1. Home
  2. Tag "Murder"

કર્ણાટકઃ BJPના નેતાની હત્યામાં આતંકી કનેકશનની આશંકા, 2 આરોપીઓ ઉપર ઈનામની જાહેરાત

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના બે સભ્યો પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. બંને આરોપીઓ પર બીજેપી નેતા પ્રવીણ નેતારુની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ છે. આરોપીઓની ઓળખ કોડાજે મોહમ્મદ શરીફ (ઉ.વ 53) અને મસૂદ કેએ (ઉ.વ. 40) તરીકે થઈ છે. બંને આરોપીઓ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના રહેવાસી છે. NIAએ કહ્યું છે […]

UP: ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યાની ઘટનાનો પર્દાફાશ, પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું ઢીમ ઢાળ્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ગાઝિયાબાદમાં ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પરિણીતાએ પ્રેમી સાથે મળીને આડાસંબંધમાં નડતરરૂપ પતિની હત્યા કર્યા બાદ તેની લાશને નિર્માણધીન મકાનમાં દાટી દેવામાં આવી હતી. અજય દેવગનની ફિલ્મ દ્રષ્યમ […]

દિલ્હીઃ 2 આતંકવાદીઓની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરુ ઘડાયું હતું

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જહાંગીરપુરીમાંથી પકડેલા બંને આતંકીઓની કરેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આતંકવાદીઓએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું છે કે, તેમને હિંદુ નેતાઓની હત્યા કરવાનું કામ આપવામાં આવ્યું હતું. ટાર્ગેટ પૂરો કરવાની પોતાની ક્ષમતા સાબિત કરવા તેમણે એક અજાણ્યા હિંદુ યુવકની હત્યા કરીને લાશના 9 ટુકડા કર્યા હતા અને તેનો વીડિયો બનાવીને […]

જમ્મુ-કાશ્મીરઃ DG જેલની હત્યાની આતંકવાદી સંગઠન PAFFએ લીધી જવાબદારી, અમિત શાહને લઈને કર્યું ચોંકાવનારુ નિવેદન

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ડીજી જેલ હેમંત કુમાર લોહિયાની ઘાતકી હત્યા કેસમાં આતંકવાદી સંગઠનની સંડોવણી સામે આવી છે. આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ ડીજી લોહિયાની કાયરતાપૂર્ણ હત્યાની જવાબદારી લીધી છે. કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી સંગઠને જમ્મુના ઉદાઈવાલામાં ડીજી જેલને માર્યાનો દાવો કરતા કહ્યું કે આ હુમલો કરીને તેમણે બતાવ્યું છે કે તેઓ જ્યારે ઈચ્છે […]

જમદેશપુરઃ જેલમાં બંધ કેદીની હત્યા કરવાના કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજાનો કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ ઝારખંડના જમશેદપુરમાં હત્યાના એક કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજા કોર્ટે ફરમાવી હતી. જમશેદપુરની જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં મનોજસિંહ નામના કેદીનું મોત થયું હતું. આ ઘટના 25મી જૂન 2019ના રોજ બની હતી. જમશેદપુરમાં પ્રથમવાર એક સાથે 15 આરોપીઓને ફાંસીની સજાનો આદેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર 25 જૂન, 2019 ના રોજ, […]

કર્ણાટકમાં ભાજપના યુવા નેતાની હત્યા, પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરની હત્યાનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લામાં બની હતી. કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. ભાજપના યુવા નેતા બાઇક પર ઘરે જઇ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનાને પગલે ભાજપના નેતા-કાર્યકરોમાં રોષ ફેલાયો છે. સુત્રોના […]

આડા સંબંધનો આડો ખેલઃ પતિનું કાસઢ કાઢવા પત્નીએ પ્રેમી સાથે મળીને રચ્યુ ખતરનાક કાવતરુ

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં પૂરઝડપે પસાર થતી જીપકારે એક રાહદારીને અડફેટે લેતા તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાની પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃતકના મિત્ર સાથે પત્નીને આડોસંબંધ હતો. જેથી પરિણીતાએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. એટલું જ નહીં હત્યા કરવા માટે રૂ. 10 લાખની સોપારી આપવામાં આવી […]

આડાસંબંધનો આડો ખેલઃ પતિએ પત્ની-પ્રેમીને ગોળીમારી કર્યો આપઘાત, પતિ-પ્રેમીનું મોત

નવી દિલ્હીઃ આડાસંબંધનો અંજામ હંમેશા કરૂણ જ આવે છે, હિમાચલ પ્રદેશના મનાલીમાં પતિએ પત્ની અને તેના પ્રેમીને કઢંગી હાલતમાં ઝડપી લીધા હતા. જેથી ઉશ્કેરાયેલા પતિએ રિવોલ્વરમાંથી પત્ની અને તેના પ્રેમી ઉપર ફાયરિંગ કર્યું હતું. તે પછી પતિએ ગોળીમારીને આપઘાત કર્યો હતો. આ બનાવમાં પતિ અને પ્રેમીનું મોત થયું હતું. જ્યારે પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ […]

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટના, બડગામમાં ટીવી કલાકારની ગોળી મારી હત્યા કરાઈ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં વધારો થયો છે. રાહુલ ભટ્ટ નામના કાશ્મીરી પંડિતની આતંકવાદીઓએ ઓફિસમાં ઘુસીને ગોળીમારીને હત્યા કરવાની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યારે હવે આતંકવાદીઓએ ટીવી અભિનેત્રી ઉપર ગોળીબાર કરીને તેની હત્યા કરી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં તેનો 10 વર્ષનો ભત્રીજો પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે […]

જમ્મુ-કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટકિલિંગની ઘટનાઃ કાશ્મીરી પંડિતની ગોળીમારી કરાઈ હત્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બિનકાશ્મીરીઓને નિશાન બનાવીને હત્યા કરવાની ઘટનામાં વધારો થયો છે. બડગામ જિલ્લામાં સરકારી કચેરીમાં ઘુસી ગયેલા આતંકવાદીએ સરકારી કર્મચારી ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં સરકારી કર્મચારી ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં તેમનું મોત થયું હતું. ટાર્ગેટ કિલિંગની ઘટનાને પગલે બિનકાશ્મીરીઓમાં ભય ફેલાયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code