1. Home
  2. Tag "municipality"

જસદણમાં ભાજપ શાસિત નગરપાલિકાએ પાંચ કરોડનું વીજ બીલ ન ચૂકવતા વીજળી કનેકશન કપાયું

જસદણઃ  રાજકોટ જિલ્લાના જસદણમાં ભાજપ શાસિત નગર પાલિકાની આર્થિક હાલત ડામાડોળ બની છે. નગરપાલિકાના સત્તાધિશોએ લાખો રૂપિયાના લાઇટબિલની ચુકવણી ન કરતા pgvcl દ્વારા લાઇટનું કનેક્શન કાપી દેવામાં આવતા શહેરભરમાં અંધારપટ છવાઈ ગયો હતો. ઉપરાંત પાણી વિતરણ વ્યવસ્થાને પણ અસર પહોંચી છે.  શહેરના ચિતલિયા કુવા રોડ, લાતી પ્લોટ, આટકોટ રોડના કનેક્શન કાપી નાખવામાં આવ્યાં હતા. નોંધનીય છે […]

ગુજરાતમાં નગરપાલિકા વિસ્તારોમાં થયેલા ગેરકાયદે બાંધકામોને રિપોર્ટ આપવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ રાજ્યની નગરપાલિકા વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો કેટલા છે. તેનો રિપોર્ટ આપવા હાઈકોર્ટે ગુજરાતના ચીફ મ્યુનિસિપાલિટી કમિશનરને માર્ચના પહેલા અઠવાડિયામાં એફિડેવિટ કરવા હુકમ કર્યો છે. ધોળકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેના બાંધકામ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે ન.પા. અને રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. સાથે જ એવો મહત્ત્વનો હુકમ રાજ્યના […]

મોરબી દૂર્ઘટનાકાંડ, CBI તપાસ માટે સુપ્રીમમાં વધુ એક રિટ : વધુ વળતરની પણ માંગ

રાજકોટઃ મોરબીમાં સર્જાયેલી પુલ દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટમાં વધુ થયેલી એક રિટમાં સમગ્ર દુર્ઘટનાની સીબીઆઈ તપાસની માગણી કરતી વધુ એક રિટ અરજી સર્વોચ્ચ અદાલતમાં દાખલ થઇ છે. મોરબીની ઘટનામાં દિવંગત થયેલા પરિવારો દ્વારા સમગ્ર પ્રકરણમાં જવાબદારો સામે પગલા લેવા તેમજ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિના અધ્યક્ષ પદ હેઠળની કમિટી મારફત તપાસ અને મૃતકોના કુટુંબીજનોને વધુ વળતરની પણ માગણી […]

મોરબી પુલ દૂર્ઘટનાઃ બેદરકારી બદલ નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરાયાં

અમદાવાદ: મોરબીમાં પુલ તડવાની ઘટનામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. દરમિયાન સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. બેદરકારી બાબતે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મોરબીનો ઝૂલતો પૂલ તુટવાની ઘટનામાં રાજ્યના શહેરી વિકાસ વિભાગે મહત્વનું પગલુ […]

ડીસામાં ઠેર-ઠેર ગંદા પાણીનો ભરાવો અને ગંદકી થતાં આરોગ્ય વિભાગે પાલિકાને નોટિસ ફટકારી

ડીસાઃ  શહેરમાં ચોમાસાની સીઝનમાં  ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો થવાથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. અગાઉ ભરાયેલા ગંદા પાણીનો નિકાલ કરવા અને ગટરોની સફાઈ કરાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાને નોટિસ ફટકારી હતી. નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરીને પ્રિમોન્સુન પ્લાનિંગ અંતર્ગત ગટરો સહિત વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી કરવામાં […]

સુરેન્દ્રનગર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને બે મહિનાથી પગાર ન મળતા પ્રમુખને ઘેરાવ કરાયો

