1. Home
  2. Tag "GUJARATINEWS"

અજિત પવાર પંચતત્વમાં વિલીન: રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

બારામતી, 29 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના રાજકારણના ‘દાદા’ ગણાતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના પ્રમુખ અજિત પવાર ગુરુવારે બારામતી સ્થિત વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે પંચતત્વમાં વિલીન થયા છે. બુધવારે થયેલી વિમાન દુર્ઘટનામાં તેમનું કરુણ અવસાન થયા બાદ આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હજારો સમર્થકોની હાજરીમાં તેમના પુત્રો પાર્થ અને જય પવારે […]

ગણતંત્ર દિવસ પરેડમાં ભારતીય નૌસેના, મહારાષ્ટ્રનો દબદબો, જનમતમાં ગુજરાતની ઝાંખી વિજેતા

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: ગણતંત્ર દિવસ પરેડ 2026 માં ભાગ લેનારી ત્રણેય સેનાઓ, અર્ધલશ્કરી દળો અને વિવિધ રાજ્યોની ઝાંખીઓના પરિણામો સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે ભારતીય નૌસેનાની માર્ચિંગ ટુકડીએ ત્રણેય સેનાઓમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે રાજ્યોની શ્રેણીમાં મહારાષ્ટ્રની ઝાંખીને શ્રેષ્ઠ જાહેર કરવામાં આવી છે. સંરક્ષણ […]

રાષ્ટ્રપતિનું સંબોધન વિકસિત ભારતનો માર્ગ મોકળો કરશેઃ PM મોદી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: બુધવારથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત સદનને સંબોધન સાથે થયો છે. રાષ્ટ્રપતિના આ ભાષણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી સમયમાં દેશની વિકાસ યાત્રાનું ‘માર્ગદર્શક’ ગણાવ્યું છે. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સંબોધન એક મજબૂત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાની આપણી સહિયારી આકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રપતિના સંબોધન […]

ઓપરેશન સિંદૂરથી દુનિયાએ ભારતનું પરાક્રમ જોયું, આતંકવાદનો જલ્દી જ થશે સફાયો: રાષ્ટ્રપતિ

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરતા ભારતની સુરક્ષા નીતિ અને સૈન્ય સફળતાઓ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હવે એ દિવસ દૂર નથી જ્યારે દેશમાંથી આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. રાષ્ટ્રપતિએ ખાસ કરીને ‘ઓપરેશન સિંદૂર’અને સંરક્ષણ ક્ષેત્રે ભારતના વધતા કદનો ઉલ્લેખ […]

રશિયા-યુક્રેન યુદ્ધ : બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી તબાહી, 3.25 લાખ સૈનિકોએ મોત

વોશિંગ્ટન, 28 જાન્યુઆરી 2026: છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે આધુનિક ઈતિહાસની સૌથી વિનાશક લડાઈ બની ગઈ છે. એક તાજા અમેરિકી રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2022થી અત્યાર સુધીમાં બંને દેશોના મળીને આશરે 20 લાખ સૈનિકો અસરગ્રસ્ત (મૃત્યુ, ઈજાગ્રસ્ત કે લાપતા) થયા છે. આ આંકડો બીજા વિશ્વયુદ્ધ પછીના કોઈપણ સૈન્ય સંઘર્ષમાં સૌથી […]

અજિત પવાર સહિત આ દિગ્ગજ નેતાઓએ વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યા જીવ

મુંબઈ, 28 જાન્યુઆરી 2026 : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બારામતીમાં થયેલા વિમાન અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. આ સમાચારથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે, આંચકાજનક બાબત એ છે કે છેલ્લા સાત મહિનામાં દેશના કોઈ મોટા રાજકીય નેતાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હોય તેવી આ બીજી ઘટના છે. આ પહેલા જૂન 2025માં […]

શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, પ્રવાસીઓમાં ખુશી

નવી દિલ્હી, 23 જાન્યુઆરી 2026: હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળો શિમલા અને મનાલીમાં શુક્રવારે આ સિઝનની પ્રથમ હિમવર્ષા થતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિમવર્ષાને કારણે રસ્તાઓ, વૃક્ષો અને પહાડો સંપૂર્ણપણે સફેદ ચાદરમાં ઢંકાઈ ગયા છે, જેના કારણે પ્રકૃતિનો નજારો અદભૂત બની ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શિમલા અને તેની આસપાસના વિસ્તારોમાં […]

IMF એ ભારતને AI ક્ષેત્રે ગ્લોબલ પાવર ગણાવ્યું

વોશિંગ્ટન, 23 જાન્યુઆરી 2025, ભારત સતત વિકાસ કરી રહ્યું છે, તેમજ આગામી વર્ષોમાં ભારત આર્થિક ક્ષેત્રે વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી તાકાત બનવાની દિશામાં કામ કરી રહ્યું છે. તમામ ક્ષેત્રોમાં ભારતની આગેકુચની દુનિયાભરમાં નોંધ લેવાઈ રહી છે. દરમિયાન આઈએમએફના વડાએ પણ ભારતની પ્રગતિને લઈને પ્રશંસા કરી છે. આઈએમએફ ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જીવાએ ભારતની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું […]

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી: PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, 23 જાન્યુઆરી, 2026: આઝાદ હિંદ ફોજના સ્થાપક અને ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ એટલે કે ‘પરાક્રમ દિવસ’ નિમિત્તે PM મોદીએ તેમને નમન કર્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શ્રેણીબદ્ધ પોસ્ટ દ્વારા નેતાજી સાથે જોડાયેલી યાદો તાજી કરી હતી તેમજ તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયોને યાદ કર્યા […]

યુવાન દેખાવા માંગતા હોય તો કોફી પીવાની આદત પાડો, સંશોધનમાં થયો ખુલાસો

આજના ભાગદોડભર્યા જીવનમાં કોફી માત્ર એક પીણું નથી, પરંતુ કરોડો લોકોના દિવસની શરૂઆતનું એક અભિન્ન અંગ બની ગઈ છે. સામાન્ય રીતે દૂધવાળી ચાના નુકસાન વિશે આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ કોફીના કિસ્સામાં ચિત્ર કંઈક અલગ છે. તાજેતરના એક વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ, કોફી માત્ર તમને તાજગી જ નથી આપતી, પણ તે એક શક્તિશાળી ‘એન્ટી-એજિંગ’ (વૃદ્ધત્વ વિરોધી) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code