1. Home
  2. Tag "india"

ભારતના આકરા વલણ સામે કેનેડા નરમ પડ્યું, ભારતીય નેતાઓ સામેના આક્ષેપ મામલે કરી સ્પષ્ટતા

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરના મોતને લઈને સતત તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન, શુક્રવારે આ સમગ્ર મામલે કેનેડા દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેનેડાએ સ્વીકાર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને કેનેડામાં કોઈપણ “ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ” સાથે જોડતા કોઈ […]

મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા ભારતમાં પ્રત્યાર્પણ સામે યુએસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાએ હવે ભારતને પ્રત્યાર્પણ વિરુદ્ધ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણાએ નીચલી અદાલતોમાં કાનૂની લડાઈ હાર્યા બાદ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. 2008ના મુંબઈ હુમલામાં તેની ભૂમિકા માટે ભારતે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગ કરી છે. રાણાએ અગાઉ સાન ફ્રાન્સિસ્કોમાં યુએસ કોર્ટનો સંપર્ક કર્યો […]

ભારતને તેની મહાન હિન્દુ સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવાની જરૂર, પુતિનના રાજકીય ગુરુનું સૂચન

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશાથી સારા રહ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે પણ ભારતે રશિયા સાથે પોતાની મિત્રતા જાળવી રાખવાની સાથે યુદ્ધ અંતે ચિંતા વ્યક્ત કરવાની સાથે યુદ્ધવિરામ માટે અપીલ કરી હતી. રશિયન લોકો ભારત અને ભારતીયોના પ્રશંસક રહ્યા છે. આ બધાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રાજકીય ગુરુ એલેક્ઝાન્ડર ડુગિને ભારતને લઈને […]

ભારતના આ રાજ્યમાં સરકારે ઈ-વાહનોને રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં આપી 100 ટકા છૂટ

તેલંગાણા સરકારે ઇલેક્ટ્રિક વાહનો (EVs) માટે રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાંથી 100 ટકા મુક્તિની જાહેરાત કરી છે. આ લાભો રાજ્યના EV ખરીદદારો માટે ઉપલબ્ધ થશે જેઓ તેલંગાણામાં તેમના ઇલેક્ટ્રિક વાહનો ખરીદે છે અને નોંધણી કરાવે છે. રાજ્ય સરકારે એવી પણ જાહેરાત કરી છે કે આ લાભો 31 ડિસેમ્બર, 2026 સુધીના બે વર્ષના પ્રારંભિક સમયગાળા માટે […]

પાકિસ્તાન સીમા પારના આતંકવાદને સંપૂર્ણપણે ખતમ ના કરે ત્યાં સુધી વાતચીત શક્ય નથીઃ ભારત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂતે કહ્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ શરૂ થઈ શકે છે જ્યારે પાકિસ્તાન સીમા પારના આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરે. ભારતીય રાજદૂતે કહ્યું કે, ભારત સીમા પારના આતંકવાદનો શિકાર છે અને આતંકવાદ પ્રત્યે અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે. ભારતીય રાજદૂતે કહ્યું કે, પાકિસ્તાન સાથે અમારો મુખ્ય મુદ્દો આતંકવાદ છે. કોલંબિયા […]

ભારતે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ એનર્જી ટ્રાન્ઝિશન પર જી-20 સમિટના ત્રીજા સત્રને સંબોધિત કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ બધા માટે સ્વચ્છ અને ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવાના પ્રયાસોને વેગ આપવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ, વન વર્લ્ડ-વન […]

ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં ભારતની હરણફાળ, 1.2 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થશે

નવી દિલ્હીઃ ભારતનો ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે અને આગામી વર્ષોમાં 25 થી 30 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) સાથે 1.2 કરોડ રોજગારીની તકોનું સર્જન કરશે. સોમવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ટીમલીઝ ડિગ્રી એપ્રેન્ટિસશિપ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ 1.2 કરોડ નોકરીઓમાંથી 30 લાખ […]

બે લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ કરીને ભારતે પોતાની તાકાત વધારી

ભારતે એક અઠવાડિયાની અંદર બે લાંબા અંતરની મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને એરોસ્પેસની દુનિયામાં પોતાની વધતી તાકાતનો દમ દેખાડયો છે. આ બે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઉપયોગમાં લેવાતી સૌથી લાંબી રેન્જની પરંપરાગત મિસાઈલ હશે, જેની રેન્જ વિસ્તૃત રેન્જ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ કરતા પણ વધારે છે. ભારતને હવે એક શક્તિશાળી રોકેટ ફોર્સની જરૂર છે, જેના માટે ગાઈડેડ […]

44 સેકન્ડમાં 12 રોકેટ, ભારતે તૈયાર કર્યું ખતરનાક હથિયાર, ફ્રાન્સ સહિત અનેક દેશ ખરીદવા લાઇનમાં

ભારત તેની સૈન્ય ક્ષમતા વધારવા માટે સતત નવા સૈન્ય હથિયારો વિકસાવી રહ્યું છે અને તેનું પરીક્ષણ કરી રહ્યું છે. ભારતે ગુરુવારે (14 નવેમ્બર) તેના એડવાન્સ ગાઈડેડ વેપન સિસ્ટમક પિનાકાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. પિનાકા મિસાઈલ સિસ્ટમ 44 મિનિટમાં 12 રોકેટ છોડીને દુશ્મનને એક ક્ષણમાં ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. સંરક્ષણ મંત્રાલયે આ અંગે શું કહ્યું? રક્ષા […]

જળવાયુ પરિવર્તનની અસરો વારંવાર આપત્તિઓના સ્વરૂપમાં સ્પષ્ટ થઈ રહી છે: ભારત

નવી દિલ્હીઃ ભારતે ભારપૂર્વક જણાવ્યું કે જળવાયુ પરિવર્તનની અસરો વારંવાર આપત્તિઓના સ્વરૂપમાં વધુને વધુ સ્પષ્ટ થઈ રહી છે. અઝરબૈજાનના બાકુ ખાતે COP 29 સમિટમાં ભારતે ક્લાઇમેટ ફાઇનાન્સ પરની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમાન વિચારસરણી ધરાવતા દેશો વતી નિવેદન આપ્યુ હતું. પર્યાવરણ મંત્રાલયના અધિક સચિવ, નરેશ પાલ ગંગવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે હવામાનની આત્યંતિક ઘટનાઓ એટલી વારંવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code