નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારોઃ 1.61 લાખ ક્યુસેક પાણી છોડાયું
અમદાવાદઃ હાલ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. નર્મદા ડેમના 10 દરવાજા ખોલીને નર્મદા નદીમાં 1.61 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં […]