1. Home
  2. Tag "LAKHTAR"

લખતરના નજીક નર્મદા કેનાલના રોડ પર કારે સિંચાઈ માટેના ત્રણ એન્જિન મશીનને ટક્કર મારી

ખેડૂતોએ કેનાલ પર એન્જિન મશીન મુક્યા હતા લીલાપુર તરફ જતી કારે એન્જિન મશીન સાથે અથડાઈ અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતરના કડુ નજીક નર્મદાની વલ્લભીપુર શાખા નહેરના સમાંતર રોડ પર ગઈકાલે રાતના સમયે અકસ્માત સર્જાયો હતો. એક કારચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી પિયત માટે નહેર કિનારે મૂકેલા ત્રણ એન્જિન મશીનોને હડફેટે લીધા […]

લખતર તાલુકાના અણિયાળી ગામ જતા મુખ્ય રસ્તા પરના કોઝવેમાં પાણી ભરાતા મુશ્કેલી

ગ્રામજનોની પુલ બનાવવા અનેક માંગણી છતાં તંત્ર ધ્યાન આપતું નથી, નાના-મોટા વાહનોને કોઝવેના પાણીમાંથી પસાર થવું પડે છે, કોઝવે એક તરફ તૂટી ગયો હોવાથી અકસ્માત થયાવો ભય સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના અણીયાળી ગામે જવાના કોઝવે ઉપર વરસાદના કારણે પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટી ગયો હતો. કોઝવેના સ્થળે પુલ બનાવવા વર્ષોથી ગ્રામજનો માંગ કરી રહ્યા […]

લખતરના ઐતિહાસિક ગઢની દીવાલ બની જર્જરિત, દીવાલમાંથી પથ્થરો નીકળવા લાગ્યા

લખતરના ઠોકોર સાહેબે કિલ્લાની જાળવણી કરવા સરકારને લખ્યો પત્ર તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા કિલ્લો બન્યો જર્જરિત અગાઉ પણ રજુઆતો કરવામાં આવી હતી, છતાંયે કોઈ જ પગલાં ન લેવાયા સુરેન્દ્રનગરઃ જિલ્લાનું લખતર શહેર ઐતિહાસિક ગણાય છે. અને  વર્ષો પહેલા ગામ ફરતે બંધાયેલો કિલ્લો આજે પણ અડિખમ રીતે ઊભો છે. પણ તંત્રની લાપરવાહીને કારણે હવે આ […]

લખતરમાં આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓએ પગાર વધારવાની માગ સાથે રેલી કાઢી

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં આશા વર્કર અને આંગણવાડીના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પગાર વધારવાની માગણી કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનો દ્વારા આરસીડીએસ ઓફિસ તાલુકા પંચાયત ખાતેથી રેલી યોજીને  મામલતદારને આવેદન આપી પગાર વધારાની માગ કરવામાં આવી હતી. લખતરમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો […]

લખતરના લીલાપુર નજીક પુર ઝડપે કાર રોડ સાઈડના ખાડાંમાં ખાબકતા એકનું મોત, બે ગંભીર

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લખતર તાલુકામા માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. લખતરના કારેલા અને લીલાપુર વચ્ચે રોડ પર પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પરના ખાડાંમાં ખાબકી હતી. કારમાં સવાર ત્રણ પ્રવાસીઓને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં ચંદુભાઈ ચેહરભાઈ પરમારને અતિ ગંભીર ઇજા હોવાથી […]

સુરેન્દ્રનગરના લખતરમાં કરાતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર સામે ગ્રામજનો મેદાને પડ્યાં

સુરેન્દ્રનગરઃ જિલ્લાના વિકાસ કામો માટે  કરોડો રૂપિયા ફાળવાતા હોય છે. જેમાં વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરાતો હોવાની પણ ફરિયાદો ઊઠી રહી છે. ત્યારે જિલ્લાના લખતરમાં ચાલતા વિકાસ કામોમાં બે-રોકટોક ભ્રષ્ટાચાર સામે ગ્રામજનો મેદાને પડ્યો છે. વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર અંતર્ગત કરવામાં આવેલી લેખિત અને મૌખિક રજુઆતની તપાસ ન કરાંતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેમાં […]

લખતરમાં પાણીની પાઈપ લાઈન લિકેજ થતાં નદીની જેમ પાણી બજારોમાં વહેવા લાગ્યું

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતરમાં આડેધડ ખોદકામને કારણે શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે.  રોજબરોજ શહેરનાં કોઈને કોઈ વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ હોવાનાં કારણે પાણીની રેલમછેલ થઇ રહી છે. તેવામાં લાઈન રીપેર કર્યા બાદ પણ ત્રણેક દિવસમાં જ લાઈન ફરી લીકેજનાં બનાવો પણ બની રહ્યા છે. જેના કારણે સ્થાનિક તંત્ર માત્રને માત્ર દેખાડા પૂરતું અને ચોપડે રીપેરીંગ બતાવવા […]

લખતરના વિઠ્ઠલગઢ નજીક નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડતા પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યાં

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામની સીમમાંથી પસાર થતી પેટા કેનાલમાં ગાબડુ પડતાં આસપાસનાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કેનાલના નબળા કામ કરનારા સામે કડક કાર્યવાહી કરવા તેમજ પાકને થયેલુ નુકશાનનું વળતર તાત્કાલિક ચુકવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.ખેડૂતોને ખેતર સુધી પાણી […]

લખતરના લીલાપુર નજીક નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરો બન્યા જળબંબાકાર

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામ પાસે નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં જળબંબાકાર સર્જાયો છે. ખેતરોમાં ઉભેલા પાક એરંડા અને કપાસમાં કેનાલના પાણી ફરી વળ્યા છે. કેનાલમાં ગાબડું પડ્યાની જાણ નર્મદા કેનાલના સિંચાઈ અધિકારીઓને કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખોડુ સહિતના વિસ્તારોના ખેડુતો પાણી માટે લડત કરી રહ્યા આવે છે, […]

લખતરમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા, ખેડુતોને નુકશાન

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકામાં  નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન વેંઠવાનો વારો આવ્યો છે. ભાસ્કરપરાથી વિઠ્ઠલાપુર, બજરંગપુરા તરફ જતી નર્મદા મેઇન કેનાલમાં ભાસ્કરપરા પાસે કેનાલ પર ગેટ મુકેલ છે. સ્થાનિકોને જાણ કર્યા વગર નર્મદા કેનાલનો ગેટ ખોલી નખાતા કેનાલ છલકાઇ હોવાનો ખેડુતો આક્ષેપ કરી રહ્યા છે. કેનાલ ઓવરફ્લો થતા હજારો વીઘા જમીન તથા અમદાવાદ-સુરેન્દ્રનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code