1. Home
  2. Tag "navsari"

નવસારીમાં 13 ઈંચ વરસાદ, શહેર બેટમાં ફેરવાયું, ક્યાંક દીવાલો ધરાશાયી, ગેસ-સિલિન્ડર્સ તણાયાં,

નવસારીઃ શહેરમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેમ સાંબેલાધારે 12થી વધુ વરસાદ પડતા શહેર બેટમાં ફેરવાયું હતું. સવારે આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી વરસેલા અનરાધાર વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. નીચાણવાળા વિસ્તારો સહિત ઘણાબધા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. તંત્ર દ્વારા બચાવ અને રાહતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવામાન […]

નવસારીના નજીક 1141 એકરમાં નિર્માણ પામશે PM મિત્ર પાર્ક, એક લાખ લોકોને રોજગારી મળશે

સુરત: ભારતીય કાપડ ઉદ્યોગ એ ઉત્પાદન ક્ષમતા તેમજ રો-મટિરિયલ બેઝ્ડ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક છે. કેન્દ્ર સરકારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ઉત્પાદન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો, ટેક્નોલોજીના અપગ્રેડેશન, કૌશલ્યવર્ધન કરી કાપડ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનું લક્ષ્ય સેવ્યું છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજન એન્ડ એપેરલ-PM […]

દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ, જનજીવનને વ્યાપક અસર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે જનજીવનને વ્યાપક અસર થઈ હતી. ભારે વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને વ્યાપક અસર થી છે. દરમિયાન બારડોલીના 10 અને પલસાણાના 4 માર્ગો વાહન-વ્યવહાર માટે બંધ […]

રાજ્યમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલઃ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

6 કલાકમાં 42 તાલુકામાં વરસાદ વરસ્યો નવસારીમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ બાદ સતત ત્રીજા દિવસે પણ આજે વરસાદી મહોલ જોવા મળ્યો છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન દક્ષિમ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં 6 કલાકના સમયગાળામાં 42 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. નવસારીમાં ધોધમાર વરસાદને પગલે […]

નવસારી નજીક રાત્રે કચ્છ એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, એસી કોચના કાચ તૂટ્યા

અમદાવાદઃ કચ્છ એક્સપ્રેસ ટ્રેન પર નવસારી પાસે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાતાં વાતાનુકુલિત કોચની બારીનો કાચ તૂટી પડતાં પ્રવાસીઓમાં ભય ફેલાયો હતો. આ બનાવની આરપીએફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, મુંબઈ તરફથી આવી રહેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેન નવસારી પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે કોઈ અજાણ્યા […]

દક્ષિણ ગુજરાતના માર્ગો ઉપર જોવા મળશે નવી એસટી બસ, નવસારીમાં 125 નવી બસનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા 125 નવીન બસોનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે તેમની સાથે નવસારી સાંસદ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજયના તમામ શહેરો અને અંતરિયાળ ગામોને પરિવહન સેવાથી સાંકળી લઇ તેમજ કોઇપણ ગામ પરિવહન સેવાથી વંચિત […]

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ તાલીમ અર્થે બેંગકોક જશે

અમદાવાદઃ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા કેટલાક વિદ્યાર્થીઓ તાલીમ લેવા માટે બેંગકોક જશે. બેંગકોકમાં તાલીમ માટે વૈજ્ઞાનિકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બે માસ માટે NAHEP-CAAST પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ મેળવવા થાઈલેન્ડ જશે. થાઈલેન્ડ ખાતે આવેલી પ્રતિષ્ઠિત સંસ્થા AIT-એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બેંગકોકમાં તાલીમ માટે વૈજ્ઞાનિકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની પસંદગી […]

નવસારી નજીક ઈનોવા કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા 4ના ઘટના સ્થળે મોત, બે ગંભીર

નવસારીઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ચીખલી પાસેના આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જતી રહી હતી. ઈનોવા કારમાં પ્રવાસ કરી રહેલા ચાર લોકોના  ઘટનાસ્થળે મોત થયાં હતા, જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને સુરતની […]

નવસારીમાં ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં નવના મોત, 30 મુસાફરો ઘાયલ

અમદાવાદ: ગુજરાતના નવસારી જિલ્લામાં લક્ઝરી બસ અને એસયુવી વચ્ચેની અથડામણમાં નવ લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાંથી ઘણાની હાલત નાજુક છે. રિપોર્ટ્સ અનુસાર, જે બસને અકસ્માત થયો તે સુરતથી વલસાડ જઈ રહી હતી. કારના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ તે બીજી લેન પર આવતી બસ સાથે […]

નવસારી નજીક હાઈવે પર સફરજન ભરેલી ટ્રકએ પલટી ખાતાં લોકોએ સફરજની લૂંટ ચલાવી

નવસારીઃ અમદાવાદ- મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર  નવસારી નજીક ધોળાપીપળા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવતી ટ્રક સામેથી આવતી કારને બચાવવા જતાં  પૂર્ણા નદી નજીક ખાડાંમાં ખાબકી હતી. કારચાલક ઘટના બનતા ત્યાંથી નાસી ગયો હતો. જોકે સમગ્ર ઘટનામાં ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. ટ્રકમાં સફરજન ભર્યા હોય કેટલાક લોકો ઘટનાસ્થળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code