1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યના 207 જળાશયો 81 ટકા ભરાયાં, નર્મદા ડેમમાં 91 ટકા જળસંગ્રહ
રાજ્યના 207 જળાશયો 81 ટકા ભરાયાં, નર્મદા ડેમમાં 91 ટકા જળસંગ્રહ

રાજ્યના 207 જળાશયો 81 ટકા ભરાયાં, નર્મદા ડેમમાં 91 ટકા જળસંગ્રહ

0
Social Share
  • લગભગ 56 જળાશયો છલકાયાં
  • 56 જળાશય હાઈ એલર્ટ પર અને 16 એલર્ટ પર
  • રાજ્યના 28 જળાશય 24 ટકાથી ઓછા ભરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસામાં સારે વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 81.48 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 90.93 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર જળાશયમાં 303246 MCFT જળસંગ્રહ છે અને 206 જળાશયોમાં 4,27,211 MCFT જળસંગ્રહ થયો છે. રાજ્યના લગભગ 56 જળાશયોમાં છલકાયાં છે.

રાજ્યમાં થયેલ સાર્વત્રિક વરસાદને પરિણામે 57 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. જ્યારે 72 જળાશયો સરદાર સરોવર સહીત 70 ટકાથી 100 ટકા વચ્ચે, 29 જળાશયો 50 ટકાથી 70 ટકા વચ્ચે, 22 જળાશયો 25 ટકાથી 50 ટકા વચ્ચે, અને 28 જળાશયો 24 ટકાથી ઓછા ભરાયા છે.

રાજ્યના 56 જળાશયો 100 ટકાથી વધુ અને 39 જળાશયોમાં 90 ટકાથી 100 ટકાની વચ્ચે જળસંગ્રહ હોઈ હાઈ એલર્ટ પર, 16 જળાશયોમાં 80 ટકાથી 90 ટકાની વચ્ચે જળસંગ્રહ હોઈ એલર્ટ પર તથા 19 જળાશયોમાં 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ હોઈ સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. જેથી આગામી દિવસોમાં રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ નહીંવત છે. રાજ્યમાં સારા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે. રાજ્યમાં ચાલુ વર્ષે જંગી ખરીફ પાકનું ઉત્પાદન થવાની શકયતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code