કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે સુરતમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી
સુરત, 9 જુલાઈ, 2026 – કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે સુરતના ભટાર રોડ પર આવેલા આઝાદ નગર રસુલાબાદ ખાતે અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી, વિસ્તારમાં તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવા અને અસરગ્રસ્તોને બને એટલી ઝડપથી તમામ જરૂરી મદદ પહોંચાડવા વહીવટી તંત્રને કડક તાકીદ કરી હતી. […]


