1. Home
  2. Tag "heavy rains"

ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત, પંજાબમાં 20 લાખ લોકો પ્રભાવિત

નવી દિલ્હીઃ ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પંજાબમાં પૂરની સ્થિતિ સૌથી ગંભીર છે, જ્યાં 2000થી વધુ ગામો અસરગ્રસ્ત થયા છે અને 20 લાખથી વધુ લોકો પર તેની અસર પડી છે. હાલમાં સતલુજ નદી પરના ડેમનું સમારકામ ચાલી રહ્યું છે, જેથી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકાય. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં […]

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ટીમ રાજ્યની મુલાકાતે

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલયની કેન્દ્રીય ટીમે ગઈકાલે રિયાસી જિલ્લાની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ટીમે સમુદાય-આધારિત આપત્તિ તૈયારીઓને મજબૂત બનાવવા અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓના પુનઃસ્થાપનને પ્રાથમિકતા આપવાનું સૂચન કર્યું હતું.રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) ના સંયુક્ત સચિવ કર્નલ કીર્તિ પ્રતાપ સિંહની આગેવાની હેઠળની […]

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ બાદ રાજૌરી અને સાંબા જિલ્લામાં ભૂસ્ખલન, 19 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા

જમ્મુ અને કાશ્મીરમાં સતત ભારે વરસાદથી લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. કેટલીક જગ્યાએ ભૂસ્ખલન અને અન્ય જગ્યાએ નદીઓના વિકરાળ સ્વરૂપને કારણે લોકો ભયના છાયામાં મુકાઈ ગયા છે. એટલું જ નહીં, રાજૌરી અને સાંબા જિલ્લામાં પણ જમીન ધસી પડવાના બનાવો નોંધાયા છે. ભૂસ્ખલનની ઘટનાઓ બાદ, વહીવટીતંત્રે 19 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. જેમાં રાજૌરીના 11 અને […]

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદથી તબાહી, મૃત્યુઆંક 166 પર પહોંચ્યો

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચોમાસાના વરસાદથી તબાહી ચાલુ છે. પંજાબ પ્રાંતમાં ચોમાસાને કારણે મૃત્યુઆંક 166 પર પહોંચી ગયો. સિયાલકોટ અને ઝેલમમાં વધુ બે લોકોના મોત બાદ આ આંકડો વધ્યો છે. આ સમય દરમિયાન, પ્રાંતના ઘણા શહેરોમાં ફરી એકવાર મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. પાકિસ્તાન હવામાન વિભાગ (પીએમડી) અનુસાર, સિયાલકોટમાં સૌથી વધુ  78 મીમી વરસાદ નોંધાયો છે. તે […]

નાગાલેન્ડઃ ભારે વરસાદને કારણે અનેક ભાગોમાં ભૂસ્ખલન

નવી દિલ્હીઃ ભારે વરસાદને કારણે નાગાલેન્ડના અનેક ભાગોમાં ભૂસ્ખલનના અહેવાલો છે. મુખ્ય પરિવહન માર્ગો, ખાસ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 29 અને 2 ને ભારે નુકસાન થયું છે. ફેસામા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 પર સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં જૂનથી ભૂસ્ખલનથી કોહિમા અને મણિપુર વચ્ચેનો પ્રાથમિક માર્ગ સંપર્ક તૂટી ગયો છે.રવિવારે ફેસામા-કિસામા-કિગવેમા માર્ગ પર થયેલા મોટા ભૂસ્ખલનને […]

ભારે વરસાદને લીધે અમદાવાદ-પાલનપુર હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો

પાલનપુરમાં 7 ઈંચ વરસાદથી રોડ-રસ્તાઓ અને દૂકાનોમાં પાણી ફરી વળ્યા, પાલનપુરથી આબુરોડને જોડતા હાઇવે પર પાણી ભરાયા, પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા અને ડીસા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ પાલનપુરઃ બનાસકાંઠામાં ભારે વરસાદ પડ્યો છે.જેમાં પાલનપુરમાં 7 ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. ઘરો-દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને, પાલનપુર-અમદાવાદ હાઈવે […]

ભારે વરસાદને લીધે વીજ વિક્ષેપ સર્જાતા સૌરાષ્ટ્ર-કચ્છના 167 ગામોમાં અંધારપટ

1181 વીજ ફીડરોમાં વિક્ષેપ સર્જાયો, ભાવનગરના 74, મોરબીના 26 અને અમરેલીના 20 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, વીજ પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમ ફિલ્ડમાં ઉતરી અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ વિપેક્ષ સર્જાયો છે. અને 167 ગામોમાં અંધારપટ સર્જાતા પીજીવીસીએલના કાર્મચારીઓએ વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી આરંભી દીધી છે. […]

ભારે વરસાદ અને પૂરને કારણે આસામ, સિક્કિમ અને મણિપુરમાં પરિસ્થિતિ વણસી, પીએમ મોદીએ મદદની આપી ખાતરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ અને મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લા સાથે પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી છે. પીએમ મોદીએ શક્ય તમામ મદદ અને સમર્થનનું આશ્વાસન આપ્યું છે. આ દરમિયાન, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ ટ્વીટ કર્યું, ‘થોડા સમય પહેલા પ્રધાનમંત્રીએ […]

કચ્છમાં અતિવૃષ્ટિને લીધે 75 રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા

માર્ગ મકાન અને પંચાયત વિભાગના 48 રસ્તના કામો હાથ ધરાયા, કેટલાક રસ્તાઓ પર હજુ પણ પાણી ભરાયેલા છે, વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા લોકોને અપીલ ભૂજઃ કચ્છમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે 75 જેટલા રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેમાં કેટલાક રસ્તાઓનું નામોનિશાન પણ જોવા મળતું નથી. હવે વરસાદે વિરામ લેતા ક્ષતિગ્રસ્ત થયેલા રોડ- રસ્તાઓને તત્કાલ અસરથી […]

ગુજરાતઃ ભારે વરસાદના પરિણામે અસરગ્રસ્ત માર્ગોના મરામત માટે કામગીરી શરૂ કરાઈ

અમદાવાદઃ રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે માર્ગમકાન વિભાગ દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code