1. Home
  2. Tag "narmada"

નર્મદા ઉત્તરવાહિની 14 કિમીની પરિક્રમામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

રામપુરા ખાતે રેવાના તટે મીનીકૂંભ જેવા દ્રશ્યો જોવા મળ્યા તંત્ર દ્વારા શ્રદ્ધાળુંઓ માટે પીવાના પાણી, આરોગ્ય અને આરામની વ્યવસ્થા કરવામાં આવી પરિક્રમાના પ્રથમ સપ્તાહમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં રાજપીપળાઃ નર્મદા જિલ્લાના રામપુરા ખાતે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો છેલ્લા આઠ દિવસથી પ્રારંભ થયો છે. જેમાં 14 કિમીની પરિક્રમામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, […]

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા તા.29મી માર્ચથી એક મહિનો સુધી ચાલશે

પગપાળા પરિક્રમામાં મોટા સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેશે નર્મદા જિલ્લામાં યોજાતી પરિક્રમા માટે ચાલતી તૈયારીઓ પરિક્રમાના રૂટમાં લાઈટ, પાણી, છાયડો, સેવાકેન્દ્રો સહિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી રાજપીપળાઃ નર્મદા નદીની પરિક્રમાનું અનેરૂ મહાત્મ્ય છે. જે શ્રદ્ધાળુઓ નર્મદા નદીની પુરી પરિક્રમા કરી શકતા નથી એવા શ્રદ્ધાળુઓ માટે 14 કિલો મીટરની ઉત્તરવાહિની પરિક્રમાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. […]

રાજ્યના 113 ડેમ સંપૂર્ણ ભરાયા, નર્મદા ડેમમાં 98 ટકા પાણીનો સંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 113 ડેમ સંપૂર્ણ અને 66 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 08 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 05 ડેમમાં 25 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત 158 ડેમને હાઈ એલર્ટ, જયારે 12 ડેમ એલર્ટ અને 09 ડેમને ચેતવણી આપવામાં આવી […]

નર્મદાની નાની પરિક્રમાનો આજથી પ્રારંભ, મહિનો ચાલનારી પરિક્રમા માટે વહિવટી તંત્ર બન્યુ સજ્જ

ભરૂચઃ  ચૈત્ર મહિનાનો તા. 9મી એપ્રિલથી પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભે એટલે કે પ્રથમ દિવસથી નર્મદાની નાની પરિક્રમાનો પ્રારંભ થાય છે. આજે 8મી એપ્રિલથી શ્રદ્ધાળુઓ રામપુરા ગામના નર્મદા નદીના પટમાં ઉમટી પડશે. અને યાત્રાનો શુભારંભ કરશે. માં નર્મદાના નાની પરિક્રમા રૂટ પર આજે 8મી એપ્રિલથી 8મી મે, 2024 સુધી એક મહિનો યાત્રા ચાલશે. […]

દેડિયાપાડાના 118 વર્ષીય ચંપાબેન 1951માં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું

અમદાવાદઃ દેડિયાપાડાના જંગલો વચ્ચે આવેલા સોલિયા ગામના ચંપાબેન પારસિંગભાઇ વસાવાને જૂઓ તો તમને એવું લાગે જ નહીં કે આ મહિલા પોતાના જીવનના 118 વર્ષના પડાવે પહોંચી ગયા છે ! સમગ્ર નર્મદા જિલ્લામાં સૌથી વધું ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન છે, પણ તેમની તંદુરસ્તી તો યુવાનોને પણ શરમાવે એવી છે. 50 થી વધુ પારિવારિક સભ્યોનો વસ્તાર ધરાવતા ચંપાબેન […]

મા નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા 8 એપ્રિલથી શરૂ થશે

નર્મદા જિલ્લામાં આગામી તા. ૮ મી એપ્રિલથી ૮ મી મે-૨૦૨૪ એટલે કે ચૈત્ર વદ અમાસ, એક મહિના સુધી માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે. તેમાં લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો શ્રધ્ધાળુઓ આ ઉત્તરવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તા. ૨૮મી માર્ચ, ગુરૂવારના રોજ કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત […]

નર્મદાના નાગરિકોને કેન્સરની સારવાર માટે અન્ય જિલ્લામાં જવુ નહીં, કન્સર OPDનો પ્રારંભ

અમદાવાદઃ GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી. મોદી કેન્સર સેન્ટરના સહયોગથી “કેન્સર OPD” શરૂ કરવામાં આવી છે. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે આ ઓપીડીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  નર્મદા જિલ્લાના નાગરિકોને કેન્સરના નિદાન માટે અન્ય શહેરોમાં જવાની હવે જરૂર નહીં પડે. કારણ  રાજપીપલાની જનરલ હોસ્પિટલ […]

પતંગ મહોત્સવઃ એકતાનગરના નર્મદા ડેમ વ્યુ પોઇન્ટનું આકાશ રંગબેરંગી અને વિશાળ પતંગોથી છવાયું

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંતર્ગત એકતાનગર ખાતે દેશ-વિદેશના પતંગબાજોએ નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ -1 ખાતે પોતાના કરતબ બતાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલા પતંગ મહોત્સવ દરમિયાન નર્મદા ડેમ સાઇટ તરફનો આકાશી નજારો રંગબેરંગી પતંગોથી છલકાઇ ગયું હતું. એક તરફ ફૂલ ગુલાબી ઠંડી અને બીજી તરફ પતંગબાજી અને ગરબાનો તાલના ત્રિવેણી […]

નર્મદાઃ રાજપીપળામાં સુપ્રસિદ્ધ હરસિધ્ધિ માતાજીના મંદિરમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને શીશ ઝુકાવ્યું

અમદાવાદઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન તા.19 થી 22 ઓગસ્ટ સુધી ગુજરાતના પ્રવાસ પધાર્યા હતા. કેન્દ્રીય મંત્રી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને પ્રથમ દિવસે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (આઈ.એફ.એસ.સી) ના વિકાસ અને વૃધ્ધિ પર નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવોની ટીમ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. […]

કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં મળશે

ગાંધીનગરઃ કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થવાથી અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના 130 જેટલા ગામોના અંદાજે 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે. તત્કાલીન મુખ્યમંત્રી  અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પાણી, ઉદ્યોગો, પ્રવાસન સહિતના વિકાસ કામોનો મહત્તમ લાભ કચ્છને મળે તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code