1. Home
  2. Tag "Income tax department"

સરકાર બનતા જ અજિત પવારને મોટી રાહત, આવકવેરા વિભાગ 1000 કરોડની સંપત્તિ પરત કરશે

મહારાષ્ટ્રમાં મહાગઠબંધન સરકારની રચના સાથે નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગે 2021માં 1000 કરોડ રૂપિયાથી વધુની જપ્ત કરેલી સંપત્તિઓને મુક્ત કરી છે. બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન્સ પ્રિવેન્શન એપેલેટ ટ્રિબ્યુનલે તેમની અને તેમના પરિવાર સામે બેનામી સંપત્તિ ધરાવવાના આરોપોને રદ કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. શપથ લીધાના એક દિવસ પછી રાહત […]

31 જુલાઈ સુધી 7 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ થયાઃ આવકવેરા વિભાગ

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2024-25 માટે અત્યાર સુધીમાં સાત કરોડથી વધુ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધી 50 લાખથી વધુ ITR ફાઈલ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે બુધવારે ‘X’ પોસ્ટ પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે 31 જુલાઈ સુધી 7 કરોડથી વધુ કરદાતાઓએ ITR ફાઈલ કર્યું છે, […]

આવકવેરા વિભાગનું એલર્ટ: સ્કેમર્સ રિફંડ મેસેજ મોકલીને કરી રહ્યા છે છેતરપિંડી

નવી દિલ્હીઃ મોટાભાગના લોકોએ પોતાનું ITR એટલે કે આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે અને હવે તેઓ તેમના રિફંડની રાહ જોઈ રહ્યા છે. આવકવેરા વિભાગે આવા લોકો સાથે થઈ રહેલી છેતરપિંડી અંગે ચેતવણી આપી છે. ઈન્કમ ટેક્સ રિફંડનો ઉપયોગ એકાઉન્ટમાંથી પૈસા ચોરી કરવા માટે કરવામાં આવી રહ્યો છે. સાયબર ઠગ હવે કરદાતાઓના બેંક ખાતામાંથી નાણાંની ચોરી કરવા માટે […]

કૉંગ્રેસને ડબલ આંચકો: પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે ઈન્કમટેક્સ વિભાગે પકડાવી 1700 કરોડ રૂપિયાની નોટિસ

નવી દિલ્હી: કોંગ્રેસને ગુરુવારે પહેલા દિલ્હી હાઈકોર્ટમાંથી આંચકો લાગ્યો. તેના પછી ઈન્કમટેક્સ વિભાગે મુશ્કેલીઓમાં વધારો કર્યો. ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ પકાડવી છે. તેની સાથે જ લોકસભા ચૂંટણીઓથી ઠીક પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતાઓ વધી ગઈ છે. ઈન્કમટેક્સ વિભાગની નવી માગણી 2017-18થી લઈને 2020-21 માટે છે. તેમાં દંડ અને વ્યાજ […]

ઈન્કમ ટેક્સ વિભાગ થયું કડક,જાણી લો આ મહત્વની જાણકારી

મુંબઈ:આપણા દેશમાં જ્યારે પણ ટેક્સ ભરવાની વાત આવે ત્યારે બે પ્રકારના લોકો જોવા મળે છે, એક એવા પ્રકારના કે જેમની આવક ટેક્સ ભરવાને પાત્ર નથી હોતી, અને બીજા એવા કે જે લોકો ટેક્સ ભરી શકે તે સ્થિતિમાં છે પણ કઈને કઈ ખરીદી કરીને ટેક્સની ચોરી કરે છે અને ટેક્સ ભરતા નથી. આ પ્રકારની લોકોની ચાલાકીને […]

