1. Home
  2. Tag "Lakshadweep"

આંદામાન-નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપના તમામ ઘરોમાં 100 ટકા સોલાર એનર્જી પેનલ લગાવવી જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ટાપુ વિકાસ એજન્સી (આઇડીએ)ની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહનાં લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ (નિવૃત્ત) ડી કે જોશી, લક્ષદ્વીપનાં વહીવટકર્તા પ્રફુલ પટેલ, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન અને વિવિધ કેન્દ્રીય મંત્રાલયોનાં સચિવો તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં […]

લક્ષદ્વીપના પાવર અને શહેરી વિકાસ ક્ષેત્રની કેન્દ્રીય પ્રધાન મનોહર લાલે કરી સમીક્ષા

નવી દિલ્હીઃ કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના પાવર સેક્ટરની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન લક્ષદ્વીપના પાવર સેક્ટરને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન વીજ ઉત્પાદનની સ્થિતિ અને ઉત્પાદનના સ્ત્રોતો, વીજ વિભાગની કામગીરી, વીજળીની માંગ અને પુરવઠાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અને વીજ વિતરણને લગતા […]

લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો, 3 મહિનામાં 22990 પ્રવાસીઓએ લીધી મુલાકાત

ગયા વર્ષે 3 મહિનામાં 11074 પ્રવાસીઓ ગયા હતા લક્ષદ્વીપ જતી ફ્લાઈટ સેવાઓમાં થયો વધારો નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પર્યટનને નવી પાંખો મળી છે. PMની ભારતીયોને લક્ષદ્વીપની મુલાકાત લેવાની વિનંતીની અસર હવે દેખાઈ રહી છે. સરકારી ડેટા અનુસાર, ભારતીય ટાપુ પર જનારા મુસાફરોની સંખ્યા આ વર્ષે એપ્રિલ-જૂનમાં બમણી થઈને […]

લક્ષદ્વીપમાં એરપોર્ટ બનાવવાની તૈયારી, આર્મીના વિમાન પણ ઓપરેટ કરશે

બેંગ્લોરઃ લક્ષદ્વીપ-માલદીવ વિવાદ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે, ભારત સરકાર લક્ષદ્વીપમાં નવું એરપોર્ટ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તે લક્ષદ્વીપના મિનિકોય દ્વીપમાં બનાવવામાં આવશે, જ્યાં ફાઈટર જેટ, મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેન અને કોમર્શિયલ વિમાન ઓપરેટ કરી શકાશે. મિનિકોય આયલેન્ડમાં નવું એરપોર્ટ બનાવવાનો પ્રસ્તાવ સરકારને ઘણા સમય પહેલા મોકલવામાં આવ્યો હતો, પણ પાછલા એઠવાડિયે પીએમ મોદીની […]

લક્ષદ્વીપને લઈને સરકારનો મોટો પ્લાન: મિનિકૉયમાં બનશે નવું એરપોર્ટ, ફાઈટર જેટ પણ થશે તહેનાત

નવી દિલ્હી: માલદીવ સાથેના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે લક્ષદ્વીપને લઈને મોટો પ્લાન બનાવ્યો છે. હવે મિનિકોય ટાપુસમૂહ પર નવું એરપોર્ટ વિકસિત કરવાની તૈયારી છે. આ એરફીલ્ડ કોમર્શિયલ વિમાનો સાથે ફાઈટર જેટ્સ અને મિલિટ્રી એરક્રાફ્ટ્સને પણ ઓપરેટ કરવામાં સક્ષમ થશે. તેના પહેલા પણ મિનિકોય ટાપુસમૂહમાં નવા હવાઈ ક્ષેત્રને વિકસિત કરવા માટે સરકાર પાસે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો […]

લક્ષદ્વીપમાં દરિયાના પાણીને પીવાલાયક બનાવવાનો પ્લાન્ટ ઈઝરાયલ સ્થાપિત કરશે

નવી દિલ્હીઃ માલદીવની સાથે પર્યટનને લઈને શરૂ થયેલા સોશિયલ મીડિયા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે કહ્યું છે કે તે આવતીકાલથી લક્ષદ્વીપમાં ડિસેલિનેશન (સમુદ્રના પાણીને પીવાલાયક બનાવવા) કાર્યક્રમ શરૂ કરશે. તેનાથી ટાપુઓમાં પ્રવાસનને વેગ મળશે. ઇઝરાયેલના ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, કાર્યક્રમ શરૂ કરવા માટે […]

PM મોદીની મુલાકાત બાદ લક્ષદ્વીપએ ગુગલ સર્ચમાં સર્જ્યો રેકોર્ડ, રોજ એક લાખથી વધુ લોકો કરે છે સર્ચ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ ગૂગલ સર્ચમાં ‘લક્ષદ્વીપ કીવર્ડ’એ 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આવું 20 વર્ષમાં પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વમાં લક્ષદ્વીપને ગૂગલ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને પોતાના સોશિયલ હેન્ડલ પર સુંદર ફોટા અને વીડિયો શેર કર્યા […]

માત્ર ફરવા માટે નહીં, લક્ષદ્વીપ જવાનો પીએમ મોદીનો ઉદેશ્ય છે ખાસ, માલદીવને પણ આપ્યો સંદેશ

લક્ષદ્વીપ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ યાત્રાની ઘણી ચર્ચા થઈ રહી છે. વિપક્ષે આને લઈને રજાઓ ગાળવા અને ફરવાને લઈને કટાક્ષ કર્યો છે. પરંતુ હકીકત આનાથી બિલકુલ અલગ છે. હકીકતમાં લક્ષદ્વીપ જવાની પાછળ પીએમ મોદીનો ઉદેશ્ય બેહદ ખાસ છે. તેના દ્વારા જ્યાં એક તરફ તેઓ ટૂરિઝ્મની સંભાવનાઓને વિકસિત કરવાની મનસા ધરાવે છે. ભારતીય પર્યટકોની નજરમાં લક્ષદ્વીપને […]

આઝાદી બાદ કેન્દ્રમાં રહેલી સરકારોએ માત્ર પોતાના રાજકીય પક્ષોના વિકાસને પ્રાથમિકતા આપીઃ નરેન્દ્ર મોદી

ચેન્નઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં રૂ. 1156 કરોડની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. તેમણે સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, આઝાદી બાદ લાંબા સમય સુધી કેન્દ્રમાં જેમની પણ સરકાર રહી છે તેમની પ્રાથમિકતા પોતાના પક્ષના વિકાસની રહી છે. જ્યારે અમારી સરકારે દરિયાકાંઠાનો વિસ્તાર અને સરહદી વિસ્તારનો વિકાસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર […]

પીએમ મોદી તમિલનાડુ અને લક્ષદ્વીપની લેશે મુલાકાત,અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 અને 3 જાન્યુઆરી 2024ના રોજ તમિલનાડુ અને લક્ષદ્વીપની મુલાકાત લેશે. 2જી જાન્યુઆરી, 2024ના રોજ, સવારે લગભગ 10:30 વાગ્યે, વડાપ્રધાન તમિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચશે. તેઓ ભારતીદાસન યુનિવર્સિટી, તિરુચિરાપલ્લીના 38મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ હશે. બપોરે લગભગ 12 વાગ્યે, તિરુચિરાપલ્લીમાં એક જાહેર કાર્યક્રમમાં, વડાપ્રધાન ઉડ્ડયન, રેલ, માર્ગ, તેલ અને ગેસ, શિપિંગ અને ઉચ્ચ ક્ષેત્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code