1. Home
  2. Tag "income tax"

અમદાવાદ અને કચ્છમાં આવકવેરા વિભાગના દરોડા, 18 સ્થળો ઉપર સર્વે

અમદાવાદઃ આવકવેરા વિભાગે અમદાવાદ અને કચ્છમાં મોટાપાયે દરોડા પાડ્યાં હતા. સ્ટીલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર દરોડા પાડીને તપાસ કરવામાં આવ્યાં હતા. આવકવેરા વિભાગની ટીમોએ 18 સ્થળ ઉપર તપાસનો ધમધમાટ તેજ કર્યાં છે. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે IT વિભાગ સતર્ક થઇ રહ્યુ છે. IT વિભાગે ગુજરાતમાં અમદાવાદ […]

લો બોલો, બિહારમાં માસિક રૂ. 12 હજાર કમાતા શ્રમજીવીને રૂ. 14 કરોડ જમા કરાવવાની IT નોટિસ

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગ બાકીદારોને ટેક્સ ભરવા માટે નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી કરે છે. દરમિયાન બિહારમાં આવકવેરા વિભાગે મહિને રૂ. 12 હજારની આવક કમાતા એક શ્રમજીવીને નોટિસ ફટકારીને રૂ. 14 કરોડ ભરતા સૂચના આપતા શ્રમજીવી અને તેમનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. બીજી તરફ શ્રમજીવીને આપવામાં આવેલી આઈટીની નોટિસ હાલ સોશિયલ મીડિયામાં વાયલ થઈ છે. પ્રાપ્ત […]

સુરતમાં મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે ઈન્કમ ટેક્સ વિભાગે પાડ્યા 40 સ્થળોએ દરોડા

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયાના બીજા દિવસે સુરત શહેરમાં આવકવેરા વિભાગે 40 જેટલા સ્થળોએ દરોડા પાડીને સર્ચ હાથ ધર્યું હતું. હીરાના મોટા ગજાના વેપારી તથા બે બિલ્ડરો પર સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આઈટીના દરોડાને લીધે બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં મતદાન પૂર્ણ થયાના બીજા […]

અપડેટેડ આઈટીઆર દ્વારા અત્યાર સુધીમાં રૂ. 400 કરોડનો ટેક્સ જમા થયો.

નવી દિલ્હી:  તાજેતરમાં લાગુ કરાયેલી, કરદાતાઓને તેમના ટેક્સ રિટર્ન અપડેટ કરવાની મંજૂરી આપતી જોગવાઈ બાદ, અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. ફાઇનાન્સ એક્ટ 2022માં ટેક્સ રિટર્ન અપડેટ કરવાનો નવો કોન્સેપ્ટ ઉમેરવામાં આવ્યો છે, જે હેઠળ કરદાતાઓ ફાઇલ કર્યાના બે વર્ષની અંદર તેમનું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) અપડેટ કરી શકે છે. અપડેટેડ […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કાળુ નાણું પકડવા ઈન્કમ ટેક્સ વિભાગે કોલ સેન્ટર શરૂ કર્યું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ સરકારી તંત્ર સતર્ક બની ગયું છે. દરમિયાન ઈન્કમ ટેક્સ વિભાગે પણ ચૂંટણીમાં કાળા નાણા સામે કોલ સેન્ટર શરૂ કર્યું છે. કાળા નાણાની હેરાફેરી સામે બાજ નજર રાખવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની ચૂંટણીમાં કાળાં નાણાંનો ઉપયોગ કે હેરાફેરી ના થાય તે માટે ઇન્કમટેક્સ વિભાગે કોલ સેન્ટર […]

અમદાવાદમાં ઈન્કમટેક્સના એડિશનલ કમિશનર 30 લાખના લાંચ કેસમાં ફસાયા, ACBને મળી સફળતા

અમદાવાદઃ શહેરના ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારી 30 લાખના લાંચ લેવાના કેસમાં ફસાયા છે. શહેરના આશ્રમ રોડ પરના મુખ્ય આયકર ભવન ખાતે ફરજ બજાવતા ઇન્કમટેક્સના એડિશનલ કમિશનર સંતોષ કારનાનીએ  આંગડિયા પેઢી મારફતે ૩૦ લાખ લીધી હતી. જે એન્ટિ કરપ્શન બ્યુરોએ રિકવર કરી છે. જો કે એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર પોતાની ઓફિસમાંથી ACBને હાથતાળી આપીને નાસી છૂટ્યો છે. […]

ગુજરાતઃ આવકવેરા વિભાગે 7 હજાર કરદાતાઓને નોટિસ ફટકારવામાં આવી

અમદાવાદઃ રાજ્યમાં ઈન્કમટેક્સને લઈને આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે અને સાત હજારથી વધુ કરદાતાઓને નોટિસ મોકલી હોવાનું જાણવા મળે છે. વર્ષ 2017-18માં થયેલા મોટા વ્યવહાર અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. IT રિટર્ન કોપી, ટેક્‍સની વિગત, બેંક-GSTની વિગત માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર સબ રજિસ્‍ટ્રાર કચેરીમાંથી ડેટા આઈટી વિભાગ પાસે આવ્‍યો […]

જાણીતી શૈક્ષણિક સંસ્થા ઉપર આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદઃ ગુજરાતના મેગાસિટી અમદાવાદમાં આવકાવેરા વિભાગે ખાનગી શૈક્ષણિક સંસ્થામાં દરોડા પાડ્યાં હતા. દરોડાને પગલે યુનિવર્સિટી કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગે સુરેન્દ્રનગરના ચોટીલમાં પણ તપાસ કરી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં એસ.જી.હાઈવે નજીક આવેલી એક શૈક્ષણિક સંસ્થાના સંચાલકો અને તેમના વ્યવસાય અને નિવાસસ્થાન ઉપર દરોડા પાડ્યા હતા. દરોડાની કાર્યવાહીમાં 100થી વધારે […]

રાજસ્થાનના જયપુર અને કોટામાં જાણીતા જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે રાજસ્થાનમાં સપાટો બોલાવીને જેમ્સ-જ્વેલરી, હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલ જયપુર સ્થિત ગ્રુપમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન રૂ. 150 કરોડની કરચોરી ઝડપાઈ હોવાનું જાણવા મળે છે. આવકવેરા વિભાગના દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજ પણ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આવકવેરા વિભાગની ટીમે બિઝનેસ ગ્રુપના ત્રણ […]

જાણીતા સિરામીક જૂથ ઉપર આવકવેરાના દરોડા, 25 સ્થળો ઉપર તપાસ

અમદાવાદઃ આવકવેરા વિભાગે સીરામિકના વ્યવસાય સાથે સંકળાયેલી જાણી કંપની ઉપર દરોડા પાડ્યાં હતા. મોરબી, અમદાવાદ અને રાજકોટમાં વિવિધ સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગના દરોડાના પગલે સિરામીકના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય જૂથના સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં સીરામિક કંપનીની ઓફિસમાં તપાસ શરૂ કરાઈ હતી. ઓફિસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code