1. Home
  2. Tag "municipality"

ગુજરાતમાં વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે, સરકારનો નિર્ણય

ગાંધીનગરઃ નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્ય સરકારના આ નિર્ણયની વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની પોરબંદર-છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. એટલું જ નહીં, અખંડ ભારતના શિલ્પી લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદની નગરપાલિકાને પણ મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવશે. નાણાંમંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે, પોરબંદર-છાયા શહેર દરિયાકિનારે આવેલ વિશિષ્ટ ભૌગોલિક […]

ગુજરાતમાં વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન કે બાંધછોડ કરાશે નહીઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ  રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ તેમજ વિવિધ નગરપાલિકાઓને એક જ દિવસમાં એક સાથે  2084  કરોડ રૂપિયાના ચેક વિકાસ કામો માટે અર્પણ કરતાં મુખ્યમંત્રી  ભૂપેન્‍દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું નાણાંકીય વ્યવસ્થાપન એવું સુદ્રઢ છે કે, વિકાસ કામોમાં નાણાંની ક્યારેય કમી રહેતી નથી. મુખ્યમંત્રીએ વિકાસના કામોમાં ગુણવત્તા-ક્વોલિટી સાથે કોઇ સમાધાન કે બાંધછોડ […]

પાલનપુર નગરપાલિકાની દુકાનોનું રૂપિયા 45 લાખનું બાકી ભાડુ ન ચુકવાતા 8 દુકાનોને સીલ લાગ્યા

પાલનપુરઃ શહેરની નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. નગરપાલિકાનું વીજળી બિલ પણ બાકી છે. ત્યારે આવક વધારવા માટે બાકી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે દરમિયાન નગરપાલિકાની માલિકીની ભાડાની દુકાનોનું ભાડુ ન ભરતા દુકાન ધારકો પર વસુલાતની કાર્યવાહી હાથ ધરાઇ છે. નગરપાલિકા દ્વારા એપ્રિલ 2023થી 14 ડિસેમ્બર 2023 સુધી […]

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી

લખનૌઃ ઉત્તર પ્રદેશની મ્યુનિસિપલ ચૂંટણીઓ અને રાજ્ય વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે શનિવારે સવારે મતગણતરી શરૂ થઈ હતી. ઉત્તર પ્રદેશમાં, રામપુર જિલ્લામાં સ્વર અને મિર્ઝાપુર જિલ્લામાં છાંબે વિધાનસભા બેઠકો માટે 10 મેના રોજ મતદાન યોજાયું હતું, જ્યારે રાજ્યના 75 જિલ્લાઓમાં નગરપાલિકાની ચૂંટણીઓ માટે 4 મે અને 11 મેના રોજ બે તબક્કામાં મતદાન યોજાયું હતું. અધિકારીઓએ […]

રાજ્યની દરેક નગરપાલિકામાં એક ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવાશેઃ મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની દરેક નગરપાલિકાઓ એક ટાઉનપ્લાનિંગ સ્કીમ બનાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની નાની-મોટી નગરપાલિકાઓ પોતાના નગરોના વિકાસકામો માટે વધારાના નાણાં આયોજિત કરવા સાથે નગર સુખાકારી અને જનસુવિધા વૃદ્ધિના કામો હાથ ધરી શકે તે માટે આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શહેરી […]

જસદણમાં ભાજપ શાસિત નગરપાલિકાએ પાંચ કરોડનું વીજ બીલ ન ચૂકવતા વીજળી કનેકશન કપાયું

જસદણઃ  રાજકોટ જિલ્લાના જસદણમાં ભાજપ શાસિત નગર પાલિકાની આર્થિક હાલત ડામાડોળ બની છે. નગરપાલિકાના સત્તાધિશોએ લાખો રૂપિયાના લાઇટબિલની ચુકવણી ન કરતા pgvcl દ્વારા લાઇટનું કનેક્શન કાપી દેવામાં આવતા શહેરભરમાં અંધારપટ છવાઈ ગયો હતો. ઉપરાંત પાણી વિતરણ વ્યવસ્થાને પણ અસર પહોંચી છે.  શહેરના ચિતલિયા કુવા રોડ, લાતી પ્લોટ, આટકોટ રોડના કનેક્શન કાપી નાખવામાં આવ્યાં હતા. નોંધનીય છે […]

ગુજરાતમાં નગરપાલિકા વિસ્તારોમાં થયેલા ગેરકાયદે બાંધકામોને રિપોર્ટ આપવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ રાજ્યની નગરપાલિકા વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો કેટલા છે. તેનો રિપોર્ટ આપવા હાઈકોર્ટે ગુજરાતના ચીફ મ્યુનિસિપાલિટી કમિશનરને માર્ચના પહેલા અઠવાડિયામાં એફિડેવિટ કરવા હુકમ કર્યો છે. ધોળકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેના બાંધકામ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે ન.પા. અને રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. સાથે જ એવો મહત્ત્વનો હુકમ રાજ્યના […]

મોરબી દૂર્ઘટનાકાંડ, CBI તપાસ માટે સુપ્રીમમાં વધુ એક રિટ : વધુ વળતરની પણ માંગ

રાજકોટઃ મોરબીમાં સર્જાયેલી પુલ દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટમાં વધુ થયેલી એક રિટમાં સમગ્ર દુર્ઘટનાની સીબીઆઈ તપાસની માગણી કરતી વધુ એક રિટ અરજી સર્વોચ્ચ અદાલતમાં દાખલ થઇ છે. મોરબીની ઘટનામાં દિવંગત થયેલા પરિવારો દ્વારા સમગ્ર પ્રકરણમાં જવાબદારો સામે પગલા લેવા તેમજ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિના અધ્યક્ષ પદ હેઠળની કમિટી મારફત તપાસ અને મૃતકોના કુટુંબીજનોને વધુ વળતરની પણ માગણી […]

મોરબી પુલ દૂર્ઘટનાઃ બેદરકારી બદલ નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરાયાં

અમદાવાદ: મોરબીમાં પુલ તડવાની ઘટનામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. દરમિયાન સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. બેદરકારી બાબતે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મોરબીનો ઝૂલતો પૂલ તુટવાની ઘટનામાં રાજ્યના શહેરી વિકાસ વિભાગે મહત્વનું પગલુ […]

ડીસામાં ઠેર-ઠેર ગંદા પાણીનો ભરાવો અને ગંદકી થતાં આરોગ્ય વિભાગે પાલિકાને નોટિસ ફટકારી

ડીસાઃ  શહેરમાં ચોમાસાની સીઝનમાં  ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો થવાથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. અગાઉ ભરાયેલા ગંદા પાણીનો નિકાલ કરવા અને ગટરોની સફાઈ કરાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાને નોટિસ ફટકારી હતી. નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરીને પ્રિમોન્સુન પ્લાનિંગ અંતર્ગત ગટરો સહિત વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code