કેદારનાથ નજીક ગૌરીકૂંડ પાસે હેલિકોપ્ટર ક્રેશ થતાં 7 યાત્રાળુઓના મોત
મૃતકોમાં બે વર્ષના બાળકનો સમાવેશ, યુપી-મહારાષ્ટ્રના 2-2 મુસાફરો અને ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાતના 1-1 મુસાફરો હતા, હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું હતુ. દહેરાદૂનઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રિકો આવી રહ્યા છે. ત્યારે ઘણા યાત્રિકો હેલિકોપ્ટરમાં કેદારનાથ જતા હોય છે. આજે રવિવારે સવારે લગભગ 5:20 વાગ્યે કેદારનાથ નજીક ગૌરીકુંડ ખાતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. […]