સુરેન્દ્રનગરઃ શહેરની નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા સફાઈ કામદારોને છેલ્લા બે મહિનાથી પગાર ચુકવાયો નથી. અસહ્ય મોંઘવારીમાં સફાઈ કામદારોને બો મહિનાથી પગાર ન મળતા પરિવારની હાલત કફોડી બની છે. સફાઈ કામદારોએ નગરપાલિકાના સત્તાધિશોને વારંવાર રજુઆતો કરી હોવા છતાં નગરપાલિકાના પ્રમુખ કે ચિફ ઓફિસર દ્વારા સંતોષકારક જવાબ પણ અપાતો નથી. આથી સફાઈ કામદારોએ નગરપાલિકાના પ્રમુખની કચેરીનો […]

વાપી નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે 44માંથી 37 બેઠકો કબજે કરી, આપનું ખાતુ પણ ન ખૂલ્યું

વલસાડ: જિલ્લાના  વાપી પાલિકાની ચૂંટણીમાં ભાજપે હેટ્રીક વિજય નોંધાવ્યો છે, 44 બેઠકોમાંથી 37 બેઠકો કબજે કરી છે. જ્યારે કોંગ્રેસને સાત બેઠકો મળી છે. અને આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ થયા છે. વાપી નગરપાલિકામાં ભાજપે એક તરફી જીત મેળવતા 44માંથી 37 બેઠકો પર કબજો કર્યો છે. તો 7 બેઠકો સાથે કૉંગ્રેસે જીતીને ફરી વિપક્ષમાં બેસવાનો વારો […]

મહેસાણાઃ 20 બહુમાળી ઈમારતોને ફાયરસેફ્ટી મુદ્દે પાલિકાએ પાઠવી નોટિસ

ફાયરસેફ્ટીની સુવિધા ઉભી કરવા તાકીદ પાણી અને ગટર કનેકશન કાપી નાખવાની આપી ચીમકી પાલિકાએ શહેરમાં સર્વે કરીને આપી હતી નોટિસ અમદાવાદઃ શહેરની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે ફાયર સેફ્ટી અને એનઓસી મુદ્દે તંત્રનો ઉધડો લીધો હતો. દરમિયાન ફાયર સેફ્ટી મુદ્દે ઉત્તર ગુજરાતમાં મહેસાણાની નગરપાલિકા એકશનમાં આવી છે. દરમિયાન મહેસાણાની […]

ધાનેરા નગરપાલિકાના સભ્યોને ગેરરીતિના મુદ્દે એડમિનિસ્ટ્રેશન મ્યુનિ. કમિશનર સમક્ષ હાજર થવા આદેશ

ધાનેરાઃ બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનો વિવાદ વધુ વકર્યો છે.  વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરવાના મુદ્દે પાલિકાના નગરસેવકોને ગાંધીનગરનું તેડું આવ્યું છે.ભાજપ-કૉંગ્રેસના તમામ 25 નગરસેવકોને એડમિનિસ્ટ્રેશન મ્યુનિસિપલ કમિશનર સમક્ષ  તા.7મી ઓક્ટોબરે હાજર રહેવા આદેશ કરાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ધાનેરી નગર પાલિકામાં છેલ્લા 3 વર્ષથી વિવાદ ચાલે છે. આ અગાઉ પણ કૉંગ્રેસના 15 નગરસેવકોને સસ્પેન્ડ કરાતા મુદ્દો હાઈકોર્ટમાં […]

પાટણમાં હવે કોરોનાની રસી નહીં લેનાર વેપારી નહીં કરી શકે વેપાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ કોનાને નાથવા માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો કોરોનાની રસી લઈ રહ્યાં છે. દરમિયાન પાટણ પાલિકાએ કોરોનાનું સંક્રમણ અને રસીકરણને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. 45 વર્ષથી વધીની ઉંમરના વેપારીઓ કોરોનાની રસી નહીં લે તો તેઓ વ્યવસાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code