1. Home
  2. Tag "Latest News Gujarati"

રાજકોટમાં ફુલો વરસાવીને લોકોએ સ્વ. વિજય રૂપાણીને અંતિમ વિદાય આપી

  મહાનુભાવો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી આપી રાજકોટવાસીઓએ લોક લાડીલા નેતાને ભીની આંખે વિદાય આપી, અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ જામી અમદાવાદઃ વિમાન દૂર્ઘટનામાં મૃત્યુ માપેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લવાયો હતો. રૂપાણીના નિવાસસ્થાને ભાવાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.સ્વગર્સ્થની અંતિમ યાત્રામાં રાજકીય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિમાન દૂર્ઘટનાના સારવાર લેતા દર્દીઓને મળી ખબર અંતર પૂછ્યા

ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી મુખ્યમંત્રીએ સમગ્ર કામગીરીની સમીક્ષા કરી, DNA નમૂના મેપિંગની પ્રક્રિયા તથા ઇજાગ્રસ્તોને ઝડપી સારવાર માચે નિર્દેશો આપ્યા, ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિમાન દુર્ઘટનાના પીડિતોને મળી તેમના ખબરઅંતર પૂછ્યા હતા અને હતભાગીઓના પરિવારજનોની મુલાકાત લઈ, તેમને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ મંત્રીશ્રીઓ તથા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક […]

ભારત પાસે પરમાણુ શસ્ત્રોની સંખ્યા વધી 180 ઉપર પહોંચી, પરમાણુ શસ્ત્રો વહન કરતી મિસાઈલોની સંખ્યામાં વધારો

નવી દિલ્હીઃ વારંવાર પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ધમકી આપતા પાકિસ્તાનને એ જાણીને મોટો ઝટકો લાગશે કે ભારતે પોતાના પરમાણુ શસ્ત્રોનો ભંડાર વધાર્યો છે. આ વર્ષે ભારતના પરમાણુ શસ્ત્રોની સંખ્યા 180 પર પહોંચી ગઈ છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) ના નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પરમાણુ શસ્ત્રોની બાબતમાં પાકિસ્તાન કરતાં આગળ છે, […]

આતંકવાદ મુદ્દે સમર્થન બદલ નરેન્દ્ર મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિનો આભાર માન્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે સંયુક્ત રીતે મીડિયાને સંબોધિત કર્યું. પીએમ મોદીએ સરહદ પાર આતંકવાદ સામે ભારતની લડાઈમાં સાયપ્રસના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. આ સાથે, બન્ને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. પીએમ મોદીએ કહ્યું કે હું રાષ્ટ્રપતિનો ભવ્ય સ્વાગત અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર […]

કોસ્ટ ગાર્ડ માટે સ્વદેશી રીતે ડિઝાઈન કરાયેલ જહાજ ‘અચલ’ લોન્ચ કરાયું

મુંબઈઃ ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 60 ટકા સ્વદેશી સામગ્રીથી બનેલ જહાજ ‘અચલ’ સોમવારે ગોવા શિપયાર્ડ લિમિટેડ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ કિનારાના કોસ્ટ ગાર્ડ કમાન્ડર અનિલ કુમાર હરબોલાના પત્ની કવિતા હરબોલાએ ‘અથર્વવેદ’ ના મંત્ર સાથે જહાજનું નામકરણ કર્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડે આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું ભરીને આ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. લોન્ચિંગ […]

ભારત આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવા તરફ આગળ વધી રહ્યું છે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાહત કમિશનરો અને આપત્તિ પ્રતિભાવ દળોના વાર્ષિક પરિષદને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, બે વર્ષથી અમે […]

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ :‘મેક ઈન ઇન્ડિયા’ લોખંડનો પુલ લોન્ચ કરવામાં આવ્યો

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સતત પ્રગતિના ભાગ રૂપે, ગુજરાતના ભરૂચ નજીક DFCC ટ્રેક પર 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ પૂર્ણ થયો. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં બાંધવામાં આવનાર આઠમો સ્ટીલ બ્રિજ છે અને સમગ્ર કોરિડોર માટે 17 સ્ટીલ બ્રિજ અને 28 સ્ટીલ બ્રિજ છે. લગભગ 1400 મેટ્રિક ટન વજનવાળો આ પુલ 14.6 મીટર ઊંચો અને […]

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે શિક્ષકોના તાલીમના સમયમાં ફેરફાર કરવાની માગ

તાલીમનો સમય બપોરે 12થી 2 વાગ્યા સુધીનો રાખવા માગ, બેલેટ પેપરથી મતદાન હોવાથી શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે, તાલીમનો સમય બપોરે 2થી 4નો હોવાથી શિક્ષકોને ઘેર જઈને પરત ફરવું પડે છે ગાંધીનગરઃ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શિક્ષકોને ફરજ સોંપવાની હોવાથી હાલ શિક્ષકોને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની હોવાથી […]

અમદાવાદના શાહીબાગમાં એક રાતમાં જ્વેલરી શોપ સહિત 10 દૂકાનોના તાળાં તૂંટ્યા

20 લાખની મત્તાની તસ્કરો ઉઠાવી ગયા, ચોરીના ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, પોલીસે સીસીટીવી કૂટેજ મેળવીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં સુજાતા ફલેટની સામે આવેલા મલ્લીનાથ કોમ્પ્લેક્ષની 10 દુકાનના તાળાં તોડી તસ્કરો રોડડ, દાગીના તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળીને અંદાજે રૂ.20 લાખની મત્તા ચોરી ગયા હતા. એક જ રાતમાં જે 10 દુકાનોના તાળા […]

ઈન્દોર-અમદાવાદ હાઈવે પર ખાનગી બસ પલટી, 13 પ્રવાસીઓને ઈજા

દાહોદના જેકોટ નજીક છાયણ ઘાટીમાં હાઈવે પર બસ પલટી, ઈજાગ્રસ્ત પ્રવાસીઓને દાહોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, સ્થાનિક લોકોએ દોડી આવીને પ્રવાસીઓને બહાર કાઢ્યા દાહોદઃ રાજ્યના હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર એક ખાનગી બસ પલટી ગઈ હતી. દાહોદના જેકોટ નજીક છાયણ ઘાટીમાં આજે સોમવારે વહેલી સવારે એક ખાનગી બસ પલટી ખાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code