1. Home
  2. Tag "Organ donation"

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે બ્રેઈનડેડ દર્દીઓનું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં બે અંગદાન થયા છે. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસે થયેલ બે અંગદાનથી પાંચ જરૂરીયાતમંદોને નવજીવન મળ્યું છે. આ બે અંગદાનમાં મળેલ ચાર કિડની અને એક લીવરને જરુરીયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીનું જીવન કાર્યક્ષમ બનાવવામાં સફળતા મળી છે. સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૩૦ માં અંગદાનની વિગતો […]

દેશમાં દર વર્ષે સરેરાશ 15000થી વધારે લોકો અંગદાન કરે છેઃ ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ “બીજી વ્યક્તિને જીવન આપવાથી મોટી માનવતાની સેવા બીજી કોઈ ન હોઈ શકે.”. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ 13માં ભારતીય અંગદાન દિવસ (આઈઓડીડી) સમારંભમાં આજે અહીં પોતાના સંબોધન દરમિયાન આ વાત કરી હતીથ . આ પ્રસંગે ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રોફેસર એસ પી સિંહ બઘેલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ […]

ભારતીય સંસ્કૃતિના ઉચ્ચતમ આદર્શો અંગદાન પ્રવૃત્તિ આગળ ધપાવે છેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “અંગદાન મહોત્સવ”નો અમદાવાદ થી પ્રારંભ કરાવતા જણાવ્યું કે, કીડીને કણ, હાથીને મણ‘ ની આપણી સંસ્કૃતિ રહી છે. એ જ રીતે અંગદાન થકી જરૂરિયાતમંદોને નવજીવન આપવાનો ભાવ પણ આપણામાં રહેલો છે. જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત એકમ, SOTTO(State Organ Tissue and Transplant Organisation) અને ગુજરાત મીડિયા ક્લબના […]

અંગદાન એ જ મહાદાન : સુરતમાં બ્રેઈનડેડ દર્દીના અંગદાનથી પાંચ વ્યક્તિઓને મળ્યું નવજીવન

અમદાવાદઃ  ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ની ઉક્તિને સાકાર કરતી દાનવીરોની ભૂમિ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 24 કલાકમાં બીજુ સફળ અંગદાન થયું છે. નવી સિવિલની તબીબી અને પેરામેડિકલ ટીમના સફળ પ્રયાસોના પરિણામે દર અઠવાડિયે એક થી બે અંગદાન થઈ રહ્યા છે. આજે શહેરના પાંડેસરા ખાતે રહેતા 47 વર્ષીય બ્રેઈનડેડ દિપકભાઇ શ્રીધર લિમજેની […]

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બે બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાનથી છ લોકોને જીવતદાન મળ્યું

અમદાવાદઃ તાપી મૈયાના જન્મદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક સાથે બે અંગદાનની વિરલ ઘટના બની છે. જેમાં મૂળ બિહારના અરવિંદ મહંતો અને જામનગરના મનોજભાઈ ચાવડા એમ બે બ્રેઈનડેડ વ્યક્તિઓના ચાર કિડની અને બે લીવરના દાનથી છ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળશે. આ સાથે આજે નવી સિવિલથી અંગદાનની સેન્ચુરી પૂર્ણ થઈ છે. નવી સિવિલ દ્વારા છેલ્લા છ […]

સુરતની બ્રેઈનડેડ યુવતીના અંગદાનથી 4વ્યક્તિઓને નવજીવન તથા એક વ્યક્તિનું જીવન બદલાશે

અમદાવાદઃ દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. આ કડીમાં વધુ એક અંગદાનનો ઉમેરો થયો છે. ગોડાદરાની બ્રેઈનડેડ યુવતીના બે હાથ, બે કિડની, નાનુ આંતરડું તથા લીવરના દાન થકી ચાર વ્યકિતઓને નવજીવન તથા એક વ્યકિતનુ જીવન બદલાશે. સુરત શહેરના ગોડાદરા ખાતે રહેતા 24 વર્ષીય પ્રિતીબેન શુકલાને તા. 3 […]

પાલનપુરઃ અકસ્માતમાં બ્રેઈન-ડેડ થયેલા યુવાનના અંગોનું દાન, 3 વ્યક્તિઓને મળ્યું નવજીવન

અમદાવાદઃ ઉત્તરગુજરાતના પાલનપુરમાં વીજ થાંભલા ઉપર ચડીને કામ કરતો યુજીવીસીએલનો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ ઉપરથી નીચે પડકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. જેથી તેના પરિવારજનોએ યુવાનના અંગોના દાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી આરોગ્ય અધિકારીઓએ તેની બે કીડની અને લીવરનું દાન મેળવ્યું હતું. તેમજ અન્ય 3 દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટની કવાયત તેજ કરી હતી. […]

અંગદાન અંગે લોકોમાં જાગૃતિ વધી, એક વર્ષમાં 15 હજારથી વધારે અંગોનું પ્રત્યારોપણ

નવી દિલ્હીઃ ઓર્ગન ડોનેશન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેક્ટરમાં સુધારા માટે દૂરદર્શી માળખાકીય ફેરફારોની તૈયારી કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે અંગ દાન અને ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિની સમીક્ષા કરતા, ડૉ. ભારતી પ્રવિણ પવાર, એમઓએસ (આરોગ્ય)ની હાજરીમાં આ અંગેના નિર્દેશો આપ્યા હતા. દેશમાં અંગ પ્રત્યારોપણમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2013માં […]

વડોદરામાં બ્રેઈન ડેડ યુવતીના અંગોનું દાન, ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ પહોંચાડાયાં

અમદાવાદઃ વડોદરાની ભાઈકાકા હોસ્પિટલમાં દાખલ એક યુવતીનું બ્રેઇન હેમરેજ થતાં મૃત્યુ થયું હતું અને તે બાદ તેના પરિવારે તેના વિવિધ અંગો દાનમાં આપવામાં સ્તુત્ય નિર્ણય કર્યો હતો. આ અંગોને શહેરની ટ્રાફિક પોલીસે ગ્રીન કોરિડોર બનાવી અંગોને હરણી એરપોર્ટ તથા દુમાડ ચોકડીથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચતા કરાવ્યા હતા. પોલીસને ઇમરજન્સી મેસેજ મળ્યો હતો કે, ભાઇલાલ […]

અમદાવાદ સિવિલઃ 10 મહિનામાં 20 વ્યક્તિઓના અંગદાનથી 54 વ્યક્તિઓને મળ્યું નવુજીવન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અંગદાનને લઈને જાગૃતિ ફેલાઈ છે. જેથી બ્રેનડેથ વ્યક્તિના પરિવારજનો પોતાના સ્વજનના અંગદાન માટે આગળ આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદની સવિલ હોસ્પિટલમાં 10 મહિનાના સમયગાળા 20 વ્યક્તિઓએ પોતાના અંગોનું દાન કરીને 54 વ્યક્તિઓને નવુ જીવન આપ્યું છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, મૂળ ડૂંગરપુર, રાજસ્થાન ના 46 વર્ષીય બસુબેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code