1. Home
  2. Tag "Indian fishermen"

પાકિસ્તાનની મલીર જેલમાં કેદ 22 ભારતીય માછીમારો મુક્ત

પાકિસ્તાનના કરાચીની મલીર જેલમાં બંધ 22 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. એક સ્થાનિક અખબારે મલીર જેલના સુપરિન્ટેન્ડેન્ટ અરશદ શાહને ટાંકીને જણાવ્યું હતું કે માછીમારોને શુક્રવારે તેમની સજા પૂર્ણ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. આજે તેને ભારતને સોંપવામાં આવી શકે છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ઈધી ફાઉન્ડેશનના અધ્યક્ષ ફૈઝલ ઈધીએ માછીમારોને લાહોર પહોંચવા માટે પરિવહનની […]

શ્રીલંકાએ મુક્ત કરેલા 20 ભારતીય માછીમારો સ્વદેશ પરત ફર્યા

ચેન્નાઈઃ શ્રીલંકાની જેલમાંથી મુક્ત થયેલા 20 ભારતીય માછીમારો પ્લેન દ્વારા ચેન્નાઈ પહોંચ્યા છે. આ માછીમારોની શ્રીલંકન નેવી દ્વારા એક વર્ષ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ તમિલનાડુના પુડુકોટ્ટાઈ, રામનાથપુરમ અને થુથુકુડી જિલ્લાના રહેવાસી છે અને શ્રીલંકાની જેલમાં હતા. ભારત અને શ્રીલંકાની સરકાર વચ્ચેની વાતચીત બાદ શ્રીલંકાએ 20 માછીમારોને મુક્ત કર્યા હતા. તેમને ભારતીય દૂતાવાસના અધિકારીઓને […]

શ્રીલંકન નેવીએ ગેરકાયદે માછીમારીના આરોપમાં 17 ભારતીય માછીમારોની ધરપકડ કરી

બેંગ્લોરઃ શ્રીલંકાના નૌકાદળે તેના પ્રાદેશિક જળસીમામાં ગેરકાયદે માછીમારી કરવા બદલ 17 ભારતીય માછીમારોની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે અને તેમની બોટ જપ્ત કરી છે. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, આ 17 માછીમારો સહિત આ વર્ષે દ્વીપ રાષ્ટ્રમાં આવી ઘટનાઓમાં ઝડપાયેલા ભારતીય નાગરિકોની સંખ્યા વધીને 413 થઈ ગઈ છે. શ્રીલંકાના […]

શ્રીલંકાએ 19 ભારતીય માછીમારોને મુક્ત કર્યા

બેંગ્લોરઃ શ્રીલંકાની નેવીએ મંગળવારે અટકાયતમાં લીધેલા 19 ભારતીય માછીમારોને ભારત પરત મોકલી દીધા છે. ભારતીય હાઈ કમિશને આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે લગભગ એક અઠવાડિયા પહેલા આટલા જ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. ભારતીય હાઈ કમિશને ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે 19 ભારતીય માછીમારોને શ્રીલંકાથી ચેન્નાઈ મોકલી દેવામાં આવ્યા છે. શ્રીલંકાના નૌકાદળે […]

ગુજરાતઃ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત 200 ભારતીય માછીમારો પરત વતન ફર્યાં

અમદાવાદઃ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 200 જેટલા ગુજરાતી માછીમારો વાઘા બોર્ડર મારફતે ભારતમાં પ્રવેશ્યા હતા અને ખાસ ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યાં હતા. જ્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની જેલમાંથી તાજેતરમાં જ 181 માછીમારો મુક્ત કરાયાં બાદ વધારે 200 માછીમારોને મુક્ત કરવામાં આવ્યાં હતા. 200 માછીમારો ગુજરાતમાં પરત ફરતા પરિવારજનોમાં ખુશી ફેલાઈ છે. પાકિસ્તાનની જેલમાંથી […]

પાકિસ્તાન 600 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરશે

દિલ્હી:થોડા દિવસ પહેલા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાનના મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારી વચ્ચે થયેલી મુલાકાત બાદ પાકિસ્તાન માત્ર પોતાના ગુડ જેસ્ચરને અંતર્ગત ભારતના કેટલાક માછીમારોને મુક્ત કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની સરકાર દ્વારા આ કામ 12 મે અને 14 મે ના રોજ કરવામાં આવી શકે છે. 12મે એટલે કે પહેલા તબક્કામાં 200 અને તે […]

પાકિસ્તાનની વિવિધ જેલમાં 654 ભારતીય માછીમારો બંધ

નવી દિલ્હીઃ પાકિસ્તાન મરીન સિક્યુરિટી અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને ભારતીય માછીમારોનું બોટની સાથે અપહરણ કરવામાં આવતું હોવાનું અવાર-નવાર સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનની વિવિધ જેલમાં 51 ભારતીય નાગરિક અને 654 માછીમારો બંધ હોવાનું જાણવા મળે છે. ભારત અને પાકિસ્તાને એકબીજાની કેદમાં રહેલા સામાન્ય કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી હતી. 2008માં કોન્સ્યુલર એક્સેસ પરના કરારની […]

પાકિસ્તાનની જેલમાં બંધ 20 ભારતીય માછીમારો 19મી જૂને થશે મુક્ત

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરમિયાન અવાર-નવાર પાકિસ્તાન સિક્યુરિટી એજન્સી ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાન દ્વારા વિવિધ જેલમાં બંધ 20 જેટલા ગુજરાતી માછીમારોને આગામી 20મી જૂનના રોજ મુક્ત કરવામાં આવશે. આ અંગેની જાણકારી મળતા માછીમાર પરિવારમાં ખુશી ફેલાઈ […]

પાકિસ્તાનની જેલમાં બંધ 20 માછીમારો પણ મુક્ત કરાયાં, પરિવારોમાં ખુશીનો માહોલ

અમદાવાદઃ પાકિસ્તાનની જેલમાં બંધ 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યાં છે. મોટાભાગના માછીમારો ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકના હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં મુક્ત કરાયેલા માછીમારો પરત ઘરે ફરશે. પાકિસ્તાનની જેલમાંથી 20 માછીમારો મુક્ત કરવામાં આવતા માછીમારોના પરિવાર અને સમાજમાં ખુશી ફેલાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમા સાથે […]

પાકિસ્તાનની જેલમાંથી 20 ભારતીય માછીમારોને કરાશે મુક્ત

અમદાવાદઃ ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાન મરીન સિક્યુરિટી અવાર-નવાર માછીમારી કરતા ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરીને લઈ જતી હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન આવતીકાલે પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ લગભગ 20 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ 20 જેટલા માછીમારો 14મી નવેમ્બરના રોજ વાધા બોર્ડર ઉપર પહોંચશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code