1. Home
  2. Tag "narmada"

નર્મદાઃ રાજપીપળામાં સુપ્રસિદ્ધ હરસિધ્ધિ માતાજીના મંદિરમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને શીશ ઝુકાવ્યું

અમદાવાદઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન તા.19 થી 22 ઓગસ્ટ સુધી ગુજરાતના પ્રવાસ પધાર્યા હતા. કેન્દ્રીય મંત્રી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને પ્રથમ દિવસે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (આઈ.એફ.એસ.સી) ના વિકાસ અને વૃધ્ધિ પર નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવોની ટીમ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. […]

કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં મળશે

ગાંધીનગરઃ કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થવાથી અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના 130 જેટલા ગામોના અંદાજે 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે. તત્કાલીન મુખ્યમંત્રી  અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પાણી, ઉદ્યોગો, પ્રવાસન સહિતના વિકાસ કામોનો મહત્તમ લાભ કચ્છને મળે તે […]

સુરેન્દ્રનગરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં બે વ્યક્તિઓના ડુબી જવાથી મોત

શ્રમજીવી કેનાલમાં ડુબતા બચાવવા અન્ય યુવાને છલાંગ લગાવી હતી ભારે જહેમત બાદ તરવૈયાઓએ બંને મૃતદેહ બહાર કાઢ્યાં હતા બે યુવાનોના ડુબી જવાથી મોત થયા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન સુરેન્દ્રનગરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ડુબી જવાથી બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. ખેતરમાં કામ […]

એસ જયશંકર નર્મદાની મુલાકાતે, ITIના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના ભૂલકાઓ સાથે સંવાદ કર્યો

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર નર્મદાના એકતાનગર ગયા હતા. અહીં તેમણે આઈટીઆઈની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં વિદ્યાર્થીઓની વચ્ચે બેંચ ઉપર બેસીને શિક્ષક દ્વારા અપાતા શિક્ષણનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શિક્ષક પણ હાંફળાફાંફળા બની ગયા હતા. કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો તેમજ કેટલીક જરુરી સૂચન પણ કર્યું […]

નર્મદાઃ આરોગ્યમ્ એકંદરે સુખાકારી” થીમ અંતર્ગત સાયક્લોથોન યોજાઈ

અમદાવાદઃ નર્મદા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આજે  હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ-રાજપીપળા ખાતેથી “આરોગ્યમ્ એકંદરે સુખાકારી”ની થીમ સાથે સાયક્લોથોન યોજાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જનકકુમાર માઢકની આગેવાનીમાં પ્રસ્થાન થયેલી સાયક્લોથોન કુલ ચાર રુટ ઉપરથી પસાર થઈ હતી. આ સાયક્લોથોનમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ /કર્મચારીઓ અને બાળકો, રાજપીપલાના નાગરિકોએ સાયકલ ચલાવી […]

નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા અર્થે પ્રતિ વર્ષ 10 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ જોડાય છે

રાજપીપલા : ભારત દેશની નદીઓ પૈકી એકમાત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે. ગુજરાતમાં ગીરનારની લીલી પરિક્રમા સહિત અન્ય જાત્રાઓ, પદયાત્રાઓ, ધાર્મિક સ્થળોની યાત્રાએ શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માનિતા સ્થળે જતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લામાંથી પસાર થતી પુણ્ય સલિલા માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમાનું અનેરૂં મહત્વ રહેલું છે. ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર આ […]

ગુજરાતઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં નહીં સર્જાય પાણીની સમસ્યા, નર્મદા ડેમમાં ચોમાસા સુધી ચાલે એટલું પાણી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાના ગરમીના દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા મારફતે આ વિસ્તારોમાં પાણીની સમસ્યાને હળવી કરવા માટે પાણી પુરુ પાડવામાં આવે છે. જો કે, ચોમાસામાં આવેલા સારા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ હતી. રાજ્યમાં હવે ધીમે-ધીમે ગરમી વધી રહી […]

ગુજરાતના તમામ નાના-મોટા ડેમો ભરી શકાય તેટલું નર્મદાનું 11.7 મિલિયન એકર ફિટ પાણી મળશે

અમદાવાદઃ સરદાર સરોવર નર્મદા યોજના સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી ગણાય છે. નર્મદા યોજનાનું પીવાનું પાણી ગામેગામ પહોંચી ગયું છે. તેથી ઉનાળા દરમિયાન લોકોને મુશ્કેલી પડતી નથી. તેમજ સૌની યોજના હેઠળ ડેમો અમે તળાવો ભરવામાં આવી રહ્યા છે. એટલે તેના દ્વારા પણ સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે. નર્મદાના પાણી તો છેક કચ્છ સુધી પહોંચ્યા છે. […]

શિયાળામાં ફરવા માટે કુદરતના ખોળે આવેલા છે આ સુંદર સ્થળો વિશે જાણો

સાહીન મુલતાની- ગુજરાતીઓની વાત આવે એટલે એક વાત તો ચોક્કસ કહી જ શકાય કે,ગુજરાતી એટલે ખાવાના અને ફરવાના ખુબ જ શોખીન,એક બે દિવસ કામ-ઘંઘામાંથી જો રજા મળી જાય એટલે આપણે ગુજરાતીઓ ઉપડી જ જઈએ,આજુ-બાજુ આવેલા પીકનિક સ્પોટ પર કે પછી કોઈ ઘાર્મિક સ્થળ પર અને ઉનાળાની સીઝન હોય તો નદી કે દરિયાના કાંઠે લટાર મારવાનું […]

કુદરતના ખોળે રમતા સુંદર સ્થળોની હારમાળા નર્મદા જીલ્લો – અહીં આવેલા મંડાણ ગામની એક વખત લો મુલાકાત

સાહિન મુલતાનીઃ કુદરતના સાનિધ્યમાં આવેલું  છે  માંડણ ગામ  કાશ્મીરમાં ફરતા હોવાની  થાય છે અનુભુતી ચારે તરફ પહાડોની હારમાળા જો હોય વચ્ચમાં નદીનું સ્થિ પાણી તળાવ સ્વરુપે હોય અને કાશઅમીર જેવા શિકારા જેવી નાવડીઓ વિહાર કરતી હોય તો કેવી મજા આવે ને, જી હા આવું જ એક સુંદર દ્ર્શ્ય સર્જાય છે માંડણ ગામમાં, જે નેત્રંગ તાુલકાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code