1. Home
  2. Tag "iran"

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ઘટાવવા માટે વાતચીત અને કુટનીતિથી ઉકેલ લાવવો જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ ઈરાનએ ઈઝરાયલ ઉપર મિસાઈલ એટેક કર્યાં બાદ ઈઝરાયલી પીએમ નેતન્યાહૂએ આપેલી ધમકીને પગલે પશ્ચિમ એશિયામાં મોટા યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયએ વાતચીત અને કૂટનીતિથી મુદ્દાનો ઉકેલ લાવવા માટે અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, અમે પશ્ચિમ એશિયામાં સુરક્ષા સ્થિતિને […]

ઈરાનમાં વસતા ભારતીયો માટે ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી

ભારતીયોને બિન-જરુરી મુસાફરી નહીં કરવા કરાઈ અપીલ ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં રહેવા સૂચના નવી દિલ્હીઃ ઈરાનના હુમલા બાદ ઈઝરાયલે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. દરમિયાન, બંને દેશો વચ્ચે યુદ્ધના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ઈરાનમાં વસતા પોતાના નાગરિકોને સાવચેત કર્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, તે મધ્ય પૂર્વની ઘટનાઓ પર નજીકથી નજર રાખી […]

ઈઝરાયલ ઉપર હુમલો હાનિયા અને હસન નસરલ્લાહના મોતનો બદલો લેવા કર્યોઃ ઈરાન

અમને સ્વરક્ષણનો અધિકારઃ ઈરાન ઈઝરાયલ ઉપર અનેક રોકેટ છોડીને કર્યો હુમલો નવી દિલ્હીઃ મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ ધીમે-ધીમે અન્ય દેશોમાં પણ વિસ્તરી રહ્યું છે. દરમિયાન ઈરાને ઈઝરાયલ ઉપર રોકેટથી હુમલો કર્યો હતો. ઈરાનના વિદેશ મંત્રાલયે ઈઝરાયેલ પરના હુમલાને લઈને એક નિવેદન જાહેર કર્યું છે. ઈરાને નિવેદનમાં કહ્યું છે કે, તેણે […]

ઈઝરાયલ સાથે સમજૂતી કરવી ઈરાન માટે ઘાતક સાબિત થશેઃ આયાતુલ્લા અલી ખમેની

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંબંધ બન્યાં વધારે તંગ હમાસના વડા બાદ ઈરાને હુમલાની તૈયારીઓ શરૂ કરી હતી ઈરાન હવે પીછેહઠ કરે તો તોના પરિણામ ભોગવવા પડશેઃ ખમેની નવી દિલ્હીઃ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ પશ્ચિમ એશિયામાં તણાવ અને ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલાની ચેતવણીને કારણે સર્જાઈ રહેલા દબાણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે […]

નીતિન ગડકરી ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજધાની તેહરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. નીતિન ગડકરીએ પ્રમુખપદ ગ્રહણ કરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનને શુભેચ્છા પાઠવી હતી. વિદેશ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંને પક્ષોએ ચાબહાર પોર્ટના વિકાસ પર સહકાર […]

ઇઝારાયેલના હુમલામાં માર્યો ગયો હમાસનો ચીફ ઇસ્માઇલ હાનિયા, IRGCએ કરી પુષ્ટિ

હમાસનો ચીફ ઇસ્માઇલ હાનિયા માર્યો ગયો છે. IRGCએ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તેમના ઘરને નિશાન બનાવી કરવામાં આવેલી એક સ્ટ્રાઇકમાં તેમનું મોત થયું. ઈઝરાયેલે હમાસ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઈઝરાયેલે એક હુમલામાં હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાને મોતને ઘાટ ઉતારી દીધો છે.. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ એક […]

ઈરાનઃ સુધારાવાદી નેતા મસૂદ પેઝેશ્કિયન નવા રાષ્ટ્રપતિ બન્યા

નવી દિલ્હીઃ ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. સુધારાવાદી ઉમેદવાર ડો. મસૂદ પેઝેશ્કિયાને રૂઢિચુસ્ત સઈદ જલીલીને હરાવીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. દેશના ચૂંટણી પંચે આની જાહેરાત કરી છે. આયોગના પ્રવક્તા મોહસીન ઈસ્લામીએ કહ્યું કે દેશમાં 49.8 ટકા મતદાન થયું છે. નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે લગભગ 30 મિલિયન વોટ પડ્યા હતા. શુક્રવારની ચૂંટણી પછી અધિકારીઓ દ્વારા રજૂ […]

કેમ ઇરાનના જ કેટલાક લોકો રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના મોતની કરી રહ્યા છે ઉજવણી

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ બાદ સમગ્ર વિશ્વમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી, પરંતુ ઈરાનમાં જ તેમના મૃત્યુની ઉજવણી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર આવા કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઈરાનીઓ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરતા જોવા મળે છે. ઘણા લોકો હેલિકોપ્ટર દુર્ઘટનાની ઉજવણી કરતા સોશિયલ મીડિયા પર […]

ઈરાનમાં ઇબ્રાહિમ રાયસીના અંતિમ સંસ્કારમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ હાજરી આપશે

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 22 મેના રોજ ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઇરાનની મુલાકાત લેશે. જોકે ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. 23 મેના રોજ ઈરાનમાં તેમની અંતિય યાત્રા યોજવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 22 મેના રોજ ઈરાન જવા રવાના થશે. ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીના સન્માનમાં સમગ્ર ભારતમાં એક દિવસીય રાજ્ય […]

ઈરાનના રાષ્ટ્રપતિના મોત માટે ખુદ ઈરાનને જવાબદાર ગણાવતું યુએન સિક્યુરિટી કાઉન્સિલ

નવી દિલ્હીઃ અમેરિકાએ ઈરાનમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસમાં સહયોગ આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી, વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન અને અન્ય છ લોકોના મોત થયા હતા. ઈરાન સરકારે તપાસમાં મદદ કરવા માટે અમેરિકાને વિનંતી કરી હતી. જ્યારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરને એક પ્રેસ કોન્ફરન્સમાં ઈરાન સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code