કેદારનાથ ધામમાં હવે ભક્તો ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે,બાબાના થશે નિકટના દર્શન
દહેરાદૂન:કેદારનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા યાત્રિકોની સંખ્યામાં ઘટાડાને જોતા હિમાલય મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) ના પ્રમુખ અજેન્દ્ર અજયે શનિવારે જણાવ્યું હતું કે,શ્રદ્ધાળુઓની અભૂતપૂર્વ ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા કારણોસર 6 મેના રોજ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.અજયે કહ્યું, “મંદિરના ગર્ભગૃહમાં ખૂબ જ મર્યાદિત જગ્યા છે અને તીર્થયાત્રીઓને અંદર જવા […]


