ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, સરસ્વતી નદીમાં ઘોડાપૂર, માધવરાય મંદિર બન્યુ જળમગ્ન
વેરાવળઃ સૌરાષ્ટ્રમાં સોરઠ પંથક પર તો શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન રહ્યા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પર અસર પડી છે. જિલ્લાના સુત્રાપાડામાં દિવસ દરમિયાન 6 ઇંચ જેટલો ભારે વરસાદ વરસી જતા ચારેબાજુ પાણી ભરાયા હતા. જ્યારે તાલાલામાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. […]


