1. Home
  2. Tag "ministers"

2024 ની ચૂંટણી પહેલા PM મોદી એક્શનમાં,મંત્રીઓને આપ્યો ‘મંત્ર’

દિલ્હી : કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂરા થવા સાથે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં આવી ગઈ છે. વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને મંત્ર આપ્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, આગામી ચૂંટણી વંચિતોને ધ્યાનમાં રાખીને થશે, તેથી તમારા મંત્રાલયની નીતિઓ તેમના હેઠળ બનાવો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન […]

કરકસરની વાત માત્ર કાગળ પર જ, ગુજરાત સરકારના મંત્રીઓ માટે 6. 84 કરોડના ખર્ચે 23 કાર ખરીદાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓ માટે રૂપિયા 6.84 કરોડના ખર્ચે 23 કાર ખરીદવામાં આવશે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલામાં સ્કોર્પિયો કારને વિદાય આપીને નવી ફોર્ચુનર કારો ખરીદવામાં આવી હતી. જે તમામ કાર બુલેટપ્રફ હોવાનું કહેવાય છે. મોટાભાગે મુખ્યમંત્રી બહારગામ કોઈ કાર્યક્રમમાં જાય ત્યારે સરકારી વિમાનનો ઉપયોગ કરતા હોય છે. હવે સરકારના મંત્રીઓ માટે પણ […]

દેશના વિવિધ રાજ્યોના લગભગ 200 જેટલા મંત્રીઓ ક્રિમિનલ કેસનો કરી રહ્યાં છે સામનો

નવી દિલ્હીઃ બિહારના કાનૂન મંત્રી કાર્તિકેય સિંહ ઉપર અપહરણનો આરોપ છે, તેમ છતા તેમને મંત્રી બનાવવામાં આવ્યા હોવાનો ભાજપાએ આક્ષેપ કર્યો છે. ભાજપના સાંસદ સુશીલ મોદીએ દાવો કર્યો હતો કે, જે દિવસે કાર્તિકેય સિંહને અદાલતમાં સરન્ડર કરવાનું હતું તે જ દિવસે તેમણે કાનૂન મંત્રી પદના શપથ લીધા હતા. જો કે, બિહારના આ મંત્રી ઉપર જ  […]

યુવા મોડેલ એસેમ્બલીનો ગુજરાત પ્રયોગ: CM, મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભા ગૃહના પ્રેક્ષક બન્યાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યૂરો તથા ધી સ્કૂલ પોસ્ટના ઉપક્રમે યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવેલું છે. આ મોડેલ યુવા એસેમ્બલીના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબહેન આચાર્ય સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, શાસકપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યો અને વિધાનસભાના દંડક પંકજભાઇ વગેરે પ્રેક્ષક દીર્ઘામાં ગોઠવાયા હતા […]

ભાજપ સરકારના મંત્રીઓને જાગ્યો હીંચકે હીંચકવાનો શોખ, જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીએ ખાધા હીંચકાં

ગાંધીનગરઃ રાજ્ય સરકારના બે મંત્રીઓને હીંચકે હીંચકવાનો શોખ જાગતા બન્ને મંત્રીઓ જાહેરમાં હીંચકો જોઈને હીંચકા પર બેસીને હીંચકતા કેમેરામાં કેદ થઈ ગયા હતા.જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સવારે મોર્નિંગ વોકમાં નિકળ્યા હતા ત્યારે વડલાની વડવાઈઓ જોઈને તેમને હીચકવાનું મન થઈ ગયું હતું અને સવારના મુક્ત વાતાવરણમાં વડવાઈઓના ઝૂલે હીંચકવા લાગ્યા હતા. જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી […]

ભૂપેન્દ્ર પટેલની સરકારને વધુ ગતિશીલ બનાવવા પેન્ડિંગ કામો પૂર્ણ કરવાના મંત્રીઓને આદેશ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓએ પેન્ડિંગ કામો સત્વરે પૂર્ણ કરવા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર.પાટીલે સુચના આપી હતી. ચૂંટણીને એક વર્ષ બાકી હોવાથી હવે આ સરકાર પાસે વધુ સમય નથી અને એટલે જ ચૂંટણીને લક્ષમાં રાખીને ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી […]

ગુજરાત સરકારના મંત્રીઓને પણ ઈલેક્ટ્રીક વાહનો ફાળવવાનો નિર્ણય લેવાશેઃ પૂર્ણેશ મોદી

ગાંધીનગરઃ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. સાથે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે, ત્યારે ઇલેક્ટ્રિક વાહનો જ સસ્તો વિકલ્પ બન્યો છે. એવા સમયે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે આગામી દિવસોમાં અનેક આયોજન હજી પાઇપલાઇનમાં છે. જેમાં વિશેષ કરીને ઇલેક્ટ્રિક વાહનો અને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના મંત્રીઓને ઇલેક્ટ્રિક વાહનો આપવાનો પણ અમે […]

રાજયના તમામ મંત્રીઓ અને અધિકારીઓને સોમ-મંગળ બે દિવસ ઓફિસમાં હાજર રહેવા ફરમાન

ગાંધીનગરઃ પાટનગરના સ્વર્ણિમ સંકુલ તેમજ સચિવાલયમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. કોરોનાને લીધે લોકોને કચેરીઓમાં પ્રવેશ માટે પાબંદી લગાવવામાં આવી હતી.પણ ભૂપેન્દ્ર પટેલની સરકારે લોકો માટે સ્વર્ણિમ સંકુલ સહિત તમામ કચેરીઓ અનલોક કરી દીધી છે. એટલે હવે દુર દુરથી લોકો પોતાના પ્રશ્નો માટે રજુઆત કરવા આવી રહ્યા છે. ઘણીવાર સરકારના મંત્રીઓ કે અધિકારીઓ કચેરીઓમાં હાજર […]

ગુજરાતમાં ભાજપના મંત્રીઓ જન આર્શીવાદ યાત્રા યોજી પ્રજાના આર્શિવાદ મેળવશેઃ પ્રદિપસિંહ વાઘેલા

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા 16ઓગસ્ટથી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરવામાં આવનાર છે જેમાં રાજય કક્ષાના કેન્દ્રીય મંત્રીઓ 16 થી 18 ઓગસ્ટ અને કેન્દ્રના  કેબિનેટ મંત્રીઓ 19થી 21 ઓગસ્ટ દરમિયાન સરકારની કોરોનાની ગાઇડ લાઇનના નીયમોના પાલન સાથે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત પ્રજાના આશિર્વાદ પ્રાપ્ત કરવા જશે. જન આશીર્વાદ યાત્રામાં 43 મંત્રીઓ જોડાશે. આ દરમિયાન 212 […]

ઘારાસભ્યો, સાંસદો અને પ્રધાનોના ફોન રિસિવ કરીને ફરિયાદોનું નિરાકરણ કરવા અધિકારીઓને તાકિદ

અમદાવાદઃ  રાજ્યમાં ધારાસભ્યો અને સાંસદોનું પણ અધિકારીઓ સાંભળતા નથી, એટલું જ નહી પ્રધાનોના ફોન પર રિસિવ કરતા નથી. આવી ફરિયાદો ખૂદ ભાજપના ધારાસભ્યો અને પ્રધાનોએ મુખ્યપ્રધાનને કરી હતી. આથી મુખ્યપ્રધાને તમામ અધિકારીઓને કડક સુચના આપીને ધારાસભ્યો,સાંસદો અને પ્રધાનોની ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા અને તેમનુ માન-સન્માન જળવાય તે અંગે ધ્યાન રાખવા સ્પષ્ટ સુચના આપી હતી. રાજ્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code