ઉત્તર ગુજરાતઃ ચાર જાણીતી પેઢીઓ ઉપર આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં હાઈવે-રોડ સહિતના સરકારના મોટા કોન્ટ્રાક્ટનું કામ કરતી ચાર પેઢીઓ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હોવાનું જાણવા મળે છે. સાબરકાંઠાના હિમતનગર તથા અન્ય સ્થળો ઉપર આવકવેરા વિભાગે સર્ચ-સર્વેની કામગીરી આરંભી છે. એટલું જ નહીં હિંમતનગરની એક સિમેન્ટ પેઢીના સંચાલકોની પુછપરછ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગમાં દરોડાને પગલે ઉત્તર ગુજરાતના અન્ય મોટા કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ […]

સુરતમાં ઈન્કમ ટેક્સ વિભાગનું સર્ચ, સટ્ટા બજાર અને જમીનની લે-વેચ કરનારી ચાર ફર્મ પર દરોડા

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સુરતમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપએ તમામ બેઠકો કબજે કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે. દરમિયાન ચૂંટણીમાં કાળાનાણાનો ઉપયોગ ન થાય તે માટે આવકવેરા વિભાગના અધિકારીઓ પણ બાજ નજર રાખી રહ્યા છે. દરમિયાન આવકવેરા વિભાગે સટ્ટા બજાર તેમજ જમીનની લે-વેચ કરતી […]

આવકવેરા વિભાગઃ 2022-23માં ચુકવણી કરાયેલા રિફંડની સંખ્યામાં લગભગ 468 ટકાનો વધારો

નવી દિલ્હીઃ દેશમાં પ્રત્યક્ષ ટેક્સ સંગ્રહમાં ભારે ઉછાળો આવ્યો છે. એડવાન્સ ટેક્સ સંગ્રહ ચાલુ નાણાકીય વર્ષમાં 17 સપ્ટેમ્બરે 30 ટકાથી વધીને 8.36 લાખ કરોડ રુપિયા થઈ ગયો છે. નાણા મંત્રાલયે જાણકારી આપતા કહ્યું હતું કે, ગત વર્ષના સમાન સમયગાળામાં 6.42 લાખ કરોડની તુલનામાં 30 ટકા વધુ છે, જ્યારે દેશનો સીધો વેરો 7 લાખ 669 કરોડ […]

અક્ષય કુમાર ફરી બન્યા હાઈએસ્ટ ટેક્સપેયર,ઈનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ તરફથી મળ્યું સન્માન 

અક્ષય કુમાર બન્યા સૌથી વધુ ટેક્સ ભરનાર સેલિબ્રિટી આયકર વિભાગ તરફથી મળ્યું આ પ્રમાણપત્ર મુંબઈ:અક્ષય કુમાર બોલિવૂડના સૌથી લોકપ્રિય સ્ટાર્સમાંથી એક છે. દર વર્ષે અક્ષય કુમારની લગભગ 4 થી 5 ફિલ્મો રિલીઝ થાય છે.અક્ષય માત્ર એક મહાન અભિનેતા જ નથી, પરંતુ તે ટેક્સ ભરવામાં પણ સૌથી આગળ છે.અક્ષય કુમાર ફરી એકવાર એન્ટરટેનમેંટ ઇન્ડસ્ટ્રીના હાઈએસ્ટ ટેક્સપેયર […]

આયકર વિભાગે શિવસેનાના નેતાઓ આદિત્ય ઠાકરે અને અનિલ પરબના પરિચીતો ઉપર દરોડા

મુંબઈઃ આયકર વિભાગે શિવસેનાના નેતાઓ આદિત્ય ઠાકરે અને અનિલ પરબના નજીકના સાથીદારો સાથે જોડાયેલા પરિસરમાં સર્ચ હાથ ધર્યું હતું. આયકર વિભાગની તપાસ  સવારે રાહુલ કનાલ, શિવસેનાના સભ્ય સદાનંદ કદમ અને નાયબ પ્રાદેશિક પરિવહન અધિકારી બજરંગ ખરમાટેના ઘરે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે મુંબઈ અને પુણેમાં ત્રણેય સાથે જોડાયેલા 12 સ્થળો પર સર્ચ કર્યું હતું પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code