દેશમાં માઓવાદી હિંસામાં 83 ટકાનો ઘટાડોઃ કેન્દ્રીય મંત્રી
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે હરિયાણા રાજ્યના માનેસર જિલ્લામાં રાષ્ટ્રીય સુરક્ષા જૂથ (NSG) સંકુલની મુલાકાત લીધી હતી. માનેસરની મુલાકાત દરમિયાન, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે, તેમણે દેશમાં માઓવાદી હિંસામાં થયેલા ઘટાડાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 2010ની સરખામણીમાં દેશમાં માઓવાદી હિંસામાં 83% ઘટાડો થયો છે. […]