કેદારનાથ ધામના દ્વાર શુભ મૂહર્તમાં ખોલવામાં આવ્યા,પીએમ નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા કરવામાં આવી
- વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના દ્વાર
- પીએમ મોદીના નામેથી કરવામાં આવી પહેલી પૂજા
- CM ધામી સહિત 10 હજાર ભક્તો રહ્યા ઉપસ્થિત
દહેરાદુન :કેદારનાથ ધામના દ્વાર શુક્રવારે સવારે 06:26 વાગ્યે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવ્યા હતા. હવે 6 મહિના સુધી કેદાર ધામમાં બાબાના ભક્તો તેમના દર્શન અને પૂજા કરી શકશે.બાબાના મંદિરને દસ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે,વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ ધામના દ્વાર ખોલવામાં આવ્યા હતા તે સમયે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે 10 હજારથી વધુ ભક્તો પણ હાજર રહ્યા હતા.આ પહેલા ગુરુવારે ભગવાન કેદારનાથની પંચમુખી ડોલી ભક્તોના જયઘોષ સાથે ધામમાં પહોંચી હતી.
અહીં મંદિર પાસે બાબાની ડોલી મૂકવામાં આવી હતી. દ્વાર ખોલ્યા બાદ બાબાની પંચમુખી મૂર્તિ કેદાર મંદિરમાં બિરાજમાન થઈ.વિધિવિધાન અને ધાર્મિક પરંપરાઓ સાથે બાબા કેદારનાથના દ્વાર ખોલવામાં આવ્યા છે. તે જ સમયે, પીએમ નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા કરવામાં આવી હતી. તો,સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ પ્રાર્થના કરી અને બાબા કેદારના આશીર્વાદ લીધા.
મુખ્ય પૂજારી કેદાર લિંગ દ્વારા બાબા કેદારના ઉત્સવ ડોલીની સેવા અને પૂજા કરવામાં આવી હતી.આ પછી ડોલીને શણગારવામાં આવી હતી. કેદારનાથ રાવલ ભીમાશંકર લિંગ, વેદપાઠીઓ, પૂજારીઓ, હકુકધારીઓની હાજરીમાં વૈદિક પરંપરાઓ અનુસાર મંત્રોચ્ચાર કર્યા અને શુભ સમયે દરવાજા ખોલવામાં આવ્યા અને ડોલીને મંદિરમાં દાખલ કરવામાં આવી.