉભા રહેવાના બદલે રિવર્સમાં પોતાની કાર લઈને નાસી છૂટ્યો હતો. આ સમયે […]

CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, પ્રથમ દિવસના પેપર સરળ લાગ્યા

અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026:  દેશભરમાં આજથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ધોરણ 10માં ગણિતનું અને ધોરણ 12માં આંત્રપ્રિન્યોરશિપનું પેપર વિદ્યાર્થીઓને એકંદરે સરળ લાગ્યુ હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર આવતા ખૂશખૂશાલ જોવા મળ્યા હતા. આ વખતે પ્રથમ વખત CBSE બોર્ડ દ્વારા 35 દિવસમાં પરિણામ જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code