1. Home
  2. Tag "NEW DELHI"

એમેઝોન ઇન્ડિયાને ભારતના શ્રમ મંત્રાલયે કર્મચારીઓની હકાલપટ્ટી પર સમન્સ મોકલ્યા.

દિલ્હી: કેન્દ્રીય શ્રમ મંત્રાલયે એમેઝોન ઇન્ડિયાને  કર્મચારીઓની બળજબરીથી છટણી કરવા અંગે સમન્સ મોકલી આપેલ છે. મંત્રાલય દ્વારા કંપનીને બેંગલુરુમાં ડેપ્યુટી ચીફ લેબર કમિશનર સમક્ષ હાજર થવા જણાવવામાં આવ્યું છે. સૂત્રો  અનુસાર, મંત્રાલય દ્વારા મંગળવારે પાઠવેલી આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે,  “તમને   (Amazonને ) વ્યક્તિગત રીતે અથવા અધિકૃત પ્રતિનિધિ સાથે  આ બાબતે સંબંધિત તમામ રેકોર્ડ […]

ભારત-યમન સંબંધો પર યુએનએસસીમાં ભારતીય પ્રતિનિધિએ જણાવ્યું: યમનમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપવા અમે જરૂરી પગલાં લઇ રહ્યાં છીએ.

ન્યૂયોર્ક:  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે મંગળવારે યમનને માનવીય સહાય માટે ભારતની મદદ વિષે જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે, યમનમાં હાલ ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાને લઈને, યમનમાં ખાદ્ય સુરક્ષા માટે, નવી દિલ્હીએ યમનમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં, યમન વિષે તેમણે કહ્યું,” ‘ભારતે દેશમાં ઘઉંની નિકાસને […]

હવે તમારી અંગત માહિતી સુરક્ષિત રહેશે! સરકાર દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા બિલ લાવવામાં આવ્યું.

નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા બિલ 2022નો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. આ અધિનિયમનો હેતુ ડિજિટલ વ્યક્તિગત ડેટા સંબંધિત નિયમન પ્રદાન કરવાનો છે. તે વ્યક્તિઓના વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકાર અને કાયદા અનુસાર જરૂરી વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરવાની જરૂરિયાત બંનેને માન્યતા આપે છે. એક અહેવાલ મુજબ, આ ડ્રાફ્ટમાં સૌથી નોંધપાત્ર ફેરફારો સોશિયલ મીડિયા અને […]

સાહિત્ય આજતકની નવાજૂની : દિલ્હીમાં આજથી શરુ થશે, સૂર અને શબ્દોનો મહાકુંભ, જાણો શું છે ખાસ!

દિલ્હી: કોરોના કાળ પછી બે વર્ષે સાહિત્યના શબ્દો અને સૂરનો મહાકુંભ ફરીથી તેના  પાંચમા સંસ્કરણ સાથે પાછો ફર્યો છે. દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આ સાહિત્ય આજતક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં પુસ્તકો વિશે સંવાદ અને ચર્ચાઓ કરવામાં આવશે અને સાથે જ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે. બે વર્ષ પછી તેના અસલી […]

નવી દિલ્હીઃ કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગ પર ‘નો મની ફોર ટેરર’ કોન્ફરન્સને PM મોદી સંબોધશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી નવેમ્બરે સવારે નવી દિલ્હીમાં ત્રીજી ‘નો મની ફોર ટેરર’ (NMFT) મંત્રી સ્તરીય કોન્ફરન્સ ઓન કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગમાં ઉદ્ઘાટન સંબોધન કરશે. 18મી-19મી નવેમ્બરના રોજ આયોજિત બે દિવસીય કોન્ફરન્સ, ભાગ લેનારા રાષ્ટ્રો અને સંગઠનોને આતંકવાદ વિરોધી ફાઇનાન્સિંગ પર વર્તમાન આંતરરાષ્ટ્રીય શાસનની અસરકારકતા તેમજ ઉભરતા પડકારોને પહોંચી વળવા માટે જરૂરી પગલાંઓ અંગે વિચાર-વિમર્શ […]

ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સપો માર્ટમાં વોટર વિકનું રાષ્ટ્રપતિએ કર્યું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ  આજે ગ્રેટર નોયડામાં ભારત જળ સપ્તાહ ઇન્ડિયા વોટર વીકનું ઉદધાટન કર્યું હતું.  રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, દેશ-વિદેશથી આવેલા મહાનુભાવો જળની સમસ્યા ઉપર ચર્ચા કરીને તેના ઉપાય અંગે કામગીરી કરશે. ભારતીય સભ્યતામાં જળનું મહત્વ છે, ઋષી ભગીરથ દ્વારા ગંગાજીને પૃથ્વી ઉપર લાવ્યાનું આપણે જાણીએ છીએ, ભારતીય સભ્યતામાં પાણીને દેવરૂપમાં જોવામાં આવે […]

યુવાનોમાં ખાદીનો ક્રેઝ વધ્યો, નવી દિલ્હીમાં એક જ દિવસમાં રૂ. 1.34 કરોડનું સૌથી વધારે વેચાણ

નવી દિલ્હીઃ આ વર્ષે 2જી ઓક્ટોબરે, ખાદી ઈન્ડિયાના CP આઉટલેટે ફરી એકવાર એક જ દિવસમાં ખાદીના વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનો ખરીદવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પરથી અનેક પ્રસંગોએ અપીલ કરી છે અને આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કર્યો છે, જે વર્ષ 2014 દરમિયાન સ્થિર ગતિએ હતું. […]

ધ ફેડરેશન ઑફ ઇન્ડિયન પબ્લિશર્સ 42મા વાર્ષિક પુરસ્કારો ફોર એક્સેલન્સ ઇન બુક પ્રોડક્શન 2022નું આયોજન

નવી દિલ્હીઃ ભારતીય પ્રકાશકોની સર્વોચ્ચ સંસ્થા, ધ ફેડરેશન ઑફ ઇન્ડિયન પબ્લિશર્સ (FIP) 42મા વાર્ષિક પુરસ્કારો ફોર એક્સેલન્સ ઇન બુક પ્રોડક્શન 2022નું આજે નવી દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું હતું. ડિરેક્ટોરેટ ઓફ પબ્લિકેશન્સ વિભાગે તેના ટાઇટલ માટે વિવિધ કેટેગરીમાં નવ એવોર્ડ જીત્યા. ડીપીડીએ ‘બેલેન્સિંગ ધ વિઝડમ ટ્રી’ માટે જનરલ અને ટ્રેડ બુક્સ (અંગ્રેજી), ‘ભારત વિભજન કી કહાની’ […]

હવે આવું દેખાશે નવી દિલ્હીનું રેલવે સ્ટેશન,રેલવે મંત્રાલયે ટ્વિટર પર શેર કરી ડિઝાઇન

હવે આવું દેખાશે નવી દિલ્હીનું રેલવે સ્ટેશન રેલવે મંત્રાલયે ટ્વિટર પર શેર કરી ડિઝાઇન દિલ્હી:રેલવે મંત્રાલય આ દિવસોમાં ભારતીય રેલવેની તસવીર બદલવામાં વ્યસ્ત છે.આ ક્રમમાં, ઘણા રાજ્યોના સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે જેથી અહીં આવતા મુસાફરોને કોઈ મોલ અથવા એરપોર્ટ જેવું લાગે. આ દરમિયાન, રેલ્વે મંત્રાલયે તેના ટ્વિટર હેન્ડલ પર નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના […]

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે ચકમક ઝરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશેની ટિપ્પણી મુદ્દે સંસદમાં હંગામો થયો હતો. વિપક્ષ કોંગ્રેસ પર માફી માંગવા માટે સતત ભાજપના સાંસદોએ સતત માંગણી કરી હતી.. આ દરમિયાન સંસદ ભવનમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે આક્રમક બોલાચાલી થઈ છે. બીજેપી સાંસદ રમા દેવી સાથે સોનિયા ગાંધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code