કોરોના મહામારીઃ રાજ્યની હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ, કેન્દ્ર પાસે રસીના 12 લાખ ડોઝની માંગણી
અમદાવાદઃ કોરોના મહામારીનો સામનો કરવા વહીવટીતંત્રની સુસજ્જતા અંગે ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે આજે યોજાયેલી મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ૠષિકેશભાઈ પટેલ પણ જોડાયાં હતા. તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મોકડ્રીલ બાદ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ […]