1. Home
  2. Tag "NEW DELHI"

મુંબઈના ગોરેગાંવમાં ભીષણ આગ લાગી, મહિલા સહિત ત્રણ લોકોના શ્વાસ રૂંધાવાથી મોત

નવી દિલ્હી 10 જાન્યુઆરી 2026: મુંબઈના ગોરેગાંવ પશ્ચિમમાં આવેલા ભગતસિંહ નગરમાં સવારે એક ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. આગની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ પણ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ઘરમાં સૂતા ત્રણ લોકો, બે પુરુષો અને એક મહિલા, ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. […]

નવી દિલ્હીની એઇમ્સે સ્ટ્રોકની સારવાર માટે સુપરનોવા સ્ટેન્ટ નામના સ્વદેશી ઉપકરણનું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) એ પહેલી વાર સ્ટ્રોકની સારવાર માટે સુપરનોવા સ્ટેન્ટ નામના સ્વદેશી ઉપકરણનું પરીક્ષણ કર્યું છે. એઇમ્સે જણાવ્યું હતું કે આ ઉપકરણ ભારતીય વાતાવરણ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યાં પશ્ચિમી દેશોની તુલનામાં નાની ઉંમરે સ્ટ્રોક વધી રહ્યા છે. સંસ્થાએ જણાવ્યું હતું કે સુપરનોવા સ્ટેન્ટ […]

ગાઢ ધુમ્મસને કારણે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર બે સ્થળે અકસ્માત: 15થી વધુ વાહનો અથડાયા

નવી દિલ્હીઃ ગાઢ ધુમ્મસને કારણે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર આજે સવારે બે અલગ અલગ સ્થળોએ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વિઝિબિલિટી ઓછી થવાને કારણે વાહનોની ગતિ પર નિયંત્રણ ન રહેતા આ અકસ્માતો સર્જાયા હતા. ચક્રસેનપુર ફ્લાયઓવર અને સમાધિપુર ફ્લાયઓવર પર સર્જાયેલા અકસ્માતમાં 15 વાહનોની ટક્કર થઈ હતી. જો કે, રાહતની વાત એ છે કે, […]

NDA સાંસદોની બેઠકમાં PM મોદીનું સાંસદોને જેન-ઝી(GEN-Z) સાથે જોડાવવાનું આહવાન

નવી દિલ્હી: સંસદ ભવનમાં મંગળવારે સવારે NDA સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત NDAના તમામ સાંસદો હાજર રહ્યા હતા. આ બેઠકમાં NDAના નેતાઓ દ્વારા બિહાર ચૂંટણીમાં શાનદાર જીત બદલ વડા પ્રધાન મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, વડા પ્રધાને સાંસદોને સંબોધિત કર્યા અને અનેક મુદ્દાઓ […]

લો આવી ગઈ દુનિયાના 100 શ્રેષ્ઠ શહેરોની યાદીઃ પ્રથમ ક્રમે કોણ? ભારતના કેટલાં શહેરોને સ્થાન મળ્યું?

લંડન સતત 11મા વર્ષે વિશ્વનું શ્રેષ્ઠ શહેર રહ્યું, ભારતનાં ચાર શહેરને 100ની યાદીમાં સ્થાન નવી દિલ્હી, 20 નવેમ્બર, 2025: Here is the list of the 100 best cities in the world 2026 માટેની વિશ્વનાં શ્રેષ્ઠ શહેરોની વાર્ષિક યાદી અનુસાર ત્રણેય માપદંડમાં સૌથી વધુ સ્કોર કરીને લંડન સતત 11મા વર્ષે ટોચ ઉપર રહ્યું છે. એ ત્રણ માપદંડ […]

44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો- આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે

નવી દિલ્હી: 44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો-IITF આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે. આ 14 દિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં સંયુક્ત આરબ અમીરાત, ચીન, ઈરાન, દક્ષિણ કોરિયા અને ઇજિપ્ત સહિત બાર દેશો ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન, સંરક્ષણ ઉત્પાદન વિભાગ (DDP) આજથી ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. સંરક્ષણ […]

ચૂંટણી પંચે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ 2025 શરૂ કર્યો

નવી દિલ્હી: ચૂંટણી પંચે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ 2025 શરૂ કર્યો. આ કાર્યક્રમ હેઠળ ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા, બેલ્જિયમ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને કોલંબિયાના 14 સહભાગીઓ છ નવેમ્બરના રોજ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું અવલોકન કરશે. પંચે જણાવ્યું કે, બિહારની બે દિવસીય મુલાકાત દરમિયાન સહભાગીઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બાબતે કેન્દ્રોની મુલાકાત લેશે.ઉદઘાટન સત્રમાં, ઇલેક્ટ્રોનિક […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સમેલન-2025નું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સમેલન-2025નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી દેશમાં R&D ઇકોસિસ્ટમને વેગ આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાના સંશોધન, વિકાસ અને નવીનતા યોજના ભંડોળ પણ રજૂ કરશે . આવતીકાલે શરૂ થનાર ત્રણ દિવસીય સંમેલન આ મહિનાની 5મી તારીખે પૂર્ણ થશે. આનો ઉદ્દેશ્ય શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ, […]

નવી દિલ્હી માં ‘આદિ કર્મયોગી અભિયાન અંગે નેશનલ કોન્કલેવ’નું આયોજન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના ઉપક્રમે નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના અધ્યક્ષસ્થાને “આદિ કર્મયોગી અભિયાન અંગેની નેશનલ કોન્કલેવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન’-PM-JANMAN હેઠળ સમગ્ર દેશમાં ‘બેસ્ટ પર્ફોર્મિંગ રાજય’ તરીકે ગુજરાતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ગુજરાત સરકાર વતી આદિજાતિ વિકાસ […]

નવી દિલ્હી ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય “વાઇબ્રન્ટ ગુજરાત ગરબાનો કાર્યક્રમ યોજાયો

પ્રથમ વખત ગુજરાત પર્યટન વિભાગ દ્વારા દિલ્હીમાં ગરબાનું આયોજન કરાયું, ગુજરાતની રંગતભરી સંસ્કૃતિની ઉત્સવને લોકોએ નિહાળ્યો, રાજ્યપાલ દેવવ્રતજી તથા કેન્દ્રિય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા  ગાંધીનગરઃ પ્રથમ વખત ગુજરાત પર્યટન વિભાગે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર કચેરીના સહયોગથી રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં શરદ પૂર્ણિમાના પાવન અવસરે “વાઇબ્રન્ટ ગુજરાત ગરબા સેલિબ્રેશન” નામે ભવ્ય પોસ્ટ-નવરાત્રિ ઉજવણીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ નવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code