1. Home
  2. Tag "Gujarati Newspaper"

ભારતે લેટિન અમેરિકા સાથે વેપારી સંબંધો મજબૂત બનાવ્યા

નવી દિલ્હીઃ ભારતે લેટિન અમેરિકાના ભાગીદાર દેશો સાથે વેપાર વાટાઘાટોના બે મુખ્ય રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, જે આર્થિક સહયોગ વધારવા અને આ પ્રદેશ સાથે વેપાર સંબંધોને ગાઢ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ભારત-પેરુ વેપાર કરાર પર વાટાઘાટોનો 9મો રાઉન્ડ 3-5 નવેમ્બર, 2025 દરમિયાન પેરુના લિમામાં યોજાયો હતો. પ્રસ્તાવિત કરારના મુખ્ય પ્રકરણો પર ચર્ચામાં નોંધપાત્ર […]

આણંદમાં પોલીસ હોવાની ઓળખ આપીને રોફ જમાવતો નકલી પોલીસમેન પકડાયો

મૂછોના આંકડા ચડાવીને બ્લેકફિલ્મની કાર લઈને પોલીસ હોવાનું કહી રોફ જમાવતો હતો, પોલીસે પૂછતાછ કરતા નકલી આઈકાર્ડ બતાવીને પોતે પાલીસ અધિકારી હોવાનું કહ્યુ, પોલીસે ફરજના સ્થળ વિશે પૂછતાં આરોપીની પોલ ખૂલી આણંદઃ શહેરમાં પોલીસના સ્વાંગમાં મૂછે વળ દઈને બ્લેક કાચવાળી કારમાં ફરતા નકલી પોલીસ પકડાયો છે. આણંદની બજારમાં ફરીને પોતે પોલીસ હોવાનું જણાવીને રોફ જમાવતા […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સભ્યોએ ભારતના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ મહિલા વર્લ્ડ કપ 2025 જીત્યા બાદ, ભારતીય ટીમ ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ મુલાકાત નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે થઈ હતી, જ્યાં રાષ્ટ્રપતિએ ટીમ ઈન્ડિયાને તેમની જીત બદલ અભિનંદન આપ્યા હતા. બેઠક દરમિયાન, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ખેલાડીઓ દ્વારા હસ્તાક્ષરિત જર્સી ભેટ આપી હતી. કેપ્ટને રાષ્ટ્રપતિ સાથે […]

રાજસ્થાન બાદ ગુજરાત હાઈકોર્ટે પણ આસારામને 6 મહિનાના જામીન આપ્યા

જોધપુર વડી અદાલતે જામીન આપ્યા હોવાથી અલગ સ્ટેન્ડ ન લઈ શકીએ: હાઇકોર્ટ, આસારામ હ્રદય સંબંધિત બિમારીથી પીડિત હોવાની દલીલ, ગુજરાત હાઈકોર્ટે અગાઉ આસારામના હંગામી જામીન 4 વખત લંબાવ્યા હતા, અમદાવાદઃ  સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને રાજસ્થાનની હાઈકોર્ટે 6 મહિના માટે જામીન આપ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે […]

બિહાર ચૂંટણીઃ પ્રથમ તબક્કાની 121 બેઠકો ઉપર 5 વાગ્યા સુધીમાં 60.18 ટકા મતદાન

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કામાં 6 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધી સરેરાશ 60.18 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, લોકશાહીના ભવ્ય ઉત્સવમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. માધેપુરામાં 65.74%, સહરસામાં 62.65%, દરભંગામાં 58.38%, મુઝફ્ફરપુરમાં 65.23%, ગોપાલગંજમાં 64.96%, સિવાનમાં 57.41%, સારણમાં 60.90%, સારણમાં 65%, વાઆલીમાં 65% મતદાન નોંધાયું હતું. […]

ચાણસ્માના બ્રાહ્મણવાડા નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં બેના મોત

કારની ટક્કરથી રિક્ષાનો કચ્ચરઘાણ નિકળી ગયો, અકસ્માતમાં બે વ્યક્તિને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી પાટણઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે પાટણ  જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં […]

નવસારીના ડાભેલમાં કૂખ્યાત સલમાન લસ્સીને પોલીસે ફાયરિંગ કરીને દબોચી લીધો

પોલીસે પગમાં ગોળી મારીને પરોઢીયે નામચીન શખ્સને પકડી લીધો, કૂખ્યાત આરોપી હત્યા સહિત 17 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો, સુરત ક્રાઈમ બ્રાન્ચની 25 અધિકારીઓએ સ્ટાફ સાથે ઓપરેશન લંગડા હાથ ધર્યુ સુરતઃ શહેરના ડિંડોલી, લિંબાયત સહિત અનેક વિસ્તારોમાં આતંક મચાવીને હત્યા સહિત 17 જેટલા ગંભીર ગુનાનો વોન્ટેડ આરોપી સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં છુપાયો […]

બાબરાના ફુલઝર ગામે નજીવી વાતે બે જૂથો બાખડી પડ્યા, એકનું મોત, 9 જણા ઘવાયા

લગ્ર પ્રસંગમાં ઘોડીને ટ્રેકટર અડી જતા બોલાચાલી બાદ અથડામણ થઈ, એસપી સહિત પોલીસ કાફલો દોડી ગયો, ગામમાં અજંપાભરી સ્થિતિ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, અમરેલીઃ જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં નજીવી વાતે બે જૂથો બાખડી પડ્યા હતા. ફુલઝર ગામમાં એક લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે બબાલ થઈ હતી. અને બે જૂથ આમને-સામને આવી જતા ઉગ્ર […]

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 30 IPS સાથે આજે કચ્છના સરહદી વિસ્તારમાં ગ્રામજનોને મળ્યા

હર્ષ સંઘવી ભૂજ પહોંચતા ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયુ, કચ્છના સરહદી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરીને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો કોટેશ્વરમાં હર્ષ સંઘવી જવાનો સાથે સંવાદ પણ કરશે ભૂજઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે બે દિવસીય કચ્છ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. હર્ષ સંઘવીનું ભુજના સર્કિટ હાઉસ ખાતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ […]

માવઠાને લીધે શાકભાજીની આવક ઘટતા ભાવમાં થયો તોતિંગ વધારો

શિયાળામાં શાકભાજી સસ્તા થવાને બદલે ભાવમાં વધારો થયો, શાકભાજીના જથ્થાબંધ વેપારીઓ આવક ઓછી હોવાનું કહી રહ્યા છે, લોકો મોંઘા ભાવનું શાકભાજી ખરીદવા મજબુર ભાવનગરઃ  દિવાળી બાદ શિયાળાનું આગમન થતાં જ લીલા શાકભાજીના ભાવમાં ઘટાડો થતો હોય છે. પણ દિવાળી બાદ પડેલા માવઠાને લીધે લીલા શાકભાજીના ભાવમાં અસામાન્ય વધારો નોંધાયો છે. યાર્ડમાં શાકભાજીની આવક ઘટી ગઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code