1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મોરબી દૂર્ઘટનાકાંડ, CBI તપાસ માટે સુપ્રીમમાં વધુ એક રિટ : વધુ વળતરની પણ માંગ
મોરબી દૂર્ઘટનાકાંડ, CBI તપાસ માટે સુપ્રીમમાં વધુ એક રિટ : વધુ વળતરની પણ માંગ

મોરબી દૂર્ઘટનાકાંડ, CBI તપાસ માટે સુપ્રીમમાં વધુ એક રિટ : વધુ વળતરની પણ માંગ

0
Social Share

રાજકોટઃ મોરબીમાં સર્જાયેલી પુલ દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટમાં વધુ થયેલી એક રિટમાં સમગ્ર દુર્ઘટનાની સીબીઆઈ તપાસની માગણી કરતી વધુ એક રિટ અરજી સર્વોચ્ચ અદાલતમાં દાખલ થઇ છે. મોરબીની ઘટનામાં દિવંગત થયેલા પરિવારો દ્વારા સમગ્ર પ્રકરણમાં જવાબદારો સામે પગલા લેવા તેમજ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિના અધ્યક્ષ પદ હેઠળની કમિટી મારફત તપાસ અને મૃતકોના કુટુંબીજનોને વધુ વળતરની પણ માગણી થઇ છે.

અગાઉ સર્વોચ્ચ અદાલતમાં થયેલી રિટ અરજી પર તા. 14ના રોજ સુનાવણી થશે. અને આજની રિટ અરજીઓ પર તેની સાથે જોડી દેવાય એવું લાગે છે.  મોરબીની દુર્ઘટનામાં 135 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને અનેક ઘાયલ થયા હતા તે સમયે રાજ્ય સરકાર દ્વારા સીટની તપાસમાં દુર્ઘટનાના કારણો તપાસવા માટે કાર્યવાહી કરાઈ છે. જ્યારે મોરબી પોલીસ દ્વારા આ અંગે પુલના સંચાલન સાથે જોડાયેલા કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને મોરબી મહાનગરપાલિકાના ચીફ ઓફીસરને પ્રાથમિક રીતે જવાબદાર ગણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

મોરબી શહેરમાં મચ્છુ નદી પરના  કેબલ બ્રિજ તૂટવાની દૂર્ઘટનામાં હવે પોલીસે માછલીરૂપ આરોપીઓની ધરપકડ કર્યા બાદ મગરમચ્છોના ગળામાં ગાળિયા નાખવા તરફ આગળ વધી રહી હોય તેમ લાગી રહ્યુ છે. કેબલબ્રિજનો જેને કોન્ટ્રાક્ટ અપાયો હતો તે ઓરેવા કંપની પર દોષનો ટોપલો ઢોળીને નગરપાલિકાની કોઈ જવાબદારી ન હોવાનો અંચડો ઓઢનારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને અચાનક જ ગાંધીનગર શહેર વિકાસ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સસ્પેન્ડ થતાંની સાથે હવે એવી  વાતો પણ વહેતી થઈ છે કે, ગમે તે ઘડીએ ચીફ ઓફિસરની ધરપકડ પણ થઈ શકે છે.  જો ચીફ ઓફિસર સામે કાયદાકિય ગાળિયો કસાશે તો ઓરેવાના માલિક જયસુખ પટેલ સામે પણ કાયદાકિય કાર્યવાહી થવાના અંદેશા દેખાઈ રહ્યા છે અને આ દિશામાં પોલીસ ગુપ્ત રીતે તપાસ ચલાવી રહી હોવાનું પણ જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીનો મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટયો તેના બીજા  દિવસે નગરપાલિકાના ચીફ ઓફિસરે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ પુલનું મેનેજમેન્ટ, સમારકામ, દેખભાળ સહિતની કામગીરી ઓરેવા કંપની જ સંભાળતી હતી અને એ બાબતના કરારો ઓરેવા કંપની સાથે નગરપાલિકાના થયા હતા. ઓરેવા કંપનીએ બ્રિજ રિપેર કરીને ખુલ્લો મુકયો ત્યારે નગરપાલિકાને  કે જવાબદાર કોઈપણ તંત્ર કે અધિકારીઓને જાણ કરી ન હતી. બ્રિજનું ફિટનેશ સટિર્ફિકેટ લેવામાં આવ્યુ ન હતું, લોડ કેપેસિટી રિપોર્ટ પણ મેળવાયો ન હતો. તમામ મુદ્દાઓને લઈ તેઓનો તર્ક એવો હતો કે, નગરપાલિકાની કોઈ જવાબદારી બનતી નથી. આ સ્ટેટમેન્ટે ભારે ચકચાર જગાવી હતી. પોલીસે સરકાર પક્ષે ફરિયાદી બની ઓરેવાના બે મેનેજેર દીપક નવીનચદ્રં પારેખ, દિનેશ મહાસુખરાય દવે તેમજ પુલ રિપેરિંગનો કોન્ટ્રાકટ રાખનારા ધ્રાંગધ્રાની દેવપ્રકાશ સોલ્યુશન નામની પેઢીના માલિક પિતા–પુત્ર પ્રકાશ લાલજી પરમાર અને તેનો પુત્ર દેવાંગ તેમજ સિકયુરિટી ગાર્ડ અને ટિકિટ કલેકશન કરનારા કર્મચારીઓ મળી નવની ધરપકડ કરી હતી જેમાં બન્ને મેનેજર અને દેવપ્રકાશ સોલ્યુશન પેઢીના માલિક પિતા–પુત્રના શનિવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પર રહેલા આરોપીઓની પૂછતાછ અને તપાસ દરમિયાન બે દિવસથી નગરપાલિકાના ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ, સ્ટાફની પણ તપાસનીશ ટીમ દ્રારા પૂછપરછ કરાઈ હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પોલીસે આ પુલ બાબતનું નગરપાલિકા હસ્તગતનું જરૂરી રેકર્ડ તેમજ ઓરેવા કંપની પાસે રહેલા પુલ સંલ દસ્તાવેજી પુરાવાઓ સહિતની વિગતો પણ એકત્રીત કરી હતી. દરમિયાનમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને અચાનક જ ગાંધીનગરથી છૂટેલા આદેશના પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચીફ ઓફિસર સસ્પેન્ડ થતાંના પગલે હવે એવા સવાલો ઉઠવા લાગ્યા છે કે, ચીફ ઓફિસરની બેદરકારી પુરવાર થઈ છે. અને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ? પોલીસ પૂછતાછ ઉપરાંત સરકાર દ્વારા પાંચ ઉચ્ચ અધિકારીઓની રચાયેલી એસઆઈટી દ્વારા પણ ચીફ ઓફિસરની પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ચાલુ ફરજ દરમિયાન ધરપકડ કરવામાં આવે તો ચીફ ઓફિસરની ધરપકડ થઈ તેવા સમાચારો બને તેના બદલે સરકાર દ્વારા અગમચેતીરૂપે પહેલાં સસ્પેન્ડ કરાયા છે ?

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code