હિંદુ ધર્મને લઈને થાઈલેન્ડના પીએમનું મોટું નિવેદન
દિલ્હી: દુનિયાના ઘણા હિસ્સાઓમાં અત્યારે અશાંતિ છે અને યુદ્ધ જેવો માહોલ છે ત્યારે થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થાવિસિનનુ માનવુ છે કે, દુનિયામાં શાંતિ સ્થાપવા માટે હિન્દુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેરણા લેવાની જરુર છે. બેંગકોકમાં હાલમાં ત્રીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેની પાછળનો હેતુ દુનિયામાં હિન્દુઓની પ્રગતિશીલ અને પ્રતિભાશાળી સમાજ તરીકેની ઓળખને વધારે મજબૂત કરવાનો